SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૯ ૨૩૧ પાંડવ ચરિત્રમ્ બોલ્યાઃ “હે વનેચરો ! તમે પાંચેય ભેગા થઈને ઉભા રહીને શું ચિંતવો છો ? આ સ્થાનને છોડી દો, જલ્દી અહીંથી જતા રહો. અહીંયા ધર્મવતંસક રાજાનો નિવાસ (મહેલ) બનશે.” તે સૈનિકોના વચનથી ક્રોધિત થયેલો ભીમ ઉપશમભાવને છોડીને અત્યંત કોપથી કંપતો જમણા હાથમાં ગદા લઈને બોલ્યો : “રે દુષ્ટો ! કોણ એવો છે કે જે મૃત્યુ વડે જોવાયો છે. સર્વના મસ્તક ઉપર રહેલા મણિને બલાત્કારે લેવાને કોણ ઇચ્છે ? સિંહના બચ્ચાના સ્કંધ પર રહેલી કેશરાને કોણ ખેંચે છે ? સુખપૂર્વક રહેલા અહીંયા અમને કોણ દૂર કરશે ?” એમ કહીને ભીમે તે દંડને ધરનારા અગ્ર સૈનિકોને ક્રોધપૂર્વક ગળે પકડી તિરસ્કારપૂર્વક દડાની જેમ કોશ દૂર ભૂમિ પર ફેંકી દીધા. પછી ઉત્કંઠ લોકોએ જલ્દી જઈને બખ્તર પહેરેલા સૈનિકોને લાવીને અડધી પલકમાં બધા પાંડવોને ઘેરી લીધા. તે પાંડવોએ તે સૈનિકોને જોઈને ધ્યાન છોડીને સાવધાન મનવાળા થઈને પોતાના શસ્ત્રને ગ્રહણ કર્યા, પછી તે પાંચેય પાંડવો શસ્ત્રો ગ્રહણ કરીને પ્રસૂતિવાળી સિંહણથી મૃગસમૂહ નાસી જાય છે, તેમ તે લશ્કર નાસી ગયું. સેનાની પાછળ જતાં પાંડવો સેનાને હાંકતા જ્યાં દૂર જતા રહ્યા, તેટલામાં એક સુંદર આકૃતિવાળા કોઈ પુરુષે રાજલક્ષ્મીથી સંયુક્ત કુન્તી અને દ્રૌપદીના આશ્રયભૂત કુટિરમાં પ્રવેશ કર્યો, ત્યારે કુન્તી અને - દ્રૌપદીએ છ દિવસના ઉપવાસરૂપ ધર્મમાં તત્પર રહેલ તે પરપુરુષને જોઈને ક્ષોભ પામ્યા. પાંડવો દૂર ગયે છતે કુન્તી અને દ્રૌપદી એમ બંને ભયંકર વનમાં આંખો બંધ કરીને માત્ર હૃદયમાં જિનેશ્વરને યાદ કરવા લાગ્યા. તે પરપુરુષે દ્રૌપદીને બળથી હાથમાં પકડીને ઘોડા પર બેસાડીને પોતે બીજા ઘોડા પર બેસીને મોટા અવાજે પોકાર કરતી દ્રૌપદીને ઉઠાવીને અપહરણ કર્યું. હવે આ બાજુ સૈન્યને હરાવવાથી જય પ્રાપ્ત કરીને પાછા ફરતા પાંડવોએ રસ્તામાં દ્રૌપદીનું આદ (રડવાનો અવાજ પોકાર) સાંભળ્યો. તેથી ક્રોધિત થયેલા પાંચે પાંડવો પત્નીનું અપહરણ કરનારા પરપુરુષની સામે ગયા. અપહરણ કરનાર પણ સૈન્યની વચમાં આવ્યો. ફરી તે પાંડવો તે સૈન્યની સાથે યુદ્ધ કરવા લાગ્યા. અહો ! આશ્ચર્યકારી પાંડવોનું પરાક્રમ ! એક તરફ રાજાનું સૈન્ય અને બીજી તરફ પાંચ પાંડવો. તો પણ તે બલવાન એવા પાંચ પાંડવોને લવલેશ પણ ક્ષોભ ન થયો. તેની પાછળ દોડતો અર્જુન બોલ્યો કે : “હે દુરાત્મન્ ! મારી પત્નીને હરી (ઉપાડીને) ક્યાં જાય છે?” એમ કહીને તેની પાછળ બાણો છોડ્યા. સમુદ્ર જેવી તે સેનાને રવૈયાની જેમ મથી (વેર-વિખેર કરનાર) નાંખનાર અર્જુન શોભવા લાગ્યો. ત્યારે તે રાજાએ પોતાની સેનાને અર્જુન વડે હણાતી જોઈને ક્રોધથી લાલ આંખોવાળો થઈને તેને દ્રૌપદીને કેશ (વાળ) વડે પકડીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy