SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૨િ૧૬ો. સર્ગ - ૮ પછી શુભ મુહૂર્ત સકલ જ્ઞાતિના સમૂહ સાથે ઘટોત્કચ એ પ્રમાણે નામ પાડ્યું. તે આ ઘટોત્કચ તમારા ભાઈનો આ પુત્ર છે. તે જાણીને તે સ્નેહરૂપી લહેરના તરંગોવાળા બધાય પાર્ટુપુત્રોએ બાળકને પોતાના ખોળામાં લઈ અને આલિંગન આપીને વારંવાર ચુંબન કર્યા. એ પ્રમાણે તેઓ પ્રેમવાળા થયા અને યુધિષ્ઠિરે હિડંબાને પોતાના સ્થાને મોકલી. પછી ખીલતા કમળવાળા સરોવરને જોઈને જાતે તે સરોવરના કાંઠે પુલ ઉપર બેઠેલા પોતાના ભાઈઓને ભીમે સરોવરની શોભા બતાવી. દ્રૌપદીના મુખરૂપ કમળથી જાણે હારી ગયેલા કમળો લજ્જાથી સરોવરની અંદર જાણે ડૂબી ગયા છે. આ ભીમની વાણી સાંભળીને દ્રૌપદીએ કહ્યું : “કે પોતાની જમણી આંખ ફરકી રહી છે, ત્યારે બધાય પાડુઓએ વિચાર્યું, શું કોઈપણ જાતનો ઉપદ્રવ ફરી થશે ? આવશે ?” ત્યારે યુધિષ્ઠિરે તે સરોવરના પુલ ઉપર પુન્નાગ વૃક્ષની નીચે માતાના બેઉ પગને પોતાના ખોળામાં લઈને દબાવવા લાગ્યો. બીજા પાંડવો સુંદર એવી વનરાજીઓમાં દ્રૌપદી સાથે ઇચ્છા મુજબ વિચરે છે (ખેલે છે). વળી તે પાંડવો વૃક્ષો ઉપર ચડીને પુષ્પો અને ફૂલો લાવીને પ્રિયા (દ્રૌપદી)ને આપ્યા. તે પુષ્પ અને ફળો લઈને સાસુ પાસે આવીને ત્યાં પુષ્પો મૂકીને ફરી સ્વયં પુષ્પોને એકઠા કરતાં દ્રૌપદીને ખભા પર બેસાડીને મનોરથ પૂર્ણ કર્યા. તે પાંડવો પુષ્પોના આભૂષણ (હાર, વેણી વગેરે) કરીને, પ્રેમપૂર્વક પ્રિયા (દ્રૌપદી)ને પહેરાવીને આનંદ પામ્યા. તે ક્રિીડાના અવસરે દ્રૌપદીએ કેતકી ફુલના જેવા લાંબા આંખના ઇશારે (ટાક્ષે) કમળપુષ્પ લાવવા માટે ભીમને કહ્યું. ભીમે સરોવરના કાંઠે ગદા મૂકીને સમુદ્રમાં મેરૂપર્વતની જેમ કમળ લેવાને માટે સરોવરમાં પ્રવેશ કર્યો. ભીમે તરવાની ચતુરાઈ પોતાના ભાઈઓને બતાવી, એ પ્રમાણે ઘણા પ્રકારની જલક્રીડા કરીને તેણે નાલ સાથે કમળો ઉખેડી ફેંક્યા. સરોવરના કાંઠે રહેલી દ્રૌપદીએ તે પુષ્પો (કમળ)ને ગ્રહણ કર્યા. એ પ્રમાણે વારંવાર કરતાં સરોવરના મધ્ય ભાગે જઈને ભીમ પાણીની નીચે ચાલ્યો ગયો અને ક્ષણવારમાં અદૃશ્ય થઈ ગયો. ત્યાં જ દ્રૌપદીએ જોરથી બૂમ પાડી. અરે, આ શું થયું? પતિને કોઈ દુષ્ટ જંતુએ પકડેલ છે, તે સાંભળીને કુન્તીએ મોટા અવાજે પોકાર કર્યો. હે અર્જુન! અર્જુન જલ્દી દોડ. મારા પુત્ર ભીમને ખેંચ, કોઈ દુષ્ટ આશયવાળા જંતુએ મારા પુત્રને નિશ્ચિત પકડ્યો છે. એવી કુન્તીની વાણી સાંભળીને શત્રુનો નિગ્રહ કરવામાં સમર્થ અર્જુને દીપમાં પતંગિયાની જેમ જલ્દી જઈને પાણીની અંદર કૂદકો માર્યો. અર્જુને પણ તેવી જ રીતે પાણીમાં જઈને ડૂબકી મારી. ત્યારે નકુલે ચિંતવ્યું કે મારા ભાઈની શોધને માટે હું જાઉં, એમ વિચારીને નકુલે પણ તેવી જ રીતે જઈને પાણીમાં ડૂબકી મારી. એ જ કારણે સહસા સહદેવ પણ તે જ પાણીમાં પડ્યો. હા, હા, વિધિએ આ શું કરવા માંડ્યું છે. એ પ્રમાણે ચિંતવતા યુધિષ્ઠિરે કુન્તી પાસે જઈને કહ્યું: “હે માત ! મારા ભાઈને અચાનક આ શું આવી પડ્યું. કારણ કે મારા ભાઈઓ બાહુ વડે સાગરને તરવા માટે સમર્થ છે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy