SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૯ આ ઘોષણા સાંભળીને પુરોહિતના ભાઈ સુરોચન નામના ક્રૂર આત્માએ લાખના ઘરમાં બળી ગયેલા ભાઈના વેરને યાદ કરતા પહને અટકાવ્યો. પછી પટહ વગાડનાર સુરોચનને દુર્યોધન પાસે લઈ ગયા. ત્યાં ઉદ્ધત થયેલા એવા તેણે પોતાની શક્તિને ખુલ્લી કરતાં કહ્યું કે : “હે રાજેન્દ્ર ! મેં પહેલા કૃત્યા રાક્ષસીને આરાધી છે. તેણી મારા કહેવાથી છ ખંડરૂપ પૃથ્વીમંડલને ખાઈ જાય છે. તેની આગળ બિચારા આ પાંડવો કેવા ? હે દુર્યોધન ! આજથી સાતમે દિવસે તારું ઇચ્છિત બધું કરશે. કારણ કે, આ પાંડવો પુરોચનના વધના કારણે મારા પર વૈરી છે. આ પ્રમાણેના સુરોચનના વચનો સાંભળીને દુર્યોધન આનંદને પામ્યો. તેને પોતાનો કૃપાપાત્ર બનાવ્યો. હવે તે સુરોચન રાજાની કૃપા પામીને ઘરે જઈને તે તે ઉપચાર થકી અને જપ, હોમાદિ કરવા વડે કૃત્યા રાક્ષસીને આરાધી. હું આ સ્વરૂપ તમને અને ભીમને કહેવા માટે આવ્યો છું.” અતિક્રૂર મનવાળો, દુષ્ટવિદ્યા સિદ્ધિ કરનારો, સુરોચન નામનો બ્રાહ્મણ ક્ષુદ્ર કાર્યમાં કૃત્યાને પ્રવર્તાવનારો પ્રાણના સંદેહ કરનારો થશે. એ પ્રમાણે કહીને નારદ મુનિ પોતાના સ્થાને ગયે છતે ભીમે કહ્યું : “હે બંધુઓ ! આ હું ગદા લઈને કૃત્યારાક્ષસીની સામે જઈને આ ગદા વડે તે ક્ષુદ્ર કૃત્યા રાયસીને ચૂરી નાંખીશ. વળી તેના ઝીણા ઝીણા ટુકડા કરીને દશે દિશારૂપી વધૂઓને બલી આપીશ.” યુધિષ્ઠિરે ભીમને કહ્યું : “હે બંધુ ! તારામાં બધું જ છે, પરંતુ રાક્ષસ જાતિ અતિ શુદ્ર, વિવિધ પ્રકારે કપટ કરનારા, અદશ્ય રહી વૈરને લેનારા, બલવાનથી પણ જીતવા માટે અશક્ય છે, તે કૃત્યાને ધર્મથી જીતવી, બીજી કોઈ રીતથી નહિ જીતાય.” વળી યુધિષ્ઠિરે કહ્યું : “હે બંધુઓ ! બધાએ પણ ધર્મમાં યત્ન કરવો, એવી યુધિષ્ઠિરની આજ્ઞાને હૃદયમાં ધારીને ચાર પ્રકારના આહારનું પચ્ચખાણ કરીને સાત દિવસ સુધી પંચપરમેષ્ઠિના સ્મરણ કરતાં ધ્યાનમાં પોતાની ઝૂંપડીના આંગણમાં ઉભા રહ્યા (કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા).” ક્યારેક ગોદોહિકા આસને રહ્યા, ક્યારેક ઉભડક આસને, ક્યારેક વિરાસને બ્રહ્મચર્યના પાલન કરતાં ઇન્દ્રિયો પર કાબૂવાળા લઈને રહ્યા. એ પ્રમાણે પાંચ પાંડવોએ કમે કરીને છ દિવસો પસાર કર્યા. અર્જુને એક પગે ઉભા રહીને એક ચિત્તે નમસ્કાર મંત્રના ધ્યાન વડે છ દિવસ પસાર કર્યા. કુન્તી અને દ્રૌપદીએ પણ છ દિવસ અરિહંતના ધ્યાન વડે પસાર કર્યા. ત્યાના ઉપસર્ગની રાહ જોતાં પાંચ પાંડવો શસ્ત્રો તૈયાર કરીને સાતમે દિવસે પરમેષ્ઠિના સ્મરણમાં તત્પર બનેલા ધર્મધ્યાનમાં રહ્યા. હવે ધર્મધ્યાનમાં રહેલા પાણ્ડપુત્રો (પાંવો) ઉiટડીના કંઠના રોમરાજીના રંગ જેવું રેતીના કણનું પૂર જોયું. તે ધૂળના કણોથી વ્યાપ્ત સમાપ્ત આકાશ થઈ ગયું. પછી વાદળો સમૂહની જેમ હાથીનું સૈન્ય સામે આવ્યું ને પછી તેઓએ આકાશમાં છલાંગ મારતું ઘોડાઓનું સૈન્ય જોયું. હાથમાં વાંસની લાકડીઓવાળા દ્વારપાલો જેવા કેટલાક મનુષ્યો પાંડવોની નજીકમાં આવીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy