SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૦ ૨૪૫) પાંડવ ચરિત્રમ્ કરતી અશ્રુથી ભરેલી આંખવાળી તેણીએ રાજાને આ પ્રમાણે કહ્યું : “હે રાજેન્દ્ર ! તમારી આવી અમીદ્રષ્ટિ હોવા છતાં મને દુઃખ કરનાર થઈ. કારણ કે તમારા નોકરો વડે મારા ભાઈઓ મરાયા છે. પ્રથમ એકલા કીચકે શત્રુ જાણ્યો નહિ. તેથી એ વલ્લવ એકલો હોવા છતાં પણ તેણે (વલ્લવે) મારા બધાય ભાઈઓને હણી નાંખ્યા, તોપણ તમે વલ્લવને કંઈ પણ કહ્યું નહિ. તેથી હું ફાંસો આપીને જીવિતને ત્યાગી દઈશ.” તે સાંભળીને રાજાએ કોમલ વચનો વડે રાણીને સાંત્વન આપતાં આ પ્રમાણે કહ્યું : “હે મૃગાક્ષી ! બીજું જે કાંઈ હોય તે કહે, તે બધું કરીશ, પરંતુ આ વલ્લવ મહા બલવાન છે. કોઈથી પણ જીતવા માટે શક્ય નથી, છંછેડેલો (છંછેડાયેલો) એકલો હોવા છતાં પણ વલ્લવ પૂર્ણ સૈન્યને હણી દેશે. આથી એને બીજા કોઈપણ ઉપાય વડે હણીને શીઘ તારા ભાઈનું વૈર દૂર કરીશ. હમણાં તું મૌન થા.” “પરાક્રમ થકી જે શક્ય નથી તે ઉપાય વડે (કળ વડે કરવું) સોનાના દોરા (હાર)થી કાગડીએ કાળા સર્પને હણી નાખ્યો. હે સુંદરી ! મારું એક વચન સાંભળ :- આ નગરમાં હસ્તિનાપુરથી દુર્યોધન રાજાનો વૃષકર્પર નામનો મહામલ્લ આવ્યો છે. તેની સાથે આ વલ્લવને મલ્લયુદ્ધમાં જોડવો, મલ્લયુદ્ધ કરાવવું. તે મલ્લ ક્ષણમાત્રમાં જ આ વલ્લવને હણી નાખશે. ત્યારે તારું વૈર દૂર (શાંત) થશે. આથી હમણાં તું મૌન રહે. એ પ્રમાણે કહીને તે રાજાએ રાણીને મૌન કરી. એક દિવસે મલ્લનો તિરસ્કાર કરતા અભિમાનનો પર્વત એવો વૃષકર્પર રાજ્યસભામાં આવ્યો અને રાજાને આ પ્રમાણે કહ્યું : “હે રાજેન્દ્ર ! તમારી જ સભામાં જો કોઈપણ પ્રતિમલ્લ (સામે યુદ્ધ કરનાર) હોય તો તે મારી સાથે મલ્લયુદ્ધ કરે.” તે સાંભળીને વિરાટ રાજાએ બોલાવેલા અનેક રાજાઓ સભામાં બેઠા હતા. પરંતુ એક પણ મલ્લ તેની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થતો નથી. તે જીતી શકાય તેવો છે, તે જાણીને રાજા મત્સ્ય રસોડામાંથી વલ્લવ નામના રસોઈયાને બોલાવ્યો અને કહ્યું : “હે વલ્લવ ! તે પહેલાં કહ્યું હતું, હું મલ્લની સાથે યુદ્ધ કરું છું. તારામાં મલ્લયુદ્ધની ચતુરાઈ રહી છે.” વલ્લવે કહ્યું : આ વૃષકર્પરની સાથે યુદ્ધમાં મને યોદ્ધો જાહેર કરો !” રાજા બોલ્યો : “તો તૈયાર થા.” બંને જણા તૈયાર થયા. બંનેયને સ્નાન કરેલા ચંદન, અગરુ, કસ્તુરીની સુગંધથી મહેકતા શરીરવાળા, પર્વતના જેવા ખડતલ, બળદ જેવા મહાત્કંધવાળા, વયથી સરીખા, સરખા સામર્થ્યવાળા તે બંનેને જોઈને લોકોએ કહ્યું : “આની સાથે વલ્લવને યુદ્ધ માટે જોડવો યુક્તિયુક્ત નથી. એટલે કે વલ્લવને આની સાથે યુદ્ધ કરાવવું ઠીક નથી.” કારણ કે – આ મલ્લશ્રમ (વ્યાયામ) કરીને મલ્લ થયો છે. વલ્લવ તો વિના શ્રમે (વ્યાયામ કર્યા વિના) મલ્લ થયો છે. એટલે કે એ કૃત્રિમ છે. બીજો (વલ્લવ) કુદરતી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy