SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચિરત્રમ્ ૨૨૭ એ પ્રમાણે પર્વત જેવા ગર્વવાળા દુર્યોધનને ખેચરો (વિદ્યાધર) ઉપાડીને યુધિષ્ઠિર પાસે લઈ ગયા, ત્યારે વેગથી કુન્તીએ આવીને અખંડ ચોખા વડે દુર્યોધનને વધાવ્યો. ઇર્ષ્યાભાવથી દુર્યોધન ન નમવા છતાં પણ વેગપૂર્વક યુધિષ્ઠિર રાજા બે હાથ વડે પકડીને ભેટી પડ્યા. સર્ગ - - ૯ આ સજ્જનનો સ્વભાવ છે. કહ્યું છે કે બીજાના હિતમાં મગ્ન સજ્જન પુરુષ વિનાશ કાળે પણ વિકૃતિને પામતા નથી. છેદવા છતાં ચંદન વૃક્ષ કુહાડાના અગ્રભાગને સુગંધવાળું (સુગંધિત) કરે છે. દુર્જનના વચનરૂપ અંગારાથી દાઝયો હોવા છતાં આર્ય (સજ્જન) પુરુષ કટુવચન બોલતો નથી. અગરૂ (ધૂપ) બાળવા છતાં પણ સ્વાભાવિક ગુણ સુગંધ આપવાનો છે, તે છોડતો નથી. મહાન પુરુષ સંતાપવા છતાં પણ હિતને કરનાર થાય છે. અહિત કરતા નથી. જુઓ, ગરમ કરેલું દૂધ રોગને દૂર કરનારૂં થાય છે. ઇત્યાદિ દુર્યોધન દુષ્ટ હોવા છતાં પણ સ્વભાવથી સજ્જન હોવાથી રાજા યુધિષ્ઠિરે બોલાવ્યો. સજ્જન પુરુષો આવા જ હોય છે. પોતાનો સજ્જનતાનો સ્વભાવ છોડતા નથી. દુર્યોધનને મૌન જોઈ યુધિષ્ઠિરે કહ્યું : “હે વત્સ ! તું ઉદ્વિગ્નની જેમ કેમ દેખાય છે? તેજસ્વીઓને પણ શું દુર્દશા નથી આવતી ? જેમ રાહુ ગ્રહે છતે સૂર્ય અને ચંદ્રમા શું વિલખા થતાં નથી ? હે વત્સ ! દુર્યોધન ! તું નિજસ્થાનમાં જા. અનાથ થયેલી પ્રજા હમણાં ઘણી સિદાય (દુઃખી) છે” એ પ્રમાણે ઘણી રીતે બોલી, સમજાવીને પુષ્પ, ફલ વગેરેથી અત્યંત સત્કાર કરી દુર્યોધનને વિદાય આપી, જેનું મુખ પડી ગયું છે, એવો તે પણ લજ્જાથી નીચું મુખ કરી પૃથ્વીને જોવાની ઇચ્છાવાળાની જેમ નીચું મુખ કરીને ઉભો રહ્યો. હવે તે ચિત્રાંગદ ચંદ્રશેખર આદિ વિદ્યાધરો યુધિષ્ઠિરની આજ્ઞાથી અર્જુનની પ્રશંસા કરતા પોતપોતાને સ્થાને ગયા અને યુધિષ્ઠિરે વિદાય કરેલ સ્વસૈન્યથી પરિવરેલો દુર્યોધન પણ પોતાના સ્થાનમાં ગયો. હવે તે દુર્યોધનના સૈનિકો દુર્યોધનના પરાક્રમને નીંદતા અને અર્જુનના પરાક્રમની પ્રશંસા કરતાં હસ્તિનાપુર ગયા. એક દિવસ તે દ્વૈતવનમાં સુખપૂર્વક રહેલા પાંડવોની દૃષ્ટિમાં યુધિષ્ઠિરના મસ્તક ઉપર પ્રસરેલી (આકાશમાં ઉડતી ધૂળ) જોવામાં આવી. પછી તે પાંડવોએ શસ્ત્ર સહિત પાયદળવાળું સંકુલ, હાથીઓ સાથે ઘોડાઓના સમૂહથી ચારે બાજુ શોભતું એક સૈન્ય સામે આવતું જોયું. તે સૈન્યમાંથી કુન્તીના જમાઈ જયદ્રથ, દુઃશલ્યાના પતિએ સામે આવીને કુન્તીને નમસ્કાર કર્યા, કુન્તીના આશીર્વાદ અને સત્કારપૂર્વક કેટલોક કાળ પાંડવોએ આનંદપૂર્વક ત્યાં રાખ્યો. માતાની આજ્ઞાથી અર્જુન જયદ્રથને નિત્ય દિવ્ય રસોઈ જમાડે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy