SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૦ રિપ૩) પાંડવ ચરિત્રમ્ થઈ. આને હણવાથી શું ? પછી તેને હરણને છોડી દીધું. પછી તે હરણે વનમાં જઈને બધાય પશુઓને સંબોધન કરતાં તેઓની આગળ બોલ્યો : “હે વનેચરો ! મેં સિંહને હણ્યો છે, એ રીતે હરણથી સિંહનો પરાભવ થવાનો વિશ્વાસ કોણ કરે ? અને વળી કુડવ (નાની) થાળીમાં મોટી થાળી રાખવાનું કોણ માન્ય કરે ? તેવી રીતે મેં કુરુસેનાનો પરાભવ કર્યો છે, તેવું મારું કહેલું તે કોણ માન્ય કરે ? હે દેવ ! તે મને દેવના ચરણમાં મોકલીને પોતે નાટ્યશાળામાં ચાલી ગયો.” એવી ઉત્તરકુમારની વાણી સાંભળીને કંક અને વિરાટ રાજાએ ઉત્તરકુમારે કહેલ બૃહન્નટનું પરાક્રમ સાંભળીને આનંદથી ડૂબેલી સભા બંનેની પ્રશંસા કરવા લાગી. વિરાટ રાજાએ નાટ્યશાળામાં દૂતને મોકલીને અર્જુનને બોલાવ્યો. અર્જુનને આવતો જોઈને ખીલેલી રોમરાજીવાળો અને આનંદના અશ્રુઓ સાથે વિરાટ રાજા સામે ગયો. તે વિરાટ રાજાએ અર્જુનને બાહુમાં પકડીને હૃદય સાથે ગાઢ આલિંગન આપીને સ્ત્રીવેશને દૂર કરીને પુરુષ વસ્ત્રો પહેરાવીને રત્નના અલંકારો વડે શોભાવીને મોટા સિંહાસન પર બેસાડ્યો. વિરાટ રાજા બોલ્યો : “બધા દિવસોમાં આ દિવસ ધન્ય છે. જેમાં તમારું દર્શન મને મળ્યું છે. બધાય મુહૂર્તોમાં આ મુહૂર્ત ધન્ય-શ્રેષ્ઠ છે, જે મુહૂર્તામાં તને અર્જુનરૂપે જોઉં છું. આ વિશ્વમાં મેં યશની સંપદા પ્રાપ્ત કરી છે. કારણ કે તું જંગમ કલ્પવૃક્ષરૂપે મારા ઘરે આવ્યો છે. બધા રાષ્ટ્રમાં આ મહારાષ્ટ્ર છે. કારણ કે જે ભૂમિ તારા પગની રજથી સૃષ્ટ-સ્પર્શિત થઈ છે. હે ધનુષ્ય ધરવામાં પ્રથમ! ઉત્તમકુમારને જીવિત (જીવવારૂપ) દાનથી મને પણ તે જીવિત દાન આપ્યું છે. કંક, વલ્લવ, તંત્રપાલ, ગ્રંથિકો થકી પણ સુશર્માથી છોડાવીને મને પણ જીવિત દાન આપ્યું છે. આ ચારેના ઉપકારનો બદલો મારા પ્રાણ આપીને પણ હું ઋણમુક્ત નહિ બનું.” કંઈક હસીને અર્જુને વિરાટ રાજાને કહ્યું: “હે વિરાટ નરેશ ! આ સ્વભાવ અખંડ તેજસ્વી કોઈપણ પાડુ પુત્રોનો જ છે.” હે અર્જુન ! તે શું કહ્યું ? એ પ્રમાણે વિરાટ રાજાએ પૂછ્યું, ત્યારે અર્જુન બોલ્યો : “હે રાજેન્દ્ર ! આ કંક તે યુધિષ્ઠિર રાજા છે. આ વલ્લવ તે ભીમ છે, આ તંત્રપાલ નકુલ છે, આ ગ્રંથિક તે પોતે સહદેવ છે, આ ચારેય મારા ભાઈઓ છે.” અમે પાંચે પાડુરાજાના પુત્રો છીએ. વળી દેવી (રાણી) સુદૃષ્ણાની સેવા કરનારી માલિની નામની દાસી જે છે, તે આ દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી છે, એ પ્રમાણે અર્જુને કહેલું સાંભળીને હર્ષથી ભરાયેલા અંગવાળા વિરાટ રાજાએ આ પ્રમાણે કહ્યું : “હું ધન્ય છું, કારણ કે તમે મારા ઘરે આવ્યા છો. તમારા દર્શનથી હું અનાથ થયો છું !” એમ કહીને અર્જુન સાથે મસ્ચરાજા મોતીની ઉપમા સમાન આનંદના અશ્રુ વડે જાણે પૂજા કરતા ન હોય, તેમ યુધિષ્ઠિરને નમસ્કાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy