SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૦ રિ૪૧) પાંડવ ચરિત્રમ્ વિરાટ દેશના રાજા મત્સરાજાએ તે પુરુષને બોલાવીને પૂછ્યું : “હે મહાત્મા ! તમે કોણ છો?” તેણે કહ્યું: “હું પાંડવોનો ગોકુલના અધિપતિ વલ્લવ નામનો બધાય ગોવાળીયાનો નાયક છું. ગાયના ગર્ભાધાનને જાણું છું. તેના શરીરના લક્ષણ, રોગની ચિકિત્સા ઇત્યાદિ બધું જ હું જાણું છું.” એ પ્રમાણે વલ્લવનું કહેલું સાંભળીને આનંદિત થયેલા હૃદયવાળા એવા તેને ગોકુલનો અધિપતિ બનાવ્યો. વળી એક દિવસ વિદેશી વેશ પહેરેલી, આશ્ચર્યકારી, રૂપ લાવણ્યથી લક્ષ્મીસમ શોભતી, કામદેવની પત્ની રતિના રૂપને અનુસરનારી એટલે (રતિના રૂપ જેવી) દાસીને અનુસરનારી (દાસી જેવી) સુષ્માએ (રાજા-રાણીના) ઘરની નજદીકમાં જતી (ફરતી) જોઈ, કુતૂહલવાળી બનેલી રાજપત્ની સુદેષણાએ તેને બોલાવી, તેણી પણ આવી. રાજપત્નીને નમસ્કાર કરીને તેની પાસે બેઠી રાજપત્નીએ તાંબૂલ આપવા પૂર્વક કહ્યું : “હે સુભાગી ! તારી આકૃતિ રાજપત્ની જેવી દેખાય છે, તો તું પગે ચાલવાપૂર્વક વિદેશમાં કેમ ભમે છે ? તું કોણ છે ? કોની પત્ની છે ?” તેણીએ કહ્યું : “પાડુ રાજાની પુત્રવધૂની માલિની નામની હું દાસી છું. દ્રૌપદીનું સ્નાન, શરીરની માલિશ, લેપન, વાળની અંબોડા રૂપે ગૂંથણી આદિ કાર્ય કરતાં આટલા દિવસ સુખપૂર્વક પસાર કર્યા છે. દુર્યોધનની સાથે જુગાર રમતાં પત્ની સાથે રાજ્ય હારી ગયેલા તે પાંડવો વનમાં વાસ કરતાં ફરે છે (રહ્યા છે). દુરાત્મા દુર્યોધનને છોડીને કૃતનિશ્ચયી તેઓ દ્રૌપદીની સાથે વનવાસ માટે નીકળી ગયા. તેણી પણ પતિની સાથે વનમાં ગઈ. ત્યાંથી વિખૂટી પડેલી હું તમારી પાસે આવી છું.” પછી સુષ્માએ કહ્યું: “હે સુન્દરી ! મારી પાસે સુખપૂર્વક તું અહીંયા જ રહે. તને અહીંયા સુખ પ્રાપ્ત થશે. પરંતુ જો તને મત્સ્યરાજા જશે તો મને ત્યજીને તારી સાથે રહેશે.” દ્રૌપદી ફરી બોલી : “હે સુન્દરી ! તમારે આ ચિંતા છોડી દેવી. કારણ કે આ નગરમાં નાટ્યકાર એવા મારા પાંચ પતિઓ છે, તે વિદ્યાથી આત્માને અદશ્ય રાખનારા અને ગર્વરૂપ પર્વતવાળા તેઓ મને સહાય કરશે. તેઓના પ્રભાવથી મને કોઈપણ કંઈ કહેવાને માટે સમર્થ નથી.” તે સાંભળીને ખુશ થયેલી સુષ્મા તે માલિની નામની દાસીને સુંદર વસ્ત્ર પહેરાવીને સુવર્ણના આભૂષણથી શોભિત કરીને પોતાની પાસે રાખી. સુદેષ્ણાની દાસી બનેલી એવી તે પણ સુદેણાના શરીરની સેવા કરે છે. મુખવાસરૂપ પાનના બીડાને ચાવતી, અંબોડો કરવાના સમયે પુષ્પો વડે બનાવેલી સુંદર માળાને તેમાં ગૂંથતી. અને તે તે પ્રકારના સુગંધી પદાર્થો વડે અંગ પર વિલેપન કરતી રાજપત્નીની દાસી અખંડ આનંદ પામે છે, આપે છે. ૧. વલ્લવ = ગોકુલનો અધિપતિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy