SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૨૨૮ સર્ગ - ૯ એક દિવસ અર્જુને જયદ્રથને પૂછ્યું: “તું અહીંયા શા માટે આવ્યો છે?” તેણે કહ્યું: “હું લગ્ન કરવા માટે ગયો હતો, પાછા વળતાં આ વનમાં તમે છો, એમ જાણીને મળવા માટે સામે આવ્યો છું. તે સાંભળીને હર્ષ પામેલા અર્જુને તેનો ઘણો સત્કાર કર્યો.” તેની સાથે એકમેક થઈને ક્રિીડાવનમાં ફરે છે. એ પ્રમાણે ઘણા દિવસો પસાર કરીને એક દિવસ પાંડવો વનમાં ગયે છતે સીતાને જેમ રાવણ લઈ ગયો હતો, તેમ જયદ્રથ દ્રૌપદીને રથમાં બેસાડીને જલ્દી અપહરણ કરી ગયો. અહો ! પાપીઓને પાપની સંખ્યા હોતી નથી, મેઘની ધારાની સંખ્યા હોતી નથી, આકાશમાં તારાની સંખ્યા હોતી નથી, સમુદ્રમાં માછલાની સંખ્યા હોતી નથી, મેરૂપર્વતમાં સુવર્ણની સંખ્યા હોતી નથી, માતામાં સ્નેહની સંખ્યા હોતી નથી, સર્વજ્ઞમાં ગુણની સંખ્યા હોતી નથી, આકાશમાં પ્રદેશની સંખ્યા હોતી નથી, જીવની ભૂતકાળના ભવની સંખ્યા હોતી નથી, સત્પાત્રના દાનમાં પુણ્યની સંખ્યા હોતી નથી, તેવી રીતે દુર્જનમાં દોષની સંખ્યા હોતી નથી. સારી રીતે પોષેલો પણ દંડક સાપ સજ્જનને પણ સે છે. જયદ્રથ વડે હરણ કરાઈ લઈ જવાતી (ઉપાડી જવાતી) તે દ્રૌપદી પાંચેય પતિના નામ બોલતી ઉંચા સ્વરે રડે (આક્રંદ કરે) છે. તેથી તે પાંડવોએ દુઃખે કરીને સાંભળી શકાય તેવું રૂદન સાંભળ્યું. ત્યારે નજીકમાં રહેલા ભીમ અને અર્જુન ક્રોધથી લાલ થયેલા તેની સામે દોડ્યા. તે ભીમ અને અર્જુનને દોડતા જોઈને કુન્તીએ કહ્યું: “હે વત્સ ! જયદ્રથના જીવનનું રક્ષણ કરજો.” અર્થાત્ જયદ્રથને હણશો નહિ. તમારી બહેન દુઃશલ્યા વિધવા ન થાઓ. અર્થાત્ દુઃશલ્યા વિધવા ન થાય તેમ કરજો. સિંહથી સસલા જેમ તર્જિત થાય છે તેમ. ભીમ અને અર્જુન વડે ભાગતો જયદ્રથ તાડન કરાયોતિરસ્કાર કરાયો. હે દુરાત્મા ! તું ક્યાં જાય છે ? જો તારામાં પુરુષત્વ (તાકાત) હોય તો તૈયાર થા. જો પુરુષત્વ ન હોય તો દ્રૌપદીને છોડીને તારા સ્થાનમાં જા. એ પ્રમાણે ભીમ અને અર્જુન વડે પડકારાયેલો જયદ્રથ લશ્કરથી પરિવરેલો ભયંકર યુદ્ધ માટે અત્યંત સામે આવ્યો. પરાક્રમી ભીમે પોતાનું બાહુબળ બતાવ્યું. તે આ પ્રમાણે : ગદારૂપ સ્તંભને વજની જેમ ઉછાળતા ભીમે પર્વત જેવા હાથીઓને ચારે બાજુ નીચે પાડી નાખ્યા. એ પ્રમાણે ભીમ અને અર્જુને સૈન્યને મથી નાખતાં (વેરવિખેર કરી નાખતાં) અર્જુને પોતાના ખેસ વડે ચોરની જેમ બાંધ્યો અને પછી ભીમના ભાથામાંથી અર્જુને બાણને લઈને જયદ્રથના મસ્તકને પાંચ શિખાવાળું (પાંચ ચોટલી બને તેવું) કર્યું. દ્રૌપદીને હાથો વડે પકડીને આગળ કરીને આ પ્રમાણે કહ્યું: “તારું અપહરણ કરનાર જયદ્રથ ચોરને માતાના વચનથી (આદેશથી) મેં જીવતો મૂક્યો છે.” એ પ્રમાણે વિલંબિત થયેલા જયદ્રથને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy