SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ પાંડવ ચિરત્રમ્ ઉપેન્દ્રની પાસે લક્ષ્મીને લઈ જવા માટે ઉત્સુક અર્જુને રથરૂપ મેરૂપર્વત વડે જાણે યુદ્ધના મેદાનરૂપ સમુદ્રને મંથી નાંખ્યો ન હોય. સર્ગ - - ૮ તે અર્જુનને યુદ્ધની ભૂમિમાં આગળ વધતો જોઈને ચંદ્રશેખર વિદ્યાધર અત્યંત ખુશ થયો. આ અર્જુન ધન્ય છે, જેવું નૈમિત્તિક જ્ઞાનીએ કહેલું તેવો જ આ મહાન એક હોવા છતાં અનેક પ્રકારે દેખાય છે. પ્રત્યેક બાણોને છેદતો અર્જુન એકલો હોવા છતાં પણ તેઓને તે અર્જુન યુદ્ધભૂમિમાં જ્યાં ત્યાં ઘણારૂપે દેખાયો. જેમ તેમ છોડાયેલા બાણો તેના પ્રાણને હરનારા ન થયા, પણ અર્જુને છોડેલા બાણોએ શત્રુના બાણોને તોડી નાંખ્યા. એકત્ર થયેલા શત્રુઓને જોઈ વારંવા૨ હણતા અર્જુને ઉત્સુકતાપૂર્વક ચંદ્રશેખરને કંઈક કહ્યું : “હે ચંદ્રશેખર ! ચતુર બુદ્ધિવાળા અને યુદ્ધ કરવા માટે પરાક્રમી બાહુવાળા આ શત્રુઓ દુર્જય છે, તેથી તું ૨થ પાછો વાળ.’” તેવા અર્જુનના વચન સાંભળીને વીર શિરોમણિ ચંદ્રશેખરે કહ્યું : “હે અર્જુન ! રથને પાછો વાળ, એવા વચન તને ઉચિત નથી. તું તો અજય છે. તારી આગળ આ વશકો (કાયરો) જેવા કાગડાની જેમ દૂર નાસી જશે.” વળી અર્જુને કહ્યું : “તેં અમને જે વરદાન આપ્યું છે, તેથી તે વરદાન થકી હું તમને પ્રાર્થના કરૂં છું. મારો ૨થ પાછો વાળો, તેથી નાખુશ થયેલા ચંદ્રશેખરે તે જ ક્ષણે રથ પાછો વાળ્યો.” ત્યારે અર્જુનના રથને પાછો વળેલો જોઈને કાલકેતુ વગે૨ે શત્રુઓ જયરૂપ લક્ષ્મીમાં લપટાયેલા બધા ય એક થઈને ઘણા મુખ ૫૨ હાથ દઈને સિંહનાદને કરતા અર્જુનની પાછળ દોડ્યા. જયરૂપ લક્ષ્મીને પ્રિય માનતા મુખની આગળ મૂકેલા હાથવાળા તેઓએ યમને આહ્વાન કરનારાની જેમ એક સાથે અવાજો કર્યા. ત્યારે મોઢા પર હાથ મૂકીને શત્રુઓનું વધ્યપણું જાણીને શીઘ્ર પાછા ફરેલા અર્જુને દ્રોણે કહેલો મંત્ર સ્મરીને એકમાંથી અનેક બાણને આપનારૂં બાણ છોડ્યું. અર્જુનના તે બાણો શત્રુઓના મુખ પર લાગેલા, હાથના પંજા સાથે તાળવાને ભેદીને પ્રાણોની સાથે નીકળ્યા. એ પ્રમાણે તે શત્રુઓ અર્જુને ફેંકેલા દિવ્ય અસ્ત્ર થકી ભેદાયા, કર્કશ અધ્યવસાયથી બધાય મૃત્યુ પામીને કુગતિને પામ્યા. ત્યારે આકાશમાંથી અર્જુનના મસ્તક પર દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. તે અર્જુનનું અદ્ભુત પરાક્રમ જોઈને.' ખીલેલા કમળ જેવી આંખવાળો (આશ્ચર્ય પામેલ) ચંદ્રશેખર વિચારે છે. અહો ! અર્જુનનું માહાત્મ્ય જે એકલો હોવા છતાં ગર્વથી ઉદ્ધત થયેલા બધાય તલતાલુ વગેરે મૃત્યુને પામ્યા. પછી... ખીલેલી રોમરાજીવાળા ચંદ્રશેખરે ભાઈની પ્રીતિથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy