SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૨૩૪ | સર્ગ - ૯ આ તમારા ભાઈઓ શીત સરોવરના પતનથી ફરી ચૈતન્યતાને પામશે. તમે ત્યાં જઈને ત્યાં સુધી સ્વપત્નીનું રક્ષણ કરો. કારણ કે મહાપુરુષને પત્નીનું રક્ષણ ન કરવાથી કલંક લાગે છે. તે ભીલ્લના આવા વચન સાંભળીને ક્રોધથી બળતો યુધિષ્ઠિર પાણી પીને વેગથી દોડતા ભાઈની સમીપે તે પણ પડી ગયા. ત્યારે તે પાંચ પાંડવોને તેવી મૂર્છા આવી હતી. જેથી તેઓને વિદ્યાધરોએ મૃત્યુ પામ્યા છે, એવો નિર્ણય કર્યો. તે મૂર્છાના સમયે તે પાંડવોના દુઃખથી પશુઓએ પણ ઘાસ વગેરે ખાવાનું છોડી દીધું. પછી ક્ષણાંતરે તે પાંડવોએ સમસ્ત પ્રાણીઓના આનંદ સાથે નયનોને ખોલ્યા. પછી કમળપાત્રમાં પાણી લઈને રત્નમાલા વડે પવિત્ર કરેલ પાણી વડે ચારે બાજુ સિંચતી અને પોતાના કપડાના પાલવના છેડાથી પોતાના પતિને વિંઝતી (પવન નાખતી) બધાય પાંડવોએ પોતાની આગળ પોતાની પત્ની દ્રૌપદીને જોઈ અને તેવી રીતે અશ્રુથી ભરાયેલી આંખવાળી માતાને પણ જોઈ. પછી તે પાંચેય પાંડવો માતા અને પત્નીની સાથે તે સરોવરના કાંઠે એક વૃક્ષની નીચે બેઠા અને પરસ્પર વાતો કરવા લાગ્યા. યુધિષ્ઠિરે પ્રિયા દ્રૌપદીને કહ્યું : “હે પ્રિયે ! તારું અપહરણ કરનાર તેવા તે પાપીઝે તને શું કર્યું? તે ક્યાં ગયો? તે કહે.” દ્રૌપદીએ તે બધાની આગળ આ પ્રમાણે કહ્યું: “હે પ્રાણનાથ ! તમો પાણી પીવા માટે ગયા, ત્યારે તે પાપીષ્ઠ મને મૂકીને ક્યાં ગયો તે હું જાણતી નથી ? તે સેના પણ ક્યાં ક્યાં ગઈ? તે પણ જોઈ નથી, પરંતુ એકલી અટુલી હું તે વનમાં અહીં તહીં ભટકતી જંગલી પશુઓના ભયંકર અવાજોને સાંભળતી ભયથી વિદ્વલ બની.” ત્યાં કોઈ ભીલે શીઘ આવીને મને કહ્યું: “હે ભદ્ર ! મારી સાથે ચાલ. જેથી હું તારા પતિ એવા પાંચેય પાંડવોને બતાવું.” તું એકાકી આ નિર્જન વનમાં કેમ ફરે છે ? એમ કહીને તે ભીલે મને અહીં લાવીને મૂકી. વળી પુણ્યવાળો એવો તે ભીલ કુન્તીને પણ અહીંયા લાવ્યો. પછી તે બીજે જતો રહ્યો અને સાસુ સાથે મેં તમને મૃતપ્રાયઃ જોયા. તેથી ઘણી દુઃખી થયેલી હું કોઈ દેવને યાદ કરું છું. ત્યાં એકાએક મેં બ્રહ્માંડ ફાટી ગયા જેવો કિલકિલારવ સાંભળ્યો. તે સાંભળીને મેં વિચાર્યું, નિશ્ચિત આ રાક્ષસી સામે આવી રહી છે. એ પ્રમાણે જ્યાં હું વિચારું છું, ત્યાં એક રાક્ષસી દશ્યમાન થતી દેખાઈ. તે કેવા પ્રકારની તે કહે છે. શ્યામ આકૃતિવાળી, પહોળા મુખવાળી, બહાર નીકળેલા દાંતના અંકૂરથી ભયંકર લાગતી, પીળા વાળવાળી, પીળી આંખોવાળી, ગવલ મસી અને વાદળના વર્ણ જેવી, હાથમાં કાતરવાળી, ચારે બાજુ ફૂંફાડા મારતી, અસ્થિના આભૂષણથી શણગારાયેલી, આકાશમાંથી ઉતરેલી, શીધ્ર સામે આવતી જોઈને મેં વિચાર્યું, આ કૃત્યા રાક્ષસી છે, એમ મેં નિશ્ચય કર્યો. હવે પાપમાં લીન એવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy