SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૦ પાંડવ ચિરત્રમ્ ૨૫૨ તે દુર્યોધન ભાઈ છે, એમ વિચારીને દયાળુ અર્જુને અસ્ત્રોને અને અર્ધચંદ્ર બાણોને નાખી (છોડી) ધ્વજ પતાકાદિ છેદી નાખ્યા. એક અર્ધચંદ્ર બાણથી ધ્વજાના દંડને છેદ્યો. બીજા એકથી ધનુષ્ય તોડી પાડ્યું. એમ યથાક્રમ શરીરનું બખ્તર, મુગટ, અડધી દાઢી, કેટલાકના અડધા માથાના વાળોને ઉખેડી નાખ્યા. એ પ્રમાણે હેરાન-પરેશાન કરતો, દયાથી ભીંજાયેલા હૃદયવાળા અર્જુને તે કુરુસેના ૫૨ અને દુર્યોધન પર અલ્પ સ્હેજ વિદ્યાનું ફરી સ્મરણ કરી નિદ્રાના અસ્ત્રને છોડ્યું. તેના પ્રભાવથી તે ક્ષણે જ તે સૈન્યમાં અંધકાર ગાઢ રીતે છવાઈ ગયો. તે સમયે બધાય સેનાના લોકોની આંખો નિદ્રા આવવાથી મિંચાઈ ગઈ. કુરુરાજા દુર્યોધનના હાથમાંથી અને સૈનિકોના પણ હાથમાંથી બધા શસ્ત્રો ભૂમિ પર પડી ગયા. ત્યારે બૃહન્નટે મને કહ્યું : “હે ઉત્તરકુમાર ! આ દુર્યોધન એના આ વસ્ત્રો અને શસ્ત્રો ગ્રહણ કરી લે (લઈ લે), આ કર્ણ એના શસ્ત્રો ગ્રહણ કરે. આ દુર્યોધનનો ભાઈ દુઃશાસન એના પણ વસ્ત્રો અને શસ્ત્રો ગ્રહણ કર, ઉઠાવી લે.” એ પ્રમાણે કેટલાક શસ્ત્રો લઈને ધણી વગરની સેનાની જેમ લૂંટીને ફરી પણ એને સ્વેચ્છાપૂર્વક નિદ્રાનું અસ્ત્ર શસ્ત્ર પાછુ ખેંચી લીધું અને તે પછી બધા સૈનિકો પલાયન થવા (નાસી જવા) તૈયાર થયા. કેટલાક ધનુષ્યનો ટેકો લઈને ઉભા રહ્યા. કેટલાક રથનો આશ્રય લઈને રહ્યા. કેટલાક સારથિનું આલંબન લઈને ઉભા રહ્યા. પરંતુ આ દયાથી ભીંજાયેલા બૃહન્નટે કોઈપણ સૈનિકના પગ, હાથ, કાન,નાક આદિ એકપણ અંગ છેદ્યું નહિ. ઉત્તમપુરુષનો આ સ્વભાવ છે. કારણ કે કહ્યું છે કેઃ“મરેલાને મારવો એ સજ્જનોને ઉચિત નથી, એમ વિચારીને નાસતા એવા બધા સૈનિકોને છોડી દીધા.” ધૂળના ઢગલાથી ઢંકાયેલા શરીરવાળો ધૃતરાષ્ટ્રનો પુત્ર પણ પૃથ્વીતલ પ૨થી ગમે તેમ કરી ઉઠીને રથમાં બેસીને શીઘ્ર નાસી ગયો. પછી દરેક વાછરડાને ઉત્સુકતાપૂર્વક દૂધ આપતી ગાયોને લાવીને આ બૃહન્નટ પાછો વળ્યો. આ બૃહન્નટ નગરની નજીકમાં આવીને શસ્ત્રોને ફરી તે યથાસ્થાને મૂકીને મને રથમાં બેસાડીને જાતે જ લગામ લઈને સારથિપણું કરતો નગરની મધ્યમાં આવીને તે મને વળાવીને જાતે નાટ્યશાળામાં ગયો. આપ વડીલોના શપથ આપી તેને મને વાર્યો છે. આ વાત વડીલોને કહેવી નહિ શું કહેવાનું નહિ ? આ બૃહન્નટે યુદ્ધ કર્યુ છે, તેમ નહિ કહેવાનું. સંપૂર્ણ તારે આ પ્રમાણે જ કહેવાનું કે કુરુસેનાને જીતીને હું જ ગાયો લાવ્યો છું. મેં બૃહન્નટને કહ્યું : “હે બૃહન્નટ ! પોતાની શક્તિથી અધિક બોલતાં શું મશ્કરીને પાત્ર ન બનીએ ?” એક વખત હરણ અને સિંહનું પરસ્પર ક્યારેય યુદ્ધ થતાં સિંહને કરૂણા ઉત્પન્ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy