SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૨૪૪ સર્ગ - ૧૦ અમૃત વડે શાંત કર. એમ કહીને જ્યાં માલિનીની નજીક આવે છે, ત્યાં જ માલિની રૂપે આવેલા ભીમે કીચકને એવી રીતે આલિંગન આપ્યું કે જેથી કરીને તે જ ક્ષણે કીચક મૃત્યુ પામ્યો. તે મરણ પામેલા કચકને લઈને પગ વડે મસળીને માંસનો પીંડ બનાવીને નાટ્યશાળાના ઝરૂખેથી (બારીએથી) બહાર ફેંકી દીધો. કીચકને યમસદન પહોંચાડીને ભીમ રસોઈ ઘરમાં આવીને વેરને લઈને સુખપૂર્વક સૂઈ ગયો. પ્રભાતે શોકથી ભરાયેલા કીચકના સો ભાઈઓ કીચકનું મૃત્યુ થયેલું જાણીને શોકાતુર બનેલા બધા ઊંચા સ્વરે પોકાર કરતા રડવા લાગ્યા. બધાય કીચકના ભાઈઓ ભેગા થઈને પરસ્પર આલોચના (વિચાર) કરે છે. અહો ! કીચકને કોણે માર્યો ? એક ભાઈ બોલ્યો : “આ કીચક માલિનીમાં રાગવાળો થયો હતો. તેથી નક્કી માલિનીના પતિએ માર્યો છે. માલિનીના કારણે જ આપણો ભાઈ મૃત્યુ પામ્યો છે. તેથી કરીને આ માલિનીને કીચકની સાથે ચિત્તાની અગ્નિમાં નાખીને ક્રોધને શાંત કરીએ. એ પ્રમાણે વિચારીને કીચકના ભાઈથી ખેંચાતી માલિની ખૂબ ઊંચા અવાજે આ પ્રમાણે પોકાર કરવા લાગી. જય જયંત, વિજય, જયસેન, જયદ્રબલ, જે તમે ક્યાંય પણ હો તો મારી રક્ષા કરો, રક્ષા કરો. આ દુરાત્મા એવા કીચકના ભાઈઓ દીન, અનાથ એવી મને અગ્નિમાં હોમવાને ઇચ્છે છે. આ પ્રમાણેની માલિનીની દીનવાણી સાંભળીને રસોઈ ઘરમાંથી બહાર આવી વલ્લવ નામનો રસોઈયો દોડ્યો. વલ્લવ બોલ્યો : “હે મહાપુરુષો કીચકના ભાઈઓ એવા તમે મહાન છો. શા માટે નિરઅપરાધી આ અબલા (માલિની)ને મારો છો ? તમે સ્ત્રી હત્યાના પાપથી ડરતા કેમ નથી ? મત્સ્ય રાજાથી પણ કેમ ડરતા નથી ? કયા કારણે આ અબલાને મારો છો ?” તેઓએ કહ્યું કે આ દાસીના કારણે કોઈ પુરુષે મારા ભાઈ એવા કીચકને હણ્યો છે. આથી એને (માલિનીને) ભાઈની સાથે જલાવીશું. ફરી વલ્લવ બોલ્યો : “આ દીનને છોડી દો. એને મારનારો જે કોઈપણ હશે, તે પણ તમારી સાથે વૈરને કરશે.” તેઓએ કહ્યું : “આ માલિનીના દુઃખથી જેનું માથું દુઃખતું હશે તથા જેનામાં શક્તિ હશે, તે આ માલિનીને ચિતાની અગ્નિમાં નાખનારાઓને અટકાવશે. તે સાંભળીને ક્રોધિત થયેલા ભીમે નજીકમાં રહેલા એક વૃક્ષને ઉખેડીને ક્ષણમાત્રમાં અન્યાય કરનારા કીચકના સર્વ ભાઈઓને હણી નાખ્યા. ત્યારે લોકો આ પ્રમાણે બોલવા લાગ્યાઃ “સુદેણાના ભાઈઓને અને દુષ્ટઆચારવાળા કીચકના ભાઈઓને વલ્લવે હણેલા તેઓ મૃત્યુ પામ્યા. વલ્લવ પણ માલિનીને પોતાના સ્થાનમાં મોકલીને પોતે રસોઈ ઘરમાં આવી ગયો.” પછી ભાઈના વધને સાંભળી સુદૃષ્ણા રાજપટરાણી પોકાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy