SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૨૫૪ સર્ગ - ૧૦ કર્યા. નમ્યા પછી યુધિષ્ઠિર આદિ પાંચેય ભાઈઓને સ્નાનાદિ કરાવીને સુંદર વસ્ત્રો પહેરાવીને સુવર્ણાલંકારોથી સજાવીને પાંચેય ભાઈઓને સુવર્ણના સિંહાસન પર જુદા જુદા બેસાડીને હર્ષની ઉર્મિથી ગદ્ગદ્ થયેલા વિરાટ રાજાએ યુધિષ્ઠિરને વિનંતી કરી : “હે દેવ ! મેં કાંઈ પણ અજ્ઞાનતાના કારણે ઉલ્ટ આચરણ કર્યું હોય અથવા અનુચિત આચરણ કર્યું હોય તે તમારે મારા પર ઉપકાર કરીને ભૂલી જવું અર્થાત્ ક્ષમા યોગ્ય લેખવું. કારણ કે સજ્જને નમ્ર અને વાત્સલ્યવાળા હોય છે. આ ગાયોના ગ્રહણ કરવા વિશે મેં તમારો પ્રભાવ જોયો છે. તમારા બાહુબળને જોયું છે. તમોએ અહીંયા આવીને નામ અને વેશ પરિવર્તન દ્વારા આત્માને શા માટે છૂપાવ્યો ? જો મારું મોટું ભાગ્ય હોત તો તમારા ચરણ કમલની સેવા કરવાનો આટલો અવસર પામ્યો હોત.” હમણાં પણ હે દેવ ! પોતાના પ્રભાવથી પ્રાપ્ત કરેલી આ લક્ષ્મીને ભાઈ સાથે ભોગવીને સાર્થક કરો. રાજ્ય અને જીવનને તમે જ મને આપ્યું છે, તો હમણાં શું હું તમને ભેટ આપું? હે રાજન્ ! તમારી આજ્ઞાથી અર્જુન મારી પુત્રીને પરણે. યુધિષ્ઠિરે અર્જુનની સામે જોયું, ત્યારે અર્જુન બોલ્યો : “ઉત્તરાને મેં ભણાવી છે. તેથી તે મારી પુત્રી સમાન છે. તે વિરાટ ! જો તું કુરુવંશની સાથે સંબંધ ઇચ્છે છે, તો મારા પુત્ર અભિમન્યુની સાથે તારી પુત્રી ઉત્તરાને પરણાવ.” એ પ્રમાણે અર્જુને કહેલી વાત સાંભળીને પ્રીતિથી ઉલ્લસિત આંખોવાળા વિરાટે સ્વીકાર કર્યો. ત્યારથી તેર વર્ષાન્ત પ્રગટ થયેલા તેમણે યુધિષ્ઠિરે કૃષ્ણ, સુભદ્રા અને અભિમન્યુને બોલાવવા માટે ઉત્સુક થયેલા દ્વારકા કોઈક દૂતને મોકલ્યો. દ્રૌપદીએ પણ પાંચેય પાંડવ પુત્રો સાથે બોલાવ્યા. દૂતે પણ કાંપિલ્યપુર જઈને બધો જ પાંડવનો વૃત્તાંત કહીને દ્રુપદને હર્ષિત કર્યા. તેનો વૃત્તાંત સાંભળીને આનંદિત થયેલા દ્રુપદે પાંડવની પધરામણીની વધામણી આપનાર તેને એક લાખ સોનામહોર આપીને વિદાય કર્યો. પછી જાતે જ દ્રુપદ રાજા સૈન્ય થકી પૃથ્વીને ઢાંકતા પરિવાર સાથે વિરાટપુરની સીમામાં આવ્યા. કૃષ્ણ પણ સુભદ્રા, અભિમન્યુ સહિત ભાઈઓ સાથે પરિવારથી પરિવરેલા સૈન્ય થકી દરિયા સમાન પૃથ્વીને કરતા તે જ વિરાટપુરની નજીકમાં આવ્યા. પછી વિરાટ રાજા સૈનિક સાથે અને બાંધવો સાથે યુધિષ્ઠિર જાતે જ તેમની (કૃષ્ણની) સામે ગયા. તે બેઉ કૃષ્ણ અને દ્રુપદ રાજા સામે આવતાં એવા યુધિષ્ઠિરને જોઈને સ્નેહપૂર્વક ભેટી પડ્યા. ત્યારે પરસ્પર મળેલા તે રાજાઓ શોભવા લાગ્યા. હવે રથમાં બેઠેલા બધાય વિરાટ નગર પ્રવેશ્યા. વિરાટ રાજાના કહેવાથી કૃષ્ણ-દ્રુપદના સૈનિકોએ પુરની નજીકની વાટિકામાં આવાસોને ગ્રહણ કર્યા. કુન્તી પણ આવી, પુત્રવધૂ સુભદ્રાએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy