SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૯ ૨૨૫) પાંડવ ચરિત્રમ્ છો.?” એ પ્રમાણે કહીને તીક્ષ્ણ બાણો વડે તે બંને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. એ પ્રમાણે આગળનું સૈન્ય પરસ્પર યુદ્ધ કરતે છતે શસ્ત્ર ઉઠાવેલા એવા અર્જુનને જોઈને દુર્યોધન ચિંતવવા લાગ્યો. ખરેખર આ આવેલો અર્જુન મને છોડાવશે, પરંતુ આ મને મોટું દુઃખ કરનારૂં થશે. કારણ કે - બંદી (કેદીખાનામાંથી અર્જુને મને છોડાવ્યો છે, મૃત્યુથી પણ અધિક હૃદયના મર્મને નિત્ય દુઃખ કરનારૂં થશે. એવી ચિંતામાં પડેલા દુર્યોધન પાસે ક્ષણવારમાં જ અર્જુન સામે આવ્યો. તેટલામાં દુર્યોધનના બંદિકારક (પકડનાર) વિદ્યાધર રાજા ચિત્રાંગદ અર્જુનને જોઈ બાણો ત્યાગીને ભૂમિને સ્પર્શવા વડે જ્યાં ચરણોમાં પડ્યો, તેટલામાં અર્જુને બે હાથ વડે પકડીને ચિત્રાંગદને સ્નેહથી ભેટી પડ્યો. પછી ચિત્રાંગદ અર્જુનને સિંહાસન પર બેસાડીને પોતે ભૂમિ પર બેઠો. હવે અર્જુન પૂછે છે : “હે ચિત્રાંગદ ! તું શા માટે અહીંયા આવ્યો છે, તારે દુર્યોધન સાથે વિરોધનું શું કારણ છે?” ચિત્રાંગદે કહ્યું : “વિદ્યાને શીખવાડીને તારાથી વિદાય અપાયેલો એવો હું મારી નગરી પ્રતિ ચાલવા માંડ્યો. રસ્તામાં મને નારદ મળ્યા, હું તેના ચરણે પડ્યો.” આશીર્વાદ આપીને તેમણે કહ્યું : “હે ચિત્રાંગદ ! તું ઘણા લાંબા કાળે કેમ દેખાયો ? મારું મન તમને મળવા માટે અત્યંત ઉત્સુક થયું હતું.” હે મુનિન્દ્ર ! હું ઇન્દ્રકલ પર્વત પર આદિદેવને નમન કરવા ગયો હતો. ત્યાં ભલ્લ અને અર્જુનનું યુદ્ધ સાંભળીને તેને જોવા માટે હું રથનૂપુર ગયો હતો. તે અર્જુનને જોતાં હું મારા ભાઈઓને ભૂલી ગયો. તેની પાસે મેં શસ્ત્ર અભ્યાસ કર્યો. એ પ્રમાણે બીજા પણ સો જેટલા ઇન્દ્રપુત્રાદિ વિદ્યાધરો તે અર્જુનના શિષ્યો બન્યા. અર્થાત્ તેઓએ અર્જુનનું શિષ્યત્વ સ્વીકાર્યું. તે અર્જુનના સર્વ શિષ્યોમાં હું જ પ્રિય છું. તે અર્જુનને થોડા જ દિવસોમાં તે સર્વે શિષ્યોને શસ્ત્ર શાસ્ત્રના પારગામી બનાવ્યા. પછી અર્જુન ઈન્દ્રને જણાવીને પોતાના ભાઈઓને મળવા માટે ગયો. હું પણ તેનાથી રજા પામેલો ઘણા લાંબા કાળે મારી નગરીમાં જાઉં છું. હે અર્જુન ! એ પ્રમાણે મેં નારદને કહ્યું, ફરી નારદે મને કહ્યું : “હે ચિત્રાંગદ ! તારા ગુરુને હણવા માટે ભાઈઓની સાથે સૈન્ય લઈને દુર્યોધન આવ્યો છે, તેને પાછળથી ગુરુનો શોક ન થાય તે માટે વર્તમાન કાળે (હમણાં જ) તેઓનો પ્રતિકાર ચિંતવ.” એ પ્રમાણે હું નારદ સાથે વાર્તાલાપ કરતો હતો. તેટલામાં મારા ઉદ્યાનપાલક (માળી) એવા વિદ્યાધરે આવીને ક્રોધરૂપ અગ્નિમાં લાકડા હોમવા જેવી વાત કહી. હે દેવ ! તે દ્વૈતવનની નજીકમાં ક્રીડા વન છે, ત્યાં વિરોધી (શત્રુ)ની જેમ દુર્યોધને ઉપદ્રવ કર્યો છે, તમારી રાણીઓએ પણ જે વૃક્ષના કોમળ પાન તોડ્યા નથી, તે વૃક્ષોના સમૂહને ટુકડા ટુકડા કરી ફેંકી દીધા છે; જે વનને તમે સિંચી સિંચીને (પાણી પાઈ પાઈને) પુત્રની જેમ લાડ લડાવતા પાલન કર્યું છે, તે વનને આ દુર્યોધને કેળના વૃક્ષની જેમ તોડી તોડીને ટુકડા કરી વેરાન કરી નાંખ્યું છે. વળી તે વનમાં મરકત મણીના સ્થંભવાળો સ્ફટિક પત્થરથી નિર્માણ કરાયેલો જે તમારો મહેલ છે, તેના પણ રક્ષકોને હણીને તે દુર્યોધન ત્યાં રહ્યો છે (કલ્પે કર્યો છે). દેવોને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy