SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૨૪૨ સર્ગ - ૧૦ એ પ્રમાણે રાણીની સેવા=શુશ્રષાને કરતી સુખપૂર્વક રહી છે. તે પાંડવો પણ પોતપોતાના કાર્ય કરતા વિરાટરાજાની પ્રીતિને પ્રાપ્ત કરી આનંદમાં રહે છે. તેવી રીતે બધાય પાંડવો રાત્રિને વિશે કોઈક ઘરમાં રાખેલી માતાના ચરણોમાં નમતા હતા. એ પ્રમાણે ત્યાં રહેલા તે પાંડવોના દિવસો સુખપૂર્વક પસાર થાય છે. તેરમા વર્ષમાં ૧૧ મહિના (અગ્યાર) પસાર કર્યા. ત્યારે તે સમયે સુદૃષ્ણાનો ભાઈ કીચક દાસી એવી માલિનીને જોઈને કામમોહિત થયેલો વિચારે છે. અહો ! આ શું લક્ષ્મી છે ? કે શું સરસ્વતી છે ? કામદેવની પત્ની રતિનું અનુકરણ કરનારી એટલે કે રતિ જેવી સૃષ્ટિમાં પહેલી આવી વિધાતાએ બનાવી છે. તેને જોઈને મોહિત થયેલા એવા તેણે કોઈક દૂતીને તેની પાસે મોકલી. તે દૂતિકાએ પણ માલિની પાસે આવીને આ પ્રમાણે કહ્યું : “હે સખી ! દાસી માલિની, તું ધન્ય છે. કારણ કે સુદેણાનો ભાઈ કીચક રૂપમાં કામદેવની ઉપમા જેવો તને મળવા માટે ઇચ્છે છે. તેને અંગમાં કામદેવરૂપી તાવ હેરાન કરે છે, તે તારા શરીરના સંગમથી જ શમશે.” હે કલ્યાણી ! અમૃતરસની કુંભ જેવી તારા સંગથી તેને ખુશ કર. તારા જેવી જ મનુષ્ય પર કૃપા કરનારી હોય છે. તે સાંભળીને ક્રોધિત થયેલી દાસી માલિનીએ તે દૂતિને કહ્યું : “રે તિ! નિશ્ચિત આ કીચક મૃત્યુ પામશે. મારા શ્રાપથી ભસ્મીભૂત થશે.” જો આ તારું સ્વરૂપ અર્થાત્ તારી આ વાત મારા પતિઓ જાણશે તો તારું જીવવાપણું નહિ રહે. કદાચ તે પણ જીવિત નહિ રહે. એ પ્રમાણે માલિનીથી અત્યંત ક્રોધિત થયેલી દૂતિકા પોતાને ઘેર આવી ગઈ. પછી કરમાઈ ગયેલા મુખવાળી દૂતિએ તિરસ્કારાદિ બધું કીચકની પાસે જઈને કહ્યું કે : “આ માલિનીએ તમે કહેલું કહ્યા પછી મને ગળાથી પકડીને કાઢી મૂકી. તેથી હું રૂદન કરતી તમારી પાસે આવી છું. તે સાંભળીને કંઈક આપીને તેણીને (દૂતિને) પોતાના સ્થાને મોકલી દીધી. ફરી કીચકે દ્રૌપદી માટે ઘણા ઉપાયો કર્યા, પરંતુ માલિનીએ તેનું કહેલું કંઈ પણ માન્યું નહિ. તેથી અત્યંત કામથી વિહ્વલ બનેલા તે કીચકે કમલિનીને જેમ હાથી સૂંઢમાં લે તેમ જતી એવી માલિનીને એકાંતમાં હાથથી પકડી. કીચકે પકડેલી તે માલિની તે કીચકનો કઠોર વચનથી અત્યંત તિરસ્કાર કરે છે. જે દુરાત્મ! શા માટે મરણની ઇચ્છા કરે છે. ખરેખર મારા પતિના હાથના પ્રહારથી તું મરણને પામીશ. એવી માલિનીની વાણી સાંભળીને ક્રોધિત થયેલો હાથ છોડીને જતી એવી તેણીની પીઠ પર લાત વડે પ્રહાર કર્યો. કીચકના મારથી તેણી રાજાની સભામાં આવીને જોરથી રડે (પોકાર કરે) છે. હે રાજેન્દ્ર ! તમારા જેવાનું રાજ્ય (શાસન) હોવા છતાં દુરાત્મા કીચક મને લાત વડે મારે છે. જેના શરણે રહ્યા હોય તેનાથી ભય હોય તો રક્ષક કોણ થશે ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy