SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૨૨૬) સર્ગ - ૯ પણ દુર્લભ જે તમારો મહેલ છે, તેને પણ તેણે ભોગવીને ધૂળથી ભરી દીધો છે, એવા વનરક્ષકના અને નારદના વચન સાંભળીને ક્રોધથી લાલ આંખવાળો એવો હું પરિવાર સહિત દુર્યોધનને હણવા માટે ઉત્સુક થયેલો હું દોડ્યો તે પહેલાં આ દુર્યોધન યુધિષ્ઠિર પર મલિન મનવાળો થયો. એક આ અપરાધ તેવી રીતે એ જ દુર્યોધને મારા ક્રીડાવનનો નાશ કર્યો, એ બીજો અપરાધ, આથી હું યોદ્ધો (બહાદુર) છું. એ પ્રમાણે માનતા ભાઈઓ સાથે બેડીથી જકડાયેલા ગળામાં સાંકળ નાંખેલા એવા દુર્યોધનને હું નહિ છોડું.” આ બધું નજીકમાં રહેલા દુર્યોધને પોતાનું બધું ચરિત્ર કાન વડે સાંભળ્યું. ડરી ગયેલો દુર્યોધન વિચારે છે, નિશ્ચિત આ ચિત્રાંગદ વિદ્યાધર ભાઈઓ સહિત મને હણશે. તેટલામાં અર્જુને ચિત્રાંગદને કહ્યું: “હે ચિત્રાંગદ ! દુર્યોધનને છોડી દે. કારણ કે મારા ભાઈ યુધિષ્ઠિરે દુર્યોધનને છોડાવવા માટે મને મોકલ્યો છે. આથી તેને છોડી દે. કારણ કે મહાપુરુષો શરણે આવનાર પર વાત્સલ્યવાળા હોય છે. એની પત્ની ભાનુમતિએ મારા ભાઈ પાસેથી પતિની ભીક્ષા માંગી છે, તેથી તું એને છોડી દે.” પછી આ વાણી સાંભળીને દુર્યોધને ચિંતવ્યું. હા ! વિધાતા (નસીબ)ને ધિક્કાર હો. ફરી ફરી જે ઘા પર મીઠું ભભરાવે છે. કારણ કે અર્જુન વારંવાર આ પ્રમાણે કહે છે : આ વિદ્યાધર જો મને હણી નાંખે તો શ્રેષ્ઠ, પરંતુ યુધિષ્ઠિર દ્વારા મારો છૂટકારો એ મને ઘણો લાવંત કરાવશે, શરમિંદો બનાવશે. પછી ચિત્રાંગદે કહ્યું: “હે અર્જુન ! યુધિષ્ઠિરે કહેલું હું કરીશ. કારણ કે તે મારા પૂજ્ય વડીલ છે. તેમના વચન શિર પર રહેલી પુષ્પમાળાની જેમ સુંદર છે.” એ પ્રમાણે કહીને ચિત્રાંગદે ભાઈઓની સાથે દુર્યોધનને બંધનથી મુક્ત કર્યો (છોડ્યો). તે પછી અર્જુન ચિત્રાંગદ, દુર્યોધનાદિ બધાય એક વિમાનમાં બેસીને પરસ્પર ક્રીડા કરતાં બધાય વિદ્યાધરો દ્વતવનમાં યુધિષ્ઠિરની પાસે આવી ગયા; તેથી તે યુધિષ્ઠિરાદિ બંધુઓ વિકસ્વર મુખવાળા વિદ્યાધરના વિમાનથી આવરાયેલા જય પ્રાપ્ત કરેલા અર્જુનને જોઈને બધાય આનંદને પામ્યા. ભાનુમતિ પણ પ્રિય (પતિ) એવા દુર્યોધનને જોઈને અત્યંત હર્ષને પામી. હવે તે બધાયે વિમાનથી ઉતરીને યુધિષ્ઠિરને નમસ્કાર કર્યા. પરંતુ પડી ગયેલી ખરાબ શિલાની જેમ અભિમાનના કારણે દુર્યોધન તેવી જ રીતે ઉભો રહ્યો અર્થાત્ ગર્વના કારણે તેવી જ રીતે ઉભો રહેલો હજાર ભારવાળો વાસુકી નાગ ક્યારે પણ ગર્જના (ફૂંફાડા) કરતો નથી. વિંછીમાં તૃણમાત્ર ઝેર હોવા છતાં પણ કંટકને ઉંચો કરે છે, ડંખ આપે છે. દરિદ્રના ત્યાગ વડે શું? પાપી એવા કુલીન વડે શું? કંજુસના સંતોષ વડે શું? અભિમાનથી અંધ પંડિત વડે શું? તે વિદ્યા છે જે મદને હણે છે, તે લક્ષ્મી સાર્થક છે, જે વાચકોને અપાય છે. તે બુદ્ધિ છે, જે ધર્મને અનુસરનારી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy