SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૧૧ ગવાતા યશવાળો, ઉભડક પગે બેઠેલા સેવકોથી જોવાતા મુખકમલવાળો, નમેલા મસ્તક વડે આજ્ઞાની રાહ જોનારા વડે ગ્રહણ કરાતી આજ્ઞાવાળો, પંડિતોના સમૂહથી વંચાતા શાસ્ત્રોને સાંભળતો, સુંદર વાણી થકી કથાકારો વડે કહેવાતી કથાઓ સાંભળતો, પૂર્વના રાજાઓના ચરિત્રરૂપ અમૃતને કર્ણપુટ વડે પીતો, સ્મૃતિને જાણનારા પુરુષો વડે કહેવાતી ધર્મ વ્યવસ્થાની સ્થિતિને જાણતો, નીતિને જાણનારા પુરુષો વડે કહેવાતા છ ગુણના રહસ્યરૂપ સુધર્મા સભાની શોભાના વિલાસને કરનારી, મણિચૂડ વિદ્યાધરે બનાવેલી સભામાં બેઠેલો, આભૂષણોથી અંકિત માણેકના કિરણોના સમૂહથી શોભતા શરીરવાળો, પૃથ્વી પર આવેલા સાક્ષાત્ ઈન્દ્રની જેમ (જેવો) ઈન્દ્ર વિખે તે દુર્યોધનને જોયો. તે દૂતે હાથ જોડીને (અંજલિ જોડીને) દુર્યોધનની આગળ બેસીને વાચાળ એવી વાણી ઉચ્ચારીઃ “હે રાજન્ ! રાજા કૃષ્ણ અતિસ્નેહથી કંઈક કહેવાને માટે તમારી પાસે મને મોકલ્યો છે.” એમ કહી તેણે કહ્યું કે : “તમારા ભાઈઓ પાંડવો બાર વર્ષ તમારી આજ્ઞાથી વનમાં રહીને તેરમું વર્ષ વિરાટ રાજાના ઘરે ગુપ્ત રીતે રહ્યા છે. દુષ્કર્મ (હલકા-અનુચિત) કાર્ય કરીને તેઓ તમે કહેલી મર્યાદાને પૂર્ણ કરીને તે પૂર્ણ અવધિને અંતે ગાય અપહરણ વખતે પ્રગટ થયા છે. વિરાટ રાજા તેઓની દિન-રાત સેવકની જેમ સેવા કરે છે તથા દ્રુપદ રાજા સાથે પાંચાલ આદિ તેના પુત્રનું મિલન થયું છે. બીજા પણ ઘણા મિત્રોનો સમૂહ પણ મળ્યો છે. માત્ર તમારા વિરહમાં હંમેશ ઝૂરી રહ્યા છે. તે પાંડવો તમારા આવવાથી ઘણા ખુશ થશે. તેથી હવે તમે શીઘ આવીને દ્વારકામાં રહેલા કૃષ્ણની પાસે તમારા ભાઈઓને મળો. ત્યાં યુધિષ્ઠિર સાથે તમારું મિલન થતાં કૃષ્ણ ખૂબ હર્ષ પામશે. દ્વારકામાં રહેલા ઇચ્છા હોવા છતાં પણ યુધિષ્ઠિર વિચાર કરે છે કે, મારા ત્યાં જવાથી મારો ભાઈ દુર્યોધન કંઈક (અલ્પ) પણ વૈરને લાવે નહિ, એ કારણે અહીંયા આવ્યા નથી. સમય હોવા છતાં પણ તમારા આમંત્રણ વિના હસ્તિનાપુર આવવાને ઇચ્છતા નથી. અભિમાનના કારણે બંને ભાઈઓમાં વિરોધ ન થાય, એમ વિચારીને કૃષ્ણ સાથે યુધિષ્ઠિરે તમને આવવાનું કહેવા માટે મને મોકલ્યો છે, તો હવે તમે ચાલો અને સ્વબંધુને મળો. બંને ભાઈઓમાં વિરોધપણું ન થાઓ. જો તમે કોઈપણ કારણે ત્યાં આવશો નહિ તો તે તમને બળાત્કાર કરી લઈ જશે. કારણ કે તેઓ એક થઈને રહ્યા છે. સ્વેચ્છાપૂર્વક તેઓ અહીંયા આવશે, ત્યારે તેઓ મને કલ્યાણકારી નહિ થાય. તમારો ઉચ્છેદ કરીને સંપૂર્ણ પૃથ્વી લઈ લેશે. ત્યારે તમારે પણ રણાંગણમાં મરવું પડશે. હૃદયમાં સારી રીતે વિચારીને ત્યાં આવવા માટે તમારે વિલંબ કરવા જેવો નથી અથવા વિલંબ ન કરવો.” તે બ્રાહ્મણની તેવી વાણી સાંભળીને હોઠને કંપાવતો દુર્યોધન ક્રોધથી જલતો આ પ્રમાણે બોલે છે : “હે બ્રાહ્મણ ! તારા વચન પહેલાં કોમળ લાગે છે, પરંતુ પછીથી તે વજથી પણ અધિક કઠોર મને પ્રતિભાસે છે. તું પણ વાચાળ બની ગયો છે. કહેવાનું જાણતો નથી, પરંતુ સાંભળ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy