SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૮ ૨૧૯ પાંડવ ચરિત્રમ્ જેથી મારું વિમાન માર્ગમાં ચાલે. આ કુન્તી મારા સાધર્મિક બેન છે. પાંડવોની પત્ની પણ શીલ પ્રભાવથી અતિશય મહિમાવાળી બની છે, એઓને આપત્તિથી બચાવ જ, એઓને જે ઇચ્છા હોય તે પૂરી કર.” (મનોરથ) આ નાગરાજનું સરોવર છે. આ નાગરાજ સરોવરને ડહોળવા માટે કોઈ જ સમર્થ નથી અને તે નાગરાજ બીજાઓએ ડહોળેલું સહન કરી શકતો નથી. કમળોને માટે દ્રૌપદીની પ્રાર્થનાથી કૌતુકથી પ્રવેશેલા ભીમને નાગલોકોએ ખેંચ્યો. પછી ક્રમે કરીને ચારે ભાઈઓએ તે તે સરોવરમાં પ્રવેશ કર્યો. દુષ્ટ આશયથી તે નાગ લોકોએ નાગપાસથી તેઓને બાંધીને નાગપતિની આગળ લઈ ગયા. એ પ્રમાણે મને ઇન્દ્ર કહ્યું છે અને અવધિજ્ઞાનથી પણ મેં જાણ્યું છે. તે કુન્તી ! જેવું જાણ્યું છે, તેવું મેં તમારી આગળ કહ્યું છે. ઇન્દ્ર મને કહ્યું કે : “હે હરિણીગમૈષીનું ! તું નાગરાજ પાસે ત્યાં જઈને તેઓને છોડાવ. તે પણ પાડુપુત્રો છે, એમ જાણીને છોડશે.” તેથી હું ઇન્દ્રના આદેશથી નાગરાજની પાસે ગયો. ત્યાં દઢ બંધનથી બંધાયેલા લજ્જાથી નીચા મુખવાળા શોકથી દુઃખી, અશ્રુથી ભરાયેલી આંખવાળા તારા પુત્રોને મેં જોયા. પછી તેવા પ્રકારના તારા પુત્રોને નાગરાજે પણ જોયા. નાગ લોકોએ નાગરાજને વિનંતી કરી, હે નાગેન્દ્ર ! આ પુરુષોએ કમળના બહાનાથી નલિનીના શિર (ટોચ)ને છેદ્યા છે. તેવી રીતે તેઓએ સરોવરના પાણીને ગંદુ કર્યું છે ઇત્યાદિ ઘણા અપરાધ કર્યા છે. આથી તેઓ વધને યોગ્ય છે, એવા નાગલોકોના વચન સાંભળીને નાગરાજ મૌન રહ્યા. તેટલામાં હરિણીગમૈષી એવો હું ત્યાં પહોંચ્યો. મેં કહ્યું કે: “હે નાગરાજ! આ પાંડવો છે, જેનું નામ ત્રણ જગતમાં વિખ્યાત, પ્રસિદ્ધ છે. આ તેઓનો ભૂલથી કરેલો અપરાધ છે. આથી કંઈ પણ ક્રોધ ન કરશો. મને પણ તેઓને છોડાવવા માટે સૌધર્મેન્દ્ર મોકલ્યો છે, માટે હું તારી પાસે આવ્યો છું. હવે તેઓને છોડી દે. જલમાં રહેલા જલજંતુઓ જેમ પકડે તેમ તારા આ સેવકોએ કપટથી શસ્ત્ર વિનાના એવા તેઓને પકડ્યા છે. એવી મારી વાણી સાંભળીને નાગરાજે જાતે ઉઠીને નાગપાશથી બંધાયેલા તમારા તે પુત્રોને છોડી દીધા.” પછી પોતાના આસન સમાન આસને બેસાડીને તમારા પુત્રોને બહુમાન આપ્યું અને નાગરાજે તે નાગોના દ્વારપાલને અત્યંત ક્રોધપૂર્વક ચોકીદારી કરવાની ના પાડી. પછી સંતોષ પામેલા તે નાગરાજે સ્થાવર કે જંગમ પ્રાણીના વિષયને હરનારી એક મણિની માળા આપી તથા દ્રૌપદીના કાનના આભૂષણ માટે લીલું કમળ આપ્યું અને આ પ્રમાણે કહ્યું. પાંચે ભરથારોનું આ રક્ષણ કરનારું થશે, જ્યાં સુધી ખીલેલું હશે ત્યાં સુધી ક્ષેમંકર બનશે અને જ્યારે મુરઝાઈ જશે, ત્યારે ક્ષેમકર નહિ બને. પછી નાગરાજે કહ્યું : “તમે કેટલાક (થોડા) દિવસો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy