SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૦ ૨૪૯ પાંડવ ચરિત્રમ્ તેથી બધા ગોપાલોએ દુર્યોધન સાથે યુદ્ધ કરીને કેટલાક મૃત્યુને પામ્યા. કેટલાક નાસીને અહીંયા આવ્યા છે અને હું તમારી પાસે આવ્યો છું. તમારા પુત્રને આટલું જ્યાં મેં કહ્યું કે – હે કુમાર ! અતિ બાહુબલી ! યથાયોગ્ય આચરણ કર. એ પ્રમાણે ગોપાલનું સાંભળીને તમારો પુત્ર ઈર્ષાપૂર્વક બળના અતિરેકથી ઉભી થયેલી રોમરાજીવાળો અત્યંત ખેદપૂર્વક આ પ્રમાણે બોલ્યો : “અહીંતહીં ભ્રમણ કરતો તારો પુત્ર ઉત્તરકુમાર આ પ્રમાણે બોલવા લાગ્યો : હે માતા ! મારી આગળ આ દુર્યોધનાદિ કોણ છે? જો કોઈક સુંદર સારથિ થાય તો હું એકલો હોવા છતાં પણ અનેકને જીતનારો છું. જેવી રીતે વિશ્વને સળગાવવા માટે સમર્થ હોવા છતાં અગ્નિ પવન વિના જલતો (સળગતો) નથી.” તે સાંભળીને માલિનીએ કહ્યું : “હે કુમાર! કામદેવ! જે આ ઉત્તરાકુમારીને ભણાવનાર છે, તે વાજિંત્રોનો આચાર્ય બૃહત્રટ છે. બધા સારથિઓનો શિરોમણિ તું તેને જાણ. ઘોડા સાથે રથને ચલાવતો ક્રોડવાર મેં જોયો છે. આ સંસારમાં એનાથી વધીને બીજો કોઈ શ્રેષ્ઠ સારથિ નથી. પછી તે ઉત્તરકુમારે બીજા સારા સારથિના અભાવમાં તે નપુંસક હોવા છતાં તેને સારથિપણે રાખીને રથમાં બેસીને સૈન્યથી પરિવરેલો ગોકુલને વાળવા યુદ્ધ માટે ઉત્તર દિશા તરફ ચાલ્યો. રાણીની તેવી વાત સાંભળીને પુત્ર પ્રેમવાળો મલ્યરાજા વારંવાર વિચાર કરતો આ પ્રમાણે બોલ્યો. “હા ! હા ! આ બાહુ સહાયવાળો ક્ષીરકંઠ મારો પુત્ર ક્યાં ? અને શત્રુરૂપ સરોવરને પીનારી આ કુવાહિની ક્યાં ? તેથી નક્કી મારો આ પુત્ર કુરુવીરવાહિની રૂપ અગ્નિમાં પ્રથમ આહુતિરૂપ બનશે.” એ પ્રમાણે વારંવાર વિચાર કરતાં જાણીને માલિની બોલીઃ “હે રાજન ! બૃહન્નટની સહાય હોવાથી તમારા પુત્રને કોઈ પણ જાતનો ડર નથી. જે રીતિએ ગરુડ નજીકમાં હોવાથી સર્પોની ભીતિ હોતી નથી, જેવી રીતે હાથમાં દીપક હોવાથી અંધકારની ભીતિ હોતી નથી, તે પ્રમાણે આ નજીકમાં બૃહન્નટ રહેલો હોવાથી ઉત્તરકુમારને ભીતિ નથી. આ પ્રમાણે માલિનીની વાણી સાંભળીને જ્યાં મસ્યરાજા કંઈક કહેવા જાય છે, તેટલામાં કોઈએ આવીને ઉત્તરકુમારના આગમનના સમાચાર આપ્યા અને તેથી મસ્યરાજા આનંદ પામ્યો. મત્સ્યરાજા જ્યાં પુત્રની સામે જવા ઇચ્છે છે, તેટલામાં પુત્ર આવીને પિતાના ચરણમાં નમ્યો. પછી રાજાએ બાહુ વડે પકડીને સામે બેસાડી ગાઢ રીતે ભેટીને રણમેદાનના જયના સમાચાર પૂછ્યા. સર્વ સભાજનો યથાયોગ્ય આસને બેસી જતાં મુગટમાં માણેકની જેમ કૃતજ્ઞ એવા કુમારે યુદ્ધની વિગત કહી. જ્યાં કપટપૂર્વક સ્ત્રીના વેશ દ્વારા સ્ત્રીના રૂપને ધારણ કરનાર આ બૃહન્નટ છે, ત્યાં તે યુદ્ધમાં શું જય દુર્લભ હોઈ શકે? એ પ્રકારની ઉત્તરકુમારની વાણી સાંભળીને સર્વ સભાજનોએ પૂછ્યું, વિશેષ પ્રકારે તે વૃત્તાંતને રાજાએ મૂલ (શરૂઆતથી) પૂછ્યું. પછી ઉત્તરકુમારે કહ્યું : “હે રાજન્ ! બીજો સારથિ ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy