SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૯ (૨૨૯. પાંડવ ચરિત્રમ્ ભીમ માતાની આગળ લઈ ગયો. ત્યારે ક્રોધથી લાલ આંખોવાળા જયદ્રથે પણ ભીમને કહ્યું : “હે વૃકોદર ! હે પીનોદર ! પરાક્રમના ગર્વરૂપ પર્વત ! હે વિવેકહીન મારું એક વચન સાંભળ !” બાંધેલી આ પાંચેય ધૂમકેતુ જેવી શિખા (ચોટલી) નિશ્ચિત તમારા પાંચેયના મૃત્યુનું કારણ બનશે. તેનું આવું વચન સાંભળ્યા વિના નિર્ભયપણે આવીને ભીમ અને અર્જુન મોટા ભાઈ યુધિષ્ઠિરને મળ્યા. જયદ્રથને છોડી દીધા પછી તે પાંડવો જયદ્રથનું ચરિત્ર જોઈને પરસ્પર એકબીજા હાસ્યને કરતા સુખપૂર્વક દિવસો પસાર કરતા વિચરે છે. એક વખત તે વનમાં પાંડવ પાસે નારદ ઋષિ આવ્યા તે પાંડવોએ નારદ મુનિને સન્માનપૂર્વક આસન આપવાપૂર્વક વિનંતિ કરી. હે મુને ! તમે કયા કારણે આ વનમાં આવ્યા છો ? પાંડવોએ પૂછતાં ખુશ થયેલા નારદ મુનિએ કહ્યું : “હે પાંડવો ! તમોએ છોડી મૂકેલો દુષ્ટ દુર્યોધન અડધે રસ્તે પહોંચ્યો. સાંકળ (બંધન)થી પોતાના ભાઈઓના ઘસાયેલા પગ જોઈને કર્ણ, દુઃશાસનાદિ બંધુઓને બોલાવીને તેણે આ પ્રમાણે કહ્યું, આ પાંડવો મારા શત્રુઓ છે. તેને કઈ યુક્તિ વડે હણાય ?' ત્યારે કર્ણે કહ્યું: “હે રાજેન્દ્ર ! ચિત્રાંગદ વિદ્યાધર પાસેથી આ પાંડવોના કહેવાથી તું મુક્ત થયો છે. આથી હવે આપણી પાસે કોઇ પણ ચીજની ખામી ઓછાશ નથી. તેથી કરીને આ પાંડવો સાથે વિરોધને કર નહિ.” ધૃતરાષ્ટ્ર પણ આમ બોલ્યા : “હે પુત્ર દુર્યોધન ! આ યુધિષ્ઠિરે વિરોધી હોવા છતાં પણ અર્જુન થકી ચિત્રાંગદ પાસેથી તને છોડાવ્યો છે. આજ મોટું સુકૃત (પુણ્ય)નું કાર્ય છે. પ્રાયઃ કરીને સજ્જનો આવા પ્રકારના હોય છે. તું દુર્જન બન નહિ. વિરોધને છોડ અને સ્નેહને ધાર, ચાલ હસ્તિનાપુર જઈએ.” હવે કર્ણે કહ્યું: “હે દેવ ! હૃદયમાં ઉગ ન કરો. યુદ્ધમાં ઘણા શૂરવીરો જીવે છે અને બીજાથી પરાભવ પામે છે, તેવી રીતે તમારો ભાઈઓથી થયેલો છૂટકારો યાદ ન કરવો. કારણ કે આપત્તિને યાદ કરતાં તે પગલે પગલે દુઃખને કરે છે, આપે છે. એ પ્રમાણે કર્ણ કહે છતે ત્યાં છાવણીના બધા રાજાઓ ભેગા થઈને દુર્યોધનને સમજાવીને (બોધ આપીને) હસ્તિનાપુર લઈ ગયા. તે નગરમાં જવા છતાં લજ્જાથી પણ ક્રીડા ઉદ્યાનમાં પર્વતાદિઓમાં ક્રીડા કરતો નથી, પરંતુ લજ્જાળુ થઈને સૂઈને ઘણા દિવસો પસાર કર્યા.” એક દિવસ પ્રધાનમંત્રીએ ઉત્સાહિત કરેલા તેણે હસ્તિનાપુરની શેરી, મહોલ્લામાં આ પ્રમાણે પડહ વગડાવ્યો. યથા જે કોઈ શક્તિશાળી અસ્ત્રો અને શસ્ત્રો વડે, મંત્ર અને તંત્ર વડે સાત રાત્રિમાં એટલે કે સાત દિવસોમાં પાંડવોને હણશે. તેમને ખુશ થયેલો દુર્યોધન તેમને સુંદર હાથીઓ સાથે અર્ધ રાજ્ય આપશે. એ પ્રમાણે તેણે ઘોષણા કરાવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy