SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૦ ૨૫૫ પાંડવ ચરિત્રમ્ નમસ્કાર કર્યા. નમન કરતાં અભિમન્યુને કુન્તીએ આશીર્વાદ વડે અભિનંદન આપ્યા. પાંચેય પાંડવ પુત્રોએ માતા દ્રૌપદીને નમસ્કાર કરીને પછી ક્રમસર મોટા પાંડવોને પ્રણામ કર્યા. દ્રૌપદી અને સુભદ્રાનું લાંબા કાળે મળવાથી પરસ્પર અત્યંત સ્નેહ થયો. પૃથ્વીતલને અડતા મુગટવાળા અભિમન્યુએ દ્રૌપદીને નમસ્કાર કરીને પછી ક્રમશઃ બધા પાંડવોને નમસ્કાર કર્યા. કુટુંબ સાથે કૃષ્ણથી પૂજાયેલ યુધિષ્ઠિર આનંદને પામ્યા. પછી બંને સ્નેહપૂર્વક એક જ આવાસમાં રહ્યા. ઘણા સમય પછી મળેલા પાંડવોએ કૃષ્ણના આનંદને વધાર્યો, પુષ્ટ કર્યો. જેવી રીતે કામદેવને વસંતઋતુનો ચંદ્ર અને કોયલને આમ્રમંજરી હર્ષિત કરે છે, તેમ હર્ષથી ઉલ્લસિત થયેલા રોમાંચવાળા પાંડવોએ દ્રુપદ રાજાએ, વિરાટ રાજાએ, કૃષ્ણના સેવકોએ અને બીજા પણ રાજાઓએ ભેગા થઈને ઉત્તરા અને અભિમન્યુના લગ્નનું કાર્ય કર્યું. તે કાર્યને કરતાં યાદવની સ્ત્રીઓએ આનંદકારી ધવલ મંગલ ગીતો ગાયા. હર્ષપૂર્વક વિરાટ રાજાની પણ અંગના (સ્ત્રી)એ તેવી જ રીતે શ્રેષ્ઠ ધવલ-મંગલ ગીતોને ગાયા. યાદવની સ્ત્રીઓ વગેરેએ શણગારેલો મંગલ કરેલો કૃષ્ણ, પાંડવ, દ્રુપદ, યાદવ, કુમારાદિથી પરિવરેલો, મદથી યુક્ત હાથી પર બેઠેલો સુભદ્રાનો પુત્ર મસ્તક પર ધારણ કરેલા છત્રવાળો અને ચામરોથી વીંઝાતો, યાદવોની સ્ત્રીઓથી ગવાતો એવો અભિમન્યુ વિરાટ રાજાના દ્વાર પર આવ્યો. ત્યાં સુષ્માએ યુગ, મુશલ, શરાવ આદિથી પંખ્યો અને પછી વિવાહ મંડપમાં આવ્યો. પછી તે જ શુભ દિવસે શુભ લગ્ને વરવધૂનો વિવાહ ઉત્સવ બ્રાહ્મણોએ કર્યો, તે જાણ્યો. તે વિરાટ રાજાની કન્યા સાથે અભિમન્યુએ જલતી વેદિકાને પ્રદક્ષિણા આપી અને વિરાટેન્દ્ર કુમારને લગ્ન પ્રસંગે કન્યાદાનમાં ઘોડાઓ સુવર્ણ રત્નાદિક બહુ આપ્યું. એકબીજાને પરસ્પર આવન-જાવન કરતાં યાદવો અને વિરાટ રાજાએ લોકોને આનંદિત કર્યા. વિરાટ નગરમાં પાંડવો અને યાદવો, દ્રુપદ અને વિરાટ એ પ્રમાણે બધાય રાજાઓ સુખપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. એક આનંદમાં જ મગ્ન, અમૃતરસમાં ડૂબેલા, કલ્યાણરૂપ સંપત્તિથી યુક્ત, લક્ષ્મીના ક્રીડા કરવાના સ્થાનરૂપ, મહોત્સવમય, કૌતુહલરૂપ લક્ષ્મીમય, તે નગરમાં રહેલા તેઓના એકબીજાના પ્રેમપૂર્વક પુણ્યકારી દિવસોમાં પુણ્યવાનોના દિવસો પસાર થવા લાગ્યા. આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિનસેનસૂરિના સામ્રાજ્ય પંડિત દેવવિજય ગણિ રચિત ગદ્યબદ્ધ સુંદર પાડવા ચરિત્રમાં પાંડવોનું ગુપ્ત વેષે વિરાટ દેશમાં રહેવું, ગાયોનું પાછુ લાવવું તે માટેનું યુદ્ધ અને અભિમન્યુના લગ્નાદિના વર્ણન નામનો દશમો સર્ગ પૂર્ણ થયો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy