SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ 2 અર્જન છે. આ જ રે સર્ગ - ૧૦ ૨૫૧] પાંડવ ચરિત્રમ્ એકબીજા પરસ્પર કહે છે. કૌતુકને જાઓ, આ તે અર્જુન છે, આ તે અર્જુન છે, જે બાણો વરસાવે છે. એક બાજુ જેને બે હાથ જ સહાયક છે, બીજી બાજુ કોટિશઃ શત્રુઓ છે, પરંતુ સૂર્ય પાસે તારલા જેવા તેઓ નિસ્તેજ બની ગયા છે અથવા શક્તિહીન થઈ ગયા છે. જેટલા દુશ્મનોના સૈન્યમાં સુભટો છે, દરેક તેઓ પોતાની સાથે જીતવાની ઇચ્છાથી યુદ્ધ કરતા હોય તેમ વિચારે છે. તે મોટા સંગ્રામના મંડપમાં બૃહન્નટની કીર્તિરૂપ નર્તકી સ્વેચ્છાપૂર્વક નાચ કરવા લાગી. અર્જુનના બાણોથી ઘવાયેલા પોતાની સેનાને જોઈને કર્ણ અર્જુનની સાથે યુદ્ધ કરવા લાગ્યો. આ બંનેનું એકસરખું પરાક્રમ દેખીને દ્રોણ અને ગાંગેય રણથી નીકળી ગયા. દુર્યોધન ગાયોને આગળ કરીને લૂંટારાની જેમ શંકા સહિત પોતાના પૂર(નગર) તરફ પ્રયાણ કરી ગયો. કર્ણ અને અર્જુનનું પરસ્પર યુદ્ધ થતાં જયરૂપ લક્ષ્મી હીંચકાની જેમ વિચારવા લાગી કે કોના પક્ષમાં જવું. તેઓની યુદ્ધકલાને જોવા માટે આકાશમાં દેવો ઉભા રહ્યા અર્થાત્ આકાશમાં ઉભા રહી દેવો તેઓની યુદ્ધકલા જોવા લાગ્યા. બન્ને વીરોએ છોડેલા બાણો પરસ્પર એવી રીતે ગોઠવાઈ ગયા કે ઘાયલ થયેલા સૈનિકો ઉપર સૂર્યના કિરણો ન પડે તે રીતે સ્તંભ વિનાનો મંડપ બની ગયો. તેથી અર્જુન કર્ણ સાથેના યુદ્ધમાં સરખાપણું જોઈને અત્યંત ક્રોધવાળો બન્યો. તેથી મેં બૃહત્રટને કહ્યું : “હે વીરોમાં મુગટ સમાન બૃહન્નટ ! દુર્યોધન ગાયો લઈને દૂર નીકળી ગયો છે, તો પછી તમે શા માટે આત્માને ખોટો ખેદ પમાડો છો. તમારી આજ્ઞા મળવાથી હું અહીંથી રથ પાછો વાળીશ (વાળું છું).” આ વચન સાંભળીને બૃહન્નટે કહ્યું : “હે ઉત્તરકુમાર! તું કાયરની જેમ વચન કેમ બોલે છે? તું સાવધાન થઈને મારું બાહુબલ જો. કુરુસેનાને એવી રીતે ડહોળી (વિખેરી) નાખીશ, જેવી રીતે હરિએ રવૈયા વડે સમુદ્રને મથી (ડહોળી) નાખ્યો હતો.” એમ કહીને દ્રોણે કહેલી બાણવિદ્યાનું સ્મરણ કરીને બાણીના ઘા વડે કર્ણનું શરીર જીર્ણ કરીને ક્રોધથી લાલ આંખવાળો થયેલો બૃહન્નટ દુર્યોધન તરફ દોડ્યો. બૃહન્નટના આકારને ધારણ કરનાર અર્જુનને જાણીને ઝંઝાવાતી પવનથી પ્રેરાયેલા ઘાસના તણખલાની જેમ દુર્યોધનનું સૈન્ય કંઈ દૂર નથી ગયું. સુભટોમાં એક ધુરંધર દુર્યોધન ગાયોને આગળ કરી દોડે છે. તે દુર્યોધનને ગાયોને આગળ કરી જતાં જોઈને તેની પાછળ બૃહન્નટને રણમંડપમાં નટની જેમ નાચ કરતાં બાણોને વરસાવતો બધાએ જોયો. શું આ અર્જુનના બાણો ખરેખર પૃથ્વીને ભીંજવી નાખશે ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy