SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૧ [૨૫૯ પાંડવ ચરિત્રમ્ મારા હાથરૂપ સ્તંભને નાખેલી ભૂમિને કોણ ઉખાડનાર છે? જેવી રીતે હાથીના મુખમાં કોળિયો નાખીને હાથ વડે કોણ કાઢે છે, ખેંચે છે ? કૃષ્ણ કોણ છે ? પાંડવો કોણ છે ? તેનાથી મારું શું સિદ્ધ થશે ? અથવા સૂર્યની આગળ ચંદ્રમાં કોણ માત્ર ? વળી તારકગણો કોણ છે ? તેવી રીતે મારી આગળ કૃષ્ણ, દ્રોણ અથવા પાંડવોથી શું ?” દૂત બોલ્યો : “હે દુર્યોધન, સાંભળ ! જે કૃષ્ણના ક્રોધરૂપ અગ્નિમાં અરિષ્ટ, બળદ, કેશિ નામનો ઘોડો, ચાણૂરમલ્લ, પદ્મોત્તર ગજ ઇત્યાદિ પતંગિયાપણાને પામ્યા છે, તે શું તને યાદ નથી ?” યુધિષ્ઠિરના સમતારૂપ સમુદ્રમાંથી ઉઠેલો ક્રોધરૂપ અગ્નિ શત્રુઓની સેંકડો સ્ત્રીઓના આંસુના પુરથી વાળી શકાય તેમ નથી. કિર્તીર, હિડમ્બ, બક, કીચકાદિને વિડંબના કરનાર ભીમને શું તું ભૂલી ગયો છે ? જેને પલક માત્રમાં અભિમાની વૃષકર્પર એવા તમારા મલ્લને હણીને તે વિરાટરાજાની સભામાં પોતાના યશને ફેલાવનાર તમારા મૃત્યુના સૂચક પણ ભૂલી ગયા? જેણે કીચકનો ધ્વંસ કરીને સુદૃષ્ણાના મુખને શોકળું બનાવ્યું હતું. અર્જુનના બાણોને તમે જાણો છો ? કારણ કે રોતી એવી ભાનુમતિના કારણે મોટા ભાઈની આજ્ઞા પામીને અર્જુને તેમને ચિત્રાંગદ વિદ્યાધર પાસેથી છોડાવેલ, તે પણ તમે ભૂલી ગયા ? ઉત્તર ગાયના ગ્રહણ વખતે નિદ્રાના અસ્ત્ર (મંત્ર) વડે નિદ્રામાં લાવીને તમારા વસ્ત્રો અને અસ્ત્રો ગ્રહણ કર્યા હતા અને જીવતાં છોડ્યા હતા. તે પણ વિસરી ગયા છો ? એવા પર્વત સમાન અભિમાનવાળા પાંચે ભાઈઓ (પાંડવો) સંગ્રામ (યુદ્ધ) વિના કેવી રીતે ઊભા રહેશે? આ વચન સાંભળીને ક્રોધથી દુર્યોધન બોલે છે - તું દૂત હોવાથી, તું બ્રાહ્મણ હોવાથી, તું રાજાઓને અવળે નહિ મારવા યોગ્ય) છે, તેથી તે બ્રાહ્મણ ! જેમ ફાવે તેમ તું ન બોલ ? આ પ્રમાણે બીજો બોલ્યો હોત તો તેની જગ્યાએ જીભનો છેદ કરી નાખત. તું બ્રાહ્મણ હોવાથી મારવા યોગ્ય નથી, એમ કહીને ગળું પકડીને સભામાંથી કાઢી મૂક્યો. પછી તે બ્રાહ્મણે દ્વારકા આવીને કૃષ્ણની આગળ પહેલાં કહી હતી તે સંપૂર્ણ બીનાને કહી. હે દેવ ! બાહુબલના અભિમાનથી છકેલો દુર્યોધન સૌમ્ય વચન કહેવા છતાં માનતો જ નથી. ચતુરંગ સેનાના સમૂહથી વિશ્વને ઢાંકી દેનાર આ દુર્યોધન પોતાના બાહુબલથી ગર્વવાળો ઇન્દ્રને પણ તુચ્છ ગણે છે.” આ બ્રાહ્મણની વાત સાંભળીને કૃષ્ણ કહ્યું: “હે સભાજનો ! અમે પહેલાં જે દૂત મોકલ્યો છે, તે લોક અપવાદ (નિંદા)ની બીકથી કારણ કે પહેલાં દૂત મોકલીએ તો લોક અપવાદ (અવર્ણવાદ) થાય નહિ.” ફરી બ્રાહ્મણે (દૂત) કહ્યું: “હે હરે ! દુર્યોધનના સુભટોએ તમારા સુભટોને ઘેર્યા છે.” મારા વડે વિષ્ણુ, મારા વડે જિષ્ણુ, મારા વડે ભીમ, મારા વડે યમો, મારા વડે યુધિષ્ઠિર એ પ્રમાણે ઉચ્ચ પ્રકારે તેના ભટો વડે ભટો આવરણ કરાયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy