SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૯ ૨િ૨૩). પાંડવ ચરિત્રમ્ વિદ્યાસથી પણ તે ચિત્રાંગદ બલવાન હોવાથી કર્ણ વિદ્યાધરની સાથે યુદ્ધ કરવા માટે દોડ્યો. બંને જણા નાના હાથવાળા, બંનેય સમાન વયવાળા, બંનેય વિદ્યાના બલથી ગર્વવાળા વનના બે હાથીની જેમ લડવા લાગ્યા. ત્યારે કૃષ્ણ કહ્યું : “હે વિદ્યાધરના રાજા, આજે તારૂં બાહુબલ અને વિદ્યાબલને બતાવ.” તે વિદ્યાધર પણ બોલ્યો : “હે કર્ણ ! જો તું પરાક્રમ વડે અર્જુનની સાથે સ્પર્ધા કરે છે, તે તારું પરાક્રમ આજે જણાશે.” એ પ્રમાણે કહીને તે બેઉ પરસ્પર બાણો નાંખવા લાગ્યા. તે બેઉનું સુભટોને ગમતું મહાયુદ્ધ થયું. વિદ્યાધરેન્દ્ર મર્મભાગમાં કર્ણને મારતા તેનું સૈન્ય કર્ણ સહિત નાસી ગયું. કર્ણના સૈન્યને નાસતું (છૂટું પડી ગયેલું) જોઈને તમારા ભાઈ વિદ્યાધર પર ક્રોધિત થઈ સમસ્ત બંધુઓ સાથે પોતાને વીર માનતા યુદ્ધ માટે સજ્જ થયા, ત્યારે તમારા ભાઈને અખર્વ ગવરૂપ પર્વત જાણીને વિદ્યારે કહ્યું : “હે સુયોધન ! તારો આ બલનો મદ કેવો ? અથવા શું લક્ષ્મીનો મદ છે ? કારણ કે અમારા ઉદ્યાનને વિલુપ્ત કરે છે (ઉજ્જડ કરે છે). વળી અમારા દિવ્ય ભવનમાં સ્વેચ્છાપૂર્વક ક્રીડા કરે છે.” એ પ્રમાણે બોલતા વિદ્યાધરે તીક્ષ્ણ બાણો વડે તમારા ભાઈને હણ્યા છે, તે બાણોના ઘાત વડે જ જર્જરિત થયેલા તમારા ભાઈને સો ભાઈઓ સાથે વિદ્યાધરો બાંધીને પોતાના આવાસમાં લઈ ગયા છે. બધાયને પગમાં બેડી નાંખીને પછી બધાયને સાંકળ વડે બાંધીને તડકામાં રાખેલા અત્યંત દુઃખકારી વ્યથાને સહે છે. પતિ અને દેવરોના દુઃખને જોઈને તેવી દશા (સ્થિતિ)ને સહન નહીં કરી શકવાથી આ પ્રમાણે આક્રંદ કરતી જોરથી રડતી રણક્ષેત્રમાં આવી છું. પછી મેં જયદ્રથને કહ્યું : “હે જયદ્રથ ! તારૂં શૌર્ય ક્યાં ગયું, હે બૃહત્ બલ ! ક્યાં તારૂં બલ? હે કલિંગેશ, તમને જરા પણ લજ્જા નથી આવતી ?” કારણ કે તમારી આગળ આ મારા સ્વામિને બેડી વડે બાંધીને તડકે મૂકીને દુઃખ આપે છે. તે બધાય આ મારું વાક્ય સાંભળીને લજ્જા વગરના અને કંઠ સુધી આવી ગયેલા પ્રાણોવાળા બધી દિશામાં નાસી જઈને દુઃખકારી માર્ગને પકડ્યો. પછી તે વિદ્યાધરો તમારા ભાઈને બેડીઓ નાંખીને ભાઈઓ સાથે વિમાનમાં બેસાડીને આમતેમ અહીં તહીં ભમીને ફરી પોતાના સૈન્ય સાથે પાછા આવ્યા. તમારા ભાઈઓ જાતે લજ્જાથી અધોમુખ થયેલા વિલખા થઈ પૃથ્વી પર રહ્યા છે. બાણીના ઘા વડે જર્જરિત થયેલા તેવા પ્રકારના તમારા ભાઈ કર્ણ પોતાની જાતને જીવતો છતાં મરેલો માને છે. દૂત મુખથી આ પ્રમાણેનો વૃત્તાંત સાંભળીને ભીષ્મ, દ્રોણ અને કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્રને શીધ્ર રાજ્ય સોંપીને જાતે જ અહીંયા આવ્યા છે. મને રોતી જોઈને મોટા પિતા (બાપા) ભીખે ગદ્ગદ્ કંઠે કહ્યું : “હે વત્સ ! તું રડ નહિ. આવા પ્રકારની ભવિતવ્યતા કે જેથી મેં ના કહેવા છતાં પણ અહીંયા આવીને આવા પ્રકારના સંકટમાં પડ્યા, ભાવિને કોણ ટાળી શકે છે. હે વત્સ ! તારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy