SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૨૪૬ સર્ગ - ૧૦ મલ્લ છે. રાજા આ બંનેને યુદ્ધમાં જોડે છે, તે યોગ્ય નથી. પરંતુ ગમે તેમ કરીને સાળાના શત્રુને હણવો જોઈએ. તેમ વિચારીને રાજાએ યુદ્ધમાં તેઓને જોડ્યા છે, તેમ ત્યારે બધા લોકો રાજાની નિંદા કરતા હતા. પછી મલ્લના વેશને ધારણ કરેલા તે બંને બાજુ ઉપર હાથ વડે સ્ફોટ (અવાજ)ને કરતાં સભા મંડપમાં ફરે છે. અર્થાત્ સભા મંડપને પ્રદક્ષિણા આપતા બંને જણા પગ વડે ભૂમિને કંપાવતાં બંનેય જણા હાથ વડે તાળીઓ પાડતાં. વળી બંને મુઠ્ઠીવાળીને દોડતા હતા. વૃષકર્પરને હણવા માટે વલ્લવ સમર્થ હોવા છતાં લોકોના નેત્રને આનંદ આપવા માટે થોડો કાળ વિલંબ કર્યો. એ પ્રમાણે તે બંને સો વાર સુધી જય-પરાજયની રમત કરતાં વિંધ્યાચલમાં ઉન્મત્ત બે હાથીની જેમ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. અવસર પ્રાપ્ત થતાં બલવાન વલ્લવે વૃષકર્પરને બાંધ્યો. વલ્લવનો જય થતાં લોકો હર્ષ પામ્યા. વૃષકર્પરનો પરાજય થતાં મત્સ્ય રાજા કરમાઈ ગયેલા મુખવાળો થયો. અર્થાત્ દુઃખી થયો. એ પ્રમાણે અવસર પામીને વલ્લવના લાતના પ્રહારથી હણાયેલો વૃષકર્પર મૃત્યુ પામ્યો. વલ્લવનો જય જોઈને રાણી સુદૃષ્ણાએ રાજાને કહ્યું : “હે ભૂમીશ ! આ વલ્લવ મર્યો નથી. પરંતુ વૃષકર્પર કર્યો છે.” રાજાએ રાણીને કહ્યું : “હે દેવી! તું ખેદ ન કર. ફરી પણ કોઈપણ પ્રકારનો ઉપાય કરીને વલ્લવને હણીશ. એ પ્રમાણે કહીને રાણીને આશ્વાસન આપી પોતાના (તેના) સ્થાનમાં મોકલી આપી. વિરાટ રાજાના રસોઈયાએ વૃષકર્પરને હણ્યો. એ બધું દૂતને મુખથી સાંભળીને દુર્યોધને કર્ણ, દુઃશાસન, દ્રોણ, ગાંગેયાદિને એક સ્થાને ભેગા કરીને મંત્રણા (વિચારણા) કરી. હવે મારે શું કરવું ? પહેલાં સુરોચન બ્રાહ્મણે કૃત્યો રાક્ષસીને મોકલી હતી. તે કૃત્યાથી પાંડવો હણાયા નહિ.” પરંતુ તે સુરોચન જ હણાયો. પછી મેં તેરમું વર્ષ જાણવા માટે વૃષકર્પરને મોકલ્યો. આ સંપૂર્ણ ભૂમિ પર સો ક્રોડ કઠોર અંગવાળા એને વૃષકર્પરને જીતવા માટે ભીમ વિના બીજો કોઈ સમર્થ નથી. એ પ્રમાણે મેં વિચારીને વજ જેવા કઠોર શરીરવાળા વૃષકર્પર મહામલ્લને મોકલ્યો. તે પણ ભમી ભમીને વિરાટનગરે પહોંચ્યો. ત્યાં મત્સ્ય રાજાના રસોઈયાથી હણાયો અને મૃત્યુને પામ્યો. તેથી નક્કી તે વૃકોદર જ છે. જ્યાં વૃકોદર છે, ત્યાં બધા પાંડવો રહ્યા છે, તેમ માનવું. કારણ કે રાજ રોગ ખાંસી, શ્વાસ, કફ વગેરે વિના થતો નથી. આથી મારે બધા ભેગા થઈને વિરાટનગરે જઈને ઉત્તર-દક્ષિણ દિશામાં ગાયોને પકડવી. દયાયુક્ત મનવાળા તે પાંડવો જોઇને સહન નહિ કરે, સહન નહિ કરવાવાળો તે પ્રગટ થશે (સામો આવશે). તેથી ફરી પણ તેઓને બાર વર્ષનો વનવાસ અપાશે. એ પ્રમાણે વિચારીને સકલ સૈન્યની સાથે દુર્યોધને વિરાટપુર જવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy