SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ ૨૨૪. સર્ગ - ૯ પતિને યુધિષ્ઠિર વિના બીજો કોઈ છોડાવી નહિ શકે. આથી તું એક યુધિષ્ઠિરનું શરણ ગ્રહણ કર. ધર્મવાન તે યુધિષ્ઠિર તારા પતિએ કરેલા અપકાર યાદ નહિ કરે. તું ત્યાં જલ્દી જા, કારણ કે પોતાની નગરીમાં લઈ જવાની ઇચ્છાવાળા એ વિદ્યાધર તારા પતિને સાથે લઈને જશે તો તેમાં સારૂં નહિ થાય.” એ પ્રમાણે કહીને ભીખે મને મોકલી છે. હે દેવ ! હે બુદ્ધિનિધાન, હવે જે યોગ્ય લાગે તે કરો. હે ગુરુકુલશ્રેષ્ઠ ! આમાં હાનિ કે શોભા તમારી જ થશે, એવા ભાનુમતિના વચનો સાંભળીને જ્યાં દ્રૌપદી કંઈક બોલવાને માટે તૈયાર થઈ, ત્યાં ભીમે બોલતા રોકેલી તે મૌન રહી. ભીમ બોલ્યો : “હે પ્રિયે ! તારા વાળને ખેંચવા થકી જે પાપ લાગ્યું હતું તે પાપ દુર્યોધનને આજે જ ઉદયમાં આવ્યું છે. તારા જોતાં જ દેવે વૈર વાળ્યું છે.” એ પ્રમાણે કહીને ભીમ મૌન રહેતાં રાજા બોલ્યો : “હે ભાનુમતિ ! મારા ભાઈ દુર્યોધનને આ કેવું દુઃખ આવી પડ્યું છે ? હવે તું ચિંતાને કર નહિ. મારા ભાઈને હું છોડાવીશ.” એવા વચન વડે વહુ ભાનુમતિને આશ્વાસન આપીને યુધિષ્ઠિરે એકાંતમાં જઈને ભીમને અને દ્રૌપદીની સામે જ અર્જુનને કહ્યું : પાપી એવા કોઈપણ વિદ્યાધરે દુર્યોધનને બાંધીને પકડ્યો છે. હે વત્સ ! જલ્દી જા અને ભાઈ દુર્યોધનને છોડાવ. ભીમે કહ્યું : “ઝેર આપનાર, પાણીમાં ડૂબાડનાર, જુગાર રમનાર, વાળ ખેંચનાર આદિ શત્રુના અપકારો કેમ ભૂલી જાઓ છો !” રાજા યુધિષ્ઠિરે કહ્યું: “હે વત્સ ! મારા નાના ભાઈનો પરાભવ તે મારો જ પરાભવ છે.” તેઓ સો છે, આપણે પાંચ છીએ. જ્યાં સુધી પરસ્પર વૈર છે, ત્યાં સુધી, પરંતુ બીજા વડે પરેશાની થતાં આપણે એકસો પાંચ (૧૦૫) છીએ. તો હે વત્સ અર્જુન ! તું જા, બંધનથી આપણા ભાઈને છોડાવ, ભાઈ પર ઉપકાર કરવાનો આવો અવસર ક્યારે ફરી પ્રાપ્ત થશે? મોટા ભાઈ યુધિષ્ઠિરની આજ્ઞા મેળવીને અર્જુને વિદ્યા દ્વારા વિદ્યાની અધિષ્ઠાયિકા દેવી વડે ઈન્દ્રની પાસે સેનાની યાચના કરી, તે જ ક્ષણે ઇન્દ્ર કોટિ સુભટોના સંકુલવાળા સ્વસૈન્યને મોકલ્યું અને તેનાથી પરિવરેલો તે ચંદ્રશેખર ત્યાં આવી ગયો અને પછી ઇન્દ્રના વિમાનમાં વિદ્યાધરના સૈન્યથી પરિવરેલા ચંદ્રશેખરની સાથે અર્જુન બેસી આકાશ માર્ગે માર્ગમાં ચાલ્યો, ત્યારે રસ્તામાં અર્જુનના સૈનિકોએ બાંધેલા બખ્તરવાળા સુભટોથી શોભતા સામે આવતા પોતાની આગળ વિદ્યાધરના સૈન્યને જોયું. તેની વચ્ચે પોતાના નાના ભાઈઓ સાથે દુર્યોધનને સૈન્યથી ઘેરાયેલો જોઈને અર્જુન તે સૈન્યની સામે દોડ્યો. અર્જુનના સૈન્ય (સૈનિકોએ) કહ્યું : “હે વિદ્યાધરો ! અર્જુનના ભાઈ દુર્યોધનને પકડીને તમે ક્યાં જાઓ છો ? તમારી પાછળ આ અર્જુન આવ્યો. તે અધમ વિદ્યાધરો, તમે ક્યાં જાઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy