SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૯ પાંડવ ચરિત્રમ્ ૨૩૬ થયું છે. કારણ કે હું સૌધર્મ દેવલોકમાં રહેનારો વાસવવલ્લભ નામનો દેવ છું. ધર્મ પાલનમાં આગળ, તપ–નિયમમાં દત્તચિત્ત એવા તમારા ઉપર કરેલા કૃત્યા રાક્ષસીના ઉપસર્ગને અવધિજ્ઞાનથી જાણીને તેને દૂર કરવા માટે હું ત્વરિત તમારી પાસે આવ્યો હતો. પછી મેં કૃત્રિમ સેના વિકુનિ તમારી પ્રિયાનું હરણ કરીને ચાબૂકના પ્રહારના વ્હાનાથી મંદાર=કલ્પવૃક્ષના ફૂલની માળાથી તેને પૂજી હતી. આ સરોવર પણ મેં બનાવેલું હતું. બીજા લોકોને અમૃત જેવો આનંદદાયક તમારા વિશે વિષતુલ્ય પાણી પણ મેં કર્યું હતું. પછી હું ભીલ્લ પણ થયો હતો. તમોએ પણ ઘણું દુષ્કર્મ ભોગવ્યું છે, હવે થોડું જ બાકી છે. તમારા તપના પ્રભાવથી આ બધી સહાય મેં કરી હતી. કારણ કે નિકાચિત કર્મને ખપાવવા માટે તપ જ પ્રભાવશાળી છે. હવે મને સ્વર્ગમાં જવા માટે અનુજ્ઞા આપો.’’ યુધિષ્ઠિરે કહ્યું : ‘‘હે દેવેશ ! તમે સુખપૂર્વક સ્વેચ્છાએ સ્વસ્થાનમાં જાઓ. ફરી પણ અવસર આવ્યે છતે અમને સહાય કરજો.” દેવે પણ કહ્યું : ‘અવસરે આવીશ, એમ કહીને પોતાના સ્થાનમાં ગયો. સૂર્ય પણ અસ્તતાને પામ્યો.' હવે પાંડવોએ દુર્યોધનની ઇર્ષ્યાને વિચારતા સુરોચન બ્રાહ્મણનું દુશ્ચરિત્ર અને કૃત્યાએ કરેલું કષ્ટ વિચારતા અને દેવનું સૌજન્ય ચિંતવતા તે રાત્રિ અર્ધ ક્ષણની જેમ પસાર કરી દીધી. હવે સાત દિવસના ઉપવાસવાળા તે પાંડવોને જોવા માટે સૂર્ય પૂર્વ સમુદ્રમાંથી શીઘ્ર બહાર નીકળ્યો. તે જાણે તેઓને પારણા માટે પ્રાર્થના કરતો હોય તેમ પોતાના કિરણરૂપી હાથ વડે વારંવાર સ્પર્શ કરતો લાગતો હતો. હવે વન સંબંધી ધાન્ય, ફલ અને શાક વડે દ્રૌપદીના હાથથી બનાવેલી રસોઈ વડે કુન્તીએ પોતાના પુત્રોને પારણાને માટે નિમંત્રણ આપ્યું. પછી સાત દિવસના ઉપવાસવાળા તે પાંડવો સુપાત્રદાનને આપવાની ઇચ્છાથી આ પ્રમાણે વિચારે છે. મનુષ્ય જન્મમાં તેનો જન્મ ધન્ય છે કે જેઓને પારણાના અવસર પર સાધુનો સંયોગ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે પાંડવો વિચારતા હતા, તે સમયે નજીકમાં ઉતરેલા સાર્થમાંથી સાક્ષાત્ ધર્મની મૂર્તિ જેવા ચરણ મૂકવા થકી પૃથ્વીને પાવન કરતાં સુચરિતસૂરિના શિષ્ય ધર્મઘોષ નામના મુનિ માસક્ષમણના પારણે તેઓની પાસે આવ્યા. તે તપોધનને જોઈને હર્ષ ભરાયેલા, ખીલેલા રોમાંચથી અંકિત થયેલા શરીરવાળા તે પાંચેય પાંડવોએ અસન, પાન આદિ આહારનો સમૂહ મુનિની આગળ મૂકીને આ પ્રમાણે ચિંતવ્યું. અહો ! અમારૂં ભાગ્ય આજે ફળ્યું. કારણ કે આવા પારણાના આવેલા અવસર દિને આવા જંગલમાં આ સાધુનો સમાગમ થયો છે. અર્થાત્ સાધુ આવી ગયા. ઇત્યાદિ ભાવના ભાવીને નિર્દોષ યોગ્ય (કલ્પનીય) આહારના ભાજનોને લાવીને બધાય સામે ઉભા રહ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy