SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૨૧૮ સર્ગ - ૮ એ પ્રમાણે રાક્ષસ આદિ દુષ્ટ દેવતાઓ પણ તેઓની સેવા કરે છે. એમ કરતાં રાત્રિ ચાલી ગઈ. તેઓનો પ્રભાવ જોવા માટે સૂર્ય ઉદયાચલ પર ઉદય પામ્યો. સૂર્યોદયથી એક પ્રહર (ત્રણ કલાક) થતાં સરોવરના મધ્યમાંથી મોટી જ્યોતિ પ્રગટ થઈ. તે જ્યોતિના મધ્યભાગમાંથી એક ઘૂઘરીના અવાજથી મધુર સુવર્ણ યુક્ત સ્થંભથી શોભિત વિવિધ પ્રકારના રત્નથી જડેલું સુવર્ણ શિખરથી રમણીય દેવવિમાન બહાર આવ્યું. તે વિમાનને જોવા માટે સરોવરે પણ કમળના બહાનાથી જાણે કોટીશ નેત્રો વિકસ્વર કર્યા ન હોય તેવું લાગતું હતું. સરોવરના કાંઠે વિમાનથી ઉતરીને પાંચ પાંડવોએ આપત્તિના સમુદ્રને પાર પામ્યા હોય તેવી રીતે કુન્તીના ચરણકમલમાં નમસ્કાર કર્યા, તેઓની સાથે આવેલા કોઈક દિવ્યમૂર્તિ સમાન પુરુષે કુન્તીને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું : “હે કુન્તી ! તમને જૈન ધર્મ ફળ્યો છે. આ વિનયવાળા તારા પાંચેય પુત્રો નમસ્કાર કરે છે, તે સાંભળીને ધ્યાનથી ખૂલી ગયેલા નેત્રોવાળી કુન્તીએ કાઉસગ્ગ પારીને કોમળ હાથો વડે પોતાના પુત્રોને વારંવાર સ્પર્શ કર્યો. તે કુન્તીએ દ્રૌપદીને હાથમાં લઈને કાઉસ્સગ્ગ છોડાવ્યો.” તેથી બંનેને સુખી જોઈને જંગલી પશુઓ પણ પાણી પીને સ્વયં ત્યાંથી ચાલ્યા ગયા. પછી પરિવાર સહિત કુન્તી કોઈ એક કેસરવૃક્ષની નીચે વિકસ્વર મુખવાળી થઈને બેઠી. પછી તે કુન્તીએ તે દેવને પૂછ્યું: “હે દેવેશ ! તમે કોણ છો ? શું કારણ બન્યું છે, જેથી અહીં તમે આવ્યા છો?” તેણે કહ્યું: “તમને સહાયક બનવા માટે ઇન્દ્ર મને મોકલ્યો છે, હું હરિણીગમૈષી દેવ છું.” ફરી કુન્તીએ કહ્યું : “તો આ પુત્રોને આટલા સમય સુધી કોને રોક્યા ? શા માટે રોક્યા? તે કહો.” દેવે પણ કુન્તીને કહ્યું: “હે કુન્તી ! કોઈ મુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થવાથી ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થયું. તેથી ઈન્દ્ર વિમાનમાં બેસીને આ માર્ગથી જતા હતા. આ પ્રદેશમાં તમારા ઉપરથી જતા તે સૌધર્મનું વિમાન અલનાને પામ્યું. તેથી ક્રોધિત થયેલા ઇન્દ્ર મોટા અવાજે રોક્યું અને કહ્યું કે મરવાની ઇચ્છાવાળા એવા કોણે મારા વિમાનને રોક્યું છે ? જે હોય તે મારા સમક્ષ હાજર થાય, તેનો ગર્વ હું આ વજ વડે હણી નાખીશ.” એ પ્રમાણે કહેતા ઇન્દ્ર મહારાજે વજને ઉછાળતા સર્વ દિશામાં દષ્ટિ નાખવા માંડી. તેટલામાં તમને બેઉને કાઉસ્સગ્નમાં રહેલા જોઈને ઇન્દ્ર સમીપ રહેલા મને કહ્યું : હે હરિણીગમૈષી ! આ પાંડવોની માતા કુન્તી છે. આવી વિપત્તિમાં પણ તેમનું સમ્યક્ત અત્યંત દઢ અને નિર્મળ રહ્યું છે અને તેમનું મન પાપરૂપી અંધકારને દૂર કરનાર તીર્થ સમાન છે. આ પાંડવોની પત્ની દ્રૌપદી છે. જેના પતિવ્રતા વ્રતનો અભૂત મહિમા છે. તે બેઉ વિયોગથી દુઃખી છે. માટે તું ત્યાં જઈને પાંડવોનો વિપત્તિથી ઉદ્ધાર કર. જેથી તે બંનેના મનોરથ પૂર્ણ થાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy