SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૨િ૬૦ સર્ગ - ૧૧ આ વચન સાંભળીને ભીમ અને અર્જુન બોલ્યા: “આ દુર્યોધન (મફતમાં) જમીન નહિ આપે, પરંતુ વિખરાયેલા વાળવાળા મસ્તક સાથે જમીન આપશે. એટલે કે યુદ્ધ વિના નહિ આપે.” અર્જુને કહ્યું: “યુદ્ધ કર્યા વિના તેણે આપેલી પૃથ્વીને ગ્રહણ કરતાં આપણે પણ લજ્જા કેમ નથી પામતા? અર્થાત્ આપણને પણ લજ્જા કેમ આવતી નથી? આ રીતે ભાઈઓએ દ્રૌપદીને વાળ અને વસ્ત્ર ખેંચવા સાથે પૃથ્વી ગ્રહણ કરી છે, તે રીતે આપણે પણ દુર્યોધનના સર્વ ભાઈઓના પ્રાણ સાથે મહી-પૃથ્વીને ગ્રહણ (લઈ લેશું) કરીશું.” પછી ક્રોધપૂર્વક ભીમે કહ્યું : “તેણે પૃથ્વી નહિ આપવાથી ખરેખર અમારું ભાગ્ય જગાડ્યું છે. હમણાં જ દુર્યોધનના ભારને વહન કરવાથી ખેદ પામેલી પૃથ્વીનો ભાર ઓછો કરીશું.” યુધિષ્ઠિરે કહ્યું : “અહો ! વિધિની આ વિચિત્રતા, મારું મન ભાઈઓના વધને માટે દોડે છે (ઇચ્છે છે), આ કાર્ય બંધુના વધ વિના પાર નહિ પડે અથવા સિદ્ધ નહિ થાય. આ કાર્યમાં નસીબ જ એવું જુએ છે તો હું શું કરું ?” હવે કૃષ્ણની આજ્ઞાથી અને યુધિષ્ઠિરની આજ્ઞાથી પ્રયાણ માટે બંને રાજાના સમૂહ થકી સેના તૈયાર કરવા માટે તૈયારી કરી. એક વખત ધૃતરાષ્ટ્રનો સંજય નામનો સારથિ યુધિષ્ઠિર પાસે આવીને પ્રીતિપૂર્વક કહેવા લાગ્યોઃ “હે રાજેન્દ્ર ! ધૃતરાષ્ટ્ર મારી વાણી વડે તમને કહે છે અર્થાત્ ધૃતરાષ્ટ્ર મારી પાસે તમને કહેવડાવ્યું છે. તમે એક જ વિવેકની, ધર્મની, નીતિની અને વિનયની શંખમુક્તાદિના સમુદ્રની જેમ ખાણ છો. આથી બે હાથ વડે અંજલિ જોડીને હે રાજેન્દ્ર ! તમારી આગળ કંઈક કહું છું, પ્રયત્ન પણ અસાધ્ય અત્યંત કઠિન એવા દુર્યોધન પર પત્થર પર ભાલાની અણીની જેમ મારી વાત કુંઠિત થઈ ગઈ છે. તે મારૂં કહેલું કંઈપણ માનતો નથી, આથી હું તમને કંઈક કહું છું. હે રાજન્ ! ભાઈઓ સાથે વિરોધ કરીને આ વિશ્વમાં તમે અપકીર્તિનો પડહ કેમ વગડાવો છો ? કહ્યું છે, કે વનમાં રહેવું શ્રેષ્ઠ છે. ભીખ માગવી શ્રેષ્ઠ છે, પરંતુ ભાઈઓના ઘાતના પાપરૂપ કાદવથી ખરડાયેલી લક્ષ્મી શ્રેષ્ઠ નથી. એટલે કે ભાઈને મારવાના મહાપાપરૂપ કાદવથી ખરડાયેલી લક્ષ્મી સારી નથી. ધનને માટે ભાઈ ઉપર દ્વેષ થાય છે. ભાઈ ઉપર દ્વેષ થવાથી ધનની હાનિ થાય છે. તેથી ભાઈના વિરોધીઓને ધન મળતું નથી અને ભાઈ પણ દૂર થઈ જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy