SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૨૪૦) સર્ગ - ૧૦ પછી મસ્યરાજાએ ભરાવદાર, મહાત્રિત, પાડા જેવા સ્કંધવાળો સાક્ષાત્ પર્વતના શિખર જેમ આગળ બેઠેલા ભીમને જોઈને પૂછ્યું: “હે મહાત્મન્ ! તમે કોણ છો?” તેણે કહ્યું: “હું યુધિષ્ઠિર રાજાનો વલ્લવ નામનો રસોઈયો છું. હું રસોઈ અને મલ્લયુદ્ધ જાણું છું. યુધિષ્ઠિર મને દરરોજ મલ્લની સાથે ક્રીડા કરાવતા, વિચરતા એક દિવસ દુર્યોધન સાથે રાજ્ય હારી જતાં વનવાસ ચાલ્યા ગયા. હું આપને વિશેષ પ્રકારે કલાને જાણનારા જાણી આપની સેવા માટે આવ્યો છું.” વિરાટ રાજાએ તે વલ્લવને પણ સોનાના ઢગલા વડે સન્માન કરીને શ્રેષ્ઠ રસોઈયા રૂપે સ્થાપિત કર્યો. પછી મોટા નટનું અનુકરણ કરનારા (નૃત્ય કરનારા) વસ્ત્ર પહેરેલા અંબોડામાં વેણી નાખેલી, ખભાને અડતા કાને કુંડલવાળી, આંખોમાં અંજન આંજેલી, અદ્ભત રૂપવતી નારીને જોઈને વિરાટ રાજાએ પૂછ્યું : “હે સુભ્ર ! તું કોણ છે ?” તેણીએ કહ્યું : “હું નારી નથી, હું પુરુષ પણ નથી. હે રાજેન્દ્ર, હું મોટો નટ છું, નપુંસક છું. હે રાજન્ ! કર્મની પ્રકૃતિ મોટી છે (કર્મની ગતિ ન્યારી છે). બધી કલામાં પાર પામેલો હોવા છતાં પણ સંસારમાં કિંમત વગરનો છું. કારણ કે મારાથી કંઈ સિદ્ધ થતું નથી.” પુરુષ કાર્ય કે સ્ત્રીનું કાર્ય સ્ત્રીવેશને ધારણ કરીને પૃથ્વી પર વિચરું છું. યુધિષ્ઠિરનો નાટ્યાચાર્ય રાજ્યનું ભૂષણ થયો. અર્થાત્ યુધિષ્ઠિરના રાજ્યનો ભૂષણરૂપ હું નાટ્યાચાર્ય હતો. તે બૃહત્ નટને સુવર્ણ રાશિ વડે સંતોષીને અંતઃપુરમાં લઈ ગયા અને પોતાની કુમારી ઉત્તરાને ભણાવવા (નૃત્ય શીખવાડવા) માટે તેને સોંપી. એક દિવસ હાથમાં ચાબૂક અંગ પર પરિકરથી બંધાયેલો હાથ અને પગ પર વાળ વિનાના માર્ગમાં કોઈક પુરુષને જોઈ રાજાએ કહ્યું : “હે મહાપુરુષ ! તમે કોણ છો ?” તેણે કહ્યું: “હું યુધિષ્ઠિર રાજાના ઘોડાનો શિક્ષક છું. મારું નામ તંત્રપાલ છે.” અશ્વોના લક્ષણ હું જાણું છું. બધા પ્રકારની ચિકિત્સા જાણું છું, ઉંમર જાણું છું, ઘોડાને ચલાવવાનું જાણું છું. રાજાએ કહ્યું છે તંત્રપાલ! તારી આકૃતિ જ જણાય છે કે તું વિદ્યવાન છે. કહ્યું છે કેઃ ઘડો પરિપૂર્ણ ભરેલો છે. તે તેની ભીનાશ કહે છે. એમ કહીને પરીક્ષા કરીને રાજાએ પોતાના ઘોડાનો નેતા (શીખવાડનાર) બનાવ્યો. તેવી જ રીતે એક દિવસ હાથમાં વાંસની લાકડીવાળો વૃષભના સ્કંધવાળો, મહાબાહુ ધરનારો, વિશાલ છાતીવાળો, ગોવાળીયાના વેશને ધરનારો, માથા પર ફેંટો બાંધેલો એવા પ્રકારના એક પુરુષને મત્સ્યરાજાએ જોયો. ૧. વલ્લવ = (ભીમ) રસોઇયો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy