SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૨૫૦) સર્ગ - ૧૦ મળવાથી નપુસંકને સારથિરૂપે લઈને હું સમરાંગણે ગયો. ત્યાં નગરના અન્તર્માગમાં આ સારથિએ અહીંતહીં રથને ફેરવવા વડે લોકોને હસાવતાં, રમૂજ કરતાં નગરની બહાર ગયા અને ત્યાં કુરુસેનાને જોઈને મનમાં હું ક્ષોભ પામ્યો અને આ (સારથિ) મને રથમાં મૂકીને સ્વયં ક્યાંક જઈને શસ્ત્રો લઈને જલ્દી પાછો આવી ગયો.” પછી મને કહ્યું : “હે શ્રેષ્ઠ કુમાર! તું મનમાં ચિંતાને કર નહિ, તું આ કુરુસેનાને ક્ષણવારમાં જ જીતીને તારી શોભાને વધારીશ. તું નિશ્ચિત થા, એમ કહીને આ બૃહAટે મને સંપૂર્ણ કુરુસેના બતાવી. આ ગાંગેય, આ દ્રોણ, આ કર્ણ, આ સૌબલ અને આ તે દુર્યોધન. આ પ્રમાણે વિશેષતા જાણ. એવા પ્રકારની કસેના જોઈને ડરી ગયો. ત્યારે નાસતા એવા મારો હાથ પકડીને ઉત્સાહપૂર્વક મને કહ્યું : “હે કુમાર ! બીજાના સૈન્યને જોવા માત્ર તારી પલાયન વૃત્તિ સારી નથી અથવા યોગ્ય નથી. કારણ કે તું વિરાટ દેશના રાજાનો પુત્ર છો અને કુલીન છો. કુલિનોને યુદ્ધમાં મરણની શી ચિંતા ?” કહ્યું છે કે :- રણયુદ્ધમાં જીત મળવાથી લક્ષ્મી મળે છે અને મરણ પામવાથી દેવાંગના (દેવી) મળે છે. આથી ક્ષણમાં નાશ પામનારી કાયાની રણમાં મરણ આવે છતે શી ચિંતા? આથી તું જરાપણ ચિંતાને કર નહિ. તારા દેખતાં જ હું આ કુરુસેનાને જીતીને તને જય અપાવીશ. લોકો કહેશે કે ઉત્તરકુમારની પાસે કુરુસેના નાશ પામી. એ પ્રમાણેની કીર્તિના પ્રસરવાથી તારા પિતા પણ હર્ષિત થશે. આથી તું મારી પાસે બેસ. કાયરની જેમ ભાગી જઈશ નહિ. મારી પાસે રહેલા તને કોઈનો પણ ભય નહિ રહે. એમ કહીને મને સારથિરૂપે રાખીને જાતે હાથમાં ધનુષ્ય લઈને દોરીનો નાદ (ટંકાર કરતા) ફેલાવતાં અશ્વના કાનમાં અશ્વમંત્ર સંભળાવીને હે કુમારેન્દ્ર ! મારી ભૂજાનું બળ જો. એમ કહીને ધનુષ્યનો ટંકાર કરતાં દેવાધિષ્ઠિત જાણે ન હોય, એમ રથ ઘુમાવ્યો. બૃહન્નટને રથમાં બેઠેલો જોઈને મેં ચિંતવ્યું. શું સાક્ષાત્ ધનુર્વેદ (ધનુર્વિદ્યા ગ્રંથ) પ્રત્યક્ષ છે? કે શું મૂર્તિમંત વીરસ્ય છે? અથવા શું સંપૂર્ણ બળને એકઠું કરીને તેનો શું આ પિંડ બનાવ્યો છે? આ કોઈ ખેચર, વિદ્યાચર કે ક્રીડારહિત શરીરવાળો શું આ કોઈ દેવ છે ? જે એકલો હોવા છતાં અનેક પ્રકારે દેખાય છે..બૃહન્નટ એકલો હોવા છતાં તે કુરુસેનાને પાછળ પાડી. પછી તે કુરુવીરો, ગાંગેય, કર્ણ, દુર્યોધન, દ્રોણાદિ રથમાં બેઠેલા બૃહત્રટને કુરુસેનાનો તિરસ્કાર કરતો જોઈને પરસ્પર વાતો કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy