SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૯ ૨૩૫ પાંડવ ચરિત્રમ્ આ શું કરશે ? એ પ્રમાણે જ્યાં ચિંતવ્યું ત્યાં જ પિતાના જેવો સ્નેહથી ભીંજાયેલા મનવાળો તે જ ભીલ્લા નાવની અંદર તૈયાર થઈને બેઠો. રાક્ષસીઓથી પરિવરેલી તે રાક્ષસી પણ આવી. તમને મૃત્યુ પામેલા જોઈ વિલખી થઈને જતી રહી. પછી કૃત્યા રાક્ષસીએ બીજી રાક્ષસીને કહ્યું: દુરાત્મા એવા બ્રાહ્મણે મોકલેલી એવી હું મરેલા પાંડવોને કેવી રીતે હણું ?” એવા કૃત્યના વચન સાંભળીને ભીલ્લ બોલ્યો : હે પિંગલે ! તારા જેવીને મૃતકનો સ્પર્શ અમંગલ કરનાર થશે. આ સરોવરનું વિષ જેવું પાણી પીને મૃત્યુ જ પામેલા છે, તેમાં જરાય સંશય નથી. હે ચંડી ! હે કૃત્યે ! જો એઓમાં થોડું પણ જીવિતપણું હશે તો તેઓ નિશ્ચિત શત્રુનો ક્ષય કરનારા થશે, પરંતુ મૃતકોનું ભક્ષણ કરનારા શિયાળ, કૂતરાદિ હોય છે. આથી તને છેતરનારા, ઠગનારા બ્રાહ્મણ સુરોચનનો નાશ કર. જેથી કરીને ફરી આ પ્રમાણે ઠગનારો ન બને. એ પ્રમાણે ભીલનું કહેલું સાંભળીને ક્રૂરકર્મ કરનારી રાક્ષસી આકાશમાર્ગે ચાલી ગઈ. તમારી પાસે આર્યા કુન્તી આવી છે. તમને મૃત્યુ પામેલા જોઈને અત્યંત રડી રહી છે. હું પણ રુદન કરું છું. તેટલામાં નાગરાજે આપેલું કાનમાં રહેલું કમળ જોઈને નાગરાજે કહેલું વચન સ્મરીને યાદ કરીને) મેં આર્યા કુન્તીને કહ્યું : “હે માતા ! મારા કાનમાં રહેલુ કમળ વિકસ્વર દેખાય છે. તેથી નિશ્ચય થાય છે કે મારા પાંચેય પતિ જીવિત જ છે. કોઈપણ કારણે મૂર્છા આવી ગઈ છે.” આથી હે માતા ! તમારા પુત્રોના શત્રુઓ માટે કંઈક પ્રતિકાર વિચારીએ આ પ્રમાણે બોલતી એવી મને કૃપાળુ ભીલે ક્યાંયથી આવીને કહ્યું : “રાજાના કંઠને વળગી રહેનારી હે ભદ્રે ! ચિંતા કર નહિ.” સરોવરના પાણીમાં રાજાના કંઠમાં રહેલી રત્નમાલાને નાખીને પતિઓ પર છાંટી, તેના વચનને મનમાં ગ્રહણ કરીને તમને પાણી વડે સિંચ્યા અને તમારા જીવવાપણાના કારણે મારા મનોરથો ફળ્યા છે. યુધિષ્ઠિરે કહ્યું: “હે પ્રિયે ! જેણે આપણા પર ઉપકાર કર્યો છે તે ભીલ્લ ક્યાં છે?” એ પ્રમાણે પ્રિયાને વારંવાર કહીને યુધિષ્ઠિરે બધી જ દિશાઓમાં નજર નાખી, પરંતુ ક્યાંય ભીલ્લા દેખાતો નથી, સરોવર નથી. તે વટવૃક્ષ નથી અને ભીલ પણ નથી. માત્ર પોતાની ઝૂંપડીની પાસે પરિવાર સાથે યુધિષ્ઠિરે પોતાને જોયા. તેથી ચિંતવે છે, શું આ ઈન્દ્રજાલ છે ? અથવા દેવ નિમિત્ત મારો પ્રતિભ્રમ છે ? અથવા શું મારો મતિમોહ છે ? ઇત્યાદિ યુધિષ્ઠિર જ્યાં ચિંતવે છે, તેટલામાં દિવ્ય વસ્ત્ર ધરનારો કોઈક દેવ યુધિષ્ઠિરની સામે પ્રત્યક્ષ થયો) આવી ઊભો રહ્યો. આશ્ચર્યથી વિકસ્વર મુખવાળા યુધિષ્ઠિરને તે દેવે કહ્યું : “હે વિશ્વભરાધીશ ! તમે જે એકચિત્તથી જૈન ધર્મ આરાધ્યો છે, તેનું આ માત્ર ફૂલ (પાંખડી) છે. મારાથી તમને સુખ પ્રાપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy