SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૮ ૨૧૭ પાંડવ ચિરત્રમ્ તેઓ પણ આ સરોવરમાં ડૂબી ગયા તો નિશ્ચિત કોઈ પ્રાણીએ પકડ્યા છે અથવા દુષ્ટ દેવે અથવા દાનવે પાશ વડે બાંધ્યા છે. હે માત ! તમારી આજ્ઞાથી હું પણ ત્યાં જઈને તેની સાથે યુદ્ધ કરીને મારા ભાઈઓને છોડાવું છું. યુધિષ્ઠિરને કુન્તીએ કહ્યું, ‘‘હે વત્સ ! તું પણ જા. ત્યાં જઈને તારા ભાઈઓને છોડાવ. હે માત ! ત્યાં મારા ગયા પછી તારી પાસે કોણ રહેશે ?” માતાએ કહ્યું : “મારી પાસે પંચપરમેષ્ઠિ રહ્યા છે. તું સ્વસ્થ મનથી ત્યાં જઈને ચાર છે, તેમાં પાંચમો થા.” યુધિષ્ઠિરે પણ ત્યાં જઈને તેવી જ રીતે સરોવરમાં ઝંપાપાત કર્યો અથવા પડ્યો. તે પણ તે સરોવરમાં અદૃશ્ય થઈ ગયો. એમ કરતાં એક એક કરીને પાંચેય પાંડવો સરોવરમાં ડૂબ્યા. તેઓને જોઈને દુઃખી થયેલો સૂર્ય સમુદ્રના પશ્ચિમ ભાગમાં જાણે પડતો હોય તેમ ચાલવા લાગ્યો. પશ્ચિમ સમુદ્રે જઈને પાંડવોના દુઃખથી દુ:ખી થયેલો સૂર્ય મહાસમુદ્રમાં પડ્યો, ત્યારે અંધકાર છવાયો. ઘૂવડો બોલવા લાગ્યા. આગિયાઓ પ્રકાશ ફેંકવા લાગ્યા. એવા પ્રકારની રાત્રિ થયે છતે કુન્તી અને દ્રૌપદીને વચન (શબ્દ)થી કહી ન શકાય તેવું કષ્ટ (દુ:ખ) થયું. તે કષ્ટ વડે મૂર્છા પામેલા તે બંને ભૂમિ પર પડ્યા. વનના પવનથી ફરી ચેતના પામેલા વિલાપ કરવા લાગ્યા. હે વત્સો ! સ્વચ્છ મનવાળા એવા તમને આવી દુઃખકારી અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થઈ ? દ્રૌપદી આ પ્રમાણે વિલાપ કરે છે. હે પ્રાણનાથ ! તમારા વિના મારી રાત્રિ કેવી રીતે પસાર થશે, એ પ્રમાણે વિલાપ કરતી પુત્રવધૂને જોઈને કુન્તી નિવારે છે. હે વત્સ ! અત્યંત શોકથી દુ:ખી થયેલી રડવાનું છોડી દે. કારણ કે મુનિવરે પહેલાં કહેલું છે, આ પાંડવો લાંબા કાળ સુધી રાજ્ય કરશે. જીવ્યા વગર રાજ્ય હોતું નથી. આ કારણથી દુઃખનો અંત કરીને ફરી રાજ્ય પામીને રાજ્યને કરશે ઇત્યાદિ કહીને રોતી એવી દ્રૌપદીને કુન્તીએ પાછી વાળી અને દ્રૌપદીએ કહ્યું : “હે માત ! કમળ લાવવા આદિ આ બધા અનર્થ મેં કર્યા છે.’’ ત્યારે કુન્તીએ દ્રૌપદીને કહ્યું : “હે વત્સ ! તારો કોઈપણ દોષ નથી. કારણ કે ભાવીમાં જે થવાનું હોય તે કોઈથી પણ અટકાવી શકાતું નથી.” ફરી કુન્તી પોતાનો હાથ ઉંચો કરીને બોલી : ‘મારા અરિહંત એ જ દેવ, સુસાધુ એ જ મારા ગુરુ છે, તો હે સમ્યગ્દષ્ટિ દેવો ! મારા પુત્રોના વિજ્ઞોને હણી નાખો અર્થાત્ દૂર કરો.” એ પ્રમાણે કહીને અને પાંચે પરમેષ્ઠિનું : સ્મરણ કરીને હાથ લાંબા કરીને કાયોત્સર્ગ કરવા લાગી. દ્રૌપદી બોલી : “સુર કિન્નરો સંપૂર્ણ વ્યાપાર ક્રિયા છોડીને મારૂં એક વાક્ય સાંભળો. જો ચંદ્ર જેવું ઉજ્જ્વલ (નિર્મલ) મારૂં શીલ હોય તો મારા પ્રાણનાથોનું રક્ષણ (સાંનિધ્ય) કરો.” એમ કહીને તેણી જિનેશ્વરોનું ધ્યાન કરતી ડોકને ઉંચી કરેલી પૂતળીની જેમ દ્રૌપદી કાયોત્સર્ગમાં ઉભી રહી. તેના પ્રભાવથી વાઘ, સિંહ વગેરે જાતિ વૈરવાળા પશુઓ વૈર ભૂલી જઈને બધા ચારે બાજુ મંડળ કરીને (ઘેરીને) રહ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy