SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭. સર્ગ - ૧૧ - ૨૫૭) પાંડવ ચરિત્રમ્ એ પ્રમાણે યુધિષ્ઠિર પણ કૃષ્ણની સાથે રસ્તામાં વાર્તાને કરતાં દ્વારકાની નજીકમાં આવી ગયા. કૃષ્ણ પણ ત્યાં જ રહેવાનો આશરો આપ્યો. પાંડવોથી પરિવરેલી કુન્તીને આવેલ જાણીને સમુદ્રવિજયાદિ દશ દશાર્યો સામે આવીને ઉત્કંઠાપૂર્વક મનથી કુન્તીને નમસ્કાર કર્યો. પાંડવોએ પણ અત્યંત સ્નેહથી ભરેલા મામાઓને નમસ્કાર કર્યા. હવે દશાર્યો તે પાંડવોને કહે છે : “પહેલા તીર્થયાત્રાથી આવેલા અને અર્જુનને અમારી સુભદ્રાને આપી. હાલમાં તમે બાકી રહેલા બીજા ચાર ભાઈઓને પણ આ ચારેય લક્ષ્મીવતી, વેગવતી, વિજયા અને રતિ તમારી સ્ત્રીઓ થાઓ. એમ કહીને સાનંદ તેઓએ પોતાની કન્યાઓને મહોત્સવ પૂર્વક પાંડવો સાથે પરણાવી.” હવે નાના ભાઈઓ સાથે યુધિષ્ઠિરને જાતે કૃષ્ણ દ્વારિકાની શોભા બતાવી. પ્રદ્યુમ્રાદિ પાંચે પાંડવ પુત્રો પાંચાલ વગેરે ક્રીડા-ઉપવનોમાં સ્વેચ્છાપૂર્વક ખેલે છે. એ પ્રમાણે ત્યાં રહેલા તે પાંડવોનો કેટલોક કાળ સુખપૂર્વક પસાર થયો. એક દિવસે પાંડવોએ અને દ્રૌપદીએ અત્યંત અશ્રુવાળા નેત્રો વડે દુર્યોધને કરેલા અપરાધો કૃષ્ણને કહ્યા. તે પાંડવોના વચનને સાંભળી ક્રોધથી કૃષ્ણ પણ દ્રુપદ રાજાના ઈન્દ્ર નામના પુરોહિતને દુર્યોધનની પાસે સંદેશો આપવા માટે મોકલ્યો. તે પુરોહિત પણ દૂતને ઉચિત પરિવારથી પરિવરેલો હસ્તિનાપુર આવી ગયો. પછી ગણિકાના સુંદર સ્વરના શબ્દોથી (અવાજથી) કામદેવને જાગૃત કરતાં રાજમહેલમાં આવી ગયો. પછી કૃષ્ણનો દૂત આગળ જતાં રાજકારે આવ્યો. દ્વારપાળે દુર્યોધનની આગળ જઈને કહ્યું : “હે રાજેન્દ્ર ! તમારા દ્વાર પર કૃષ્ણ મોકલેલ કોઈ દૂત આવ્યો છે. તે તમારી આજ્ઞા થતાં સભાની અંદર આવશે.” દ્વારપાળને દુર્યોધને કહ્યું : “તેને મારી પાસે મોકલ.” દ્વારપાલે જઈને કહ્યું: “હે દૂત, અંદર જ. તને દુર્યોધન બોલાવે છે.” તે સાંભળીને કૃષ્ણનો દૂત સભામાં ગયો. તે સભામાં સકલ સામંત રાજાઓથી પરિવરેલા દુર્યોધનને જોઈને આશ્ચર્ય પામી ચિંતવે છે. અહો ! ગંગાનો પુત્ર ગાંગેય દુર્યોધનની જમણી બાજુ સિંહાસન પર બેઠેલો ઉદયાચલ પર સૂર્યની જેમ શોભે છે. આ દ્રોણ અશ્વત્થામા પુત્ર સહિત દુર્યોધનની ડાબી બાજુ સુવર્ણ સિંહાસન પર બેઠેલો બૃહસ્પતિની જેમ ગુરુરૂપે શોભે છે. આ સિંહરા, આ સિંધુરા, આ કૃપાચાર્ય, આ ભગદત્ત, આ કર્ણ, આ સુશર્મા, આ ગાંધારેશ, આ ભૂરિશ્રવા, આ ચેટિરા, આ દુર્યોધનના ભાઈઓ, દુઃશાસનાદિ, તેજપુંજ જેવા શોભે છે. અહો, આ દુર્યોધનના પુત્રો લક્ષ્મણાદિ એનાથી પરિવરેલો દુર્યોધન તારાઓમાં ચંદ્રની જેમ શોભે છે. એ પ્રકારે રક્ત કંઠવાળા ગાંધર્વો વડે ગવાતા ગુણવાળો, ઉત્તમ વૈતાલિકો વડે સુંદર સ્તુતિઓથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy