SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૮ ચંદ્રશેખરે કહ્યું: “જેવો વિશાલાક્ષનો અને પાડુનો પરસ્પર સ્નેહ છે, તેવો આપણા બંનેનો થાઓ.” અર્જુને કહ્યું એ પ્રમાણે તે દિવસથી લઈને તેઓ બંનેની પ્રીતિ થઈ. તેથી ચંદ્રશેખરે અર્જુનને વિમાનમાં બેસાડીને પશ્ચિમ દિશા તરફ જતાં અનેક આશ્ચર્ય બતાવ્યા. તે અર્જુન ! આ સીમાંતક પર્વત અને ગંગા નદી, આ સિંધુ મહાનદી, જેના કાંઠે કિન્નર-કિન્નરી વડે અને વિદ્યાધરી વડે તારો યશ ગવાય છે. આ ઉજ્વલ તારી યશોરાશિ સમાન વૈતાઢ્ય નામનો પર્વત આગળ રહ્યો છે. પહોળાઈમાં પચાસ યોજન, તેનાથી અડધો પચીસ યોજન ઉંચો છે. દક્ષિણ અને ઉત્તર શ્રેણીથી શોભે છે. પચાસ અને સાંઈઠ નગરથી બે બાજુ વિદ્યાધરોની શ્રેણીઓથી શોભતો એવો શાશ્વત જિનમંદિરોથી શોભી રહ્યો છે. હે અર્જુન ! આ માર્ગ રથનુપુર તરફ જાય છે. જ્યાં તારા દર્શન માટે ઉત્સુક ઇન્દ્ર નામનો વિદ્યાધરાધીશ રહે છે. વળી આ દક્ષિણ દિશાનો માર્ગ તેના શત્રુઓ પ્રતિ જાય છે. જ્યાં તલતાલવ નામના રાક્ષસો રહે છે. હવે તારી જ્યાં ઇચ્છા હોય ત્યાં જા. અર્જુને કહ્યું : “પહેલાં ત્યાં જઈએ, જ્યાં વિદ્યુમ્નાલી કાલકેતુ, તલતાલ આદિ ઇન્દ્રના શત્રુઓ છે, ત્યાં જવા માટે મારું મન ઉત્સુક છે. તેઓનો પ્રભાવ જોઈને પછી ઇન્દ્ર વિદ્યાધરને જોઈશ (મળીશ). તેથી હે ચંદ્રશેખર ! તું મને ત્યાં લઈ જા, જ્યાં તે ઇન્દ્રના શત્રુઓ છે, તેઓને હું જોઉં.” ચંદ્રશેખરે કહ્યું : “હે અર્જુન, એકલા તારા ત્યાં જવાથી શું થશે? તેઓ તો લાખોની સંખ્યામાં છે. તું તો એકલો બાહુબલવાળો ત્યાં જઈને શું કરીશ. ત્યાં ગયેલો શત્રુ સૈન્યની આગળ તું કોણ ? સમુદ્રમાં લોટની મુઠ્ઠી જેવો તું થઈશ, ત્યારે મારા મનોરથો જંગલમાં રૂદન જેવા થશે. આથી એકવાર ઈન્દ્રની પાસે જા. પછી સૈન્યવાળા ઇન્દ્રની સાથે તું સકલ સૈન્યની આગળ થઈને શત્રુના ઉચ્છેદ માટે આવ.” અર્જુન પણ ફરી બોલ્યો : “હે ચંદ્રશેખર ! આ શત્રુના લશ્કર વડે કરીને શું? જેમકે સિંહ હાથીના કુંભસ્થલને ભેદે છે, તેને શું કાંઈ પરિગ્રહ જોઈએ છે?” તે સાંભળીને ચંદ્રશેખરે ગગન માર્ગથી અર્જુનના રથને ચલાવ્યો. ક્રમે કરીને કાલકેતુપુરીની નજીક રથ પહોંચ્યો. ત્યારે તે વિદ્યુમ્માલી, કાલકેતુ વગેરે ઇન્દ્ર અર્જુનને બોલાવેલો છે, એમ સાંભળીને પરસ્પર હાસ્ય કરે છે. અહો ! અર્જુન આપણને જીતીને ઇન્દ્રને રાજ્ય આપશે. એ પ્રમાણે જ્યાં તેઓ વિચારે છે, તેટલામાં અર્જુન ચંદ્રશેખર સારથિની સાથે સુવર્ણપુરની નજીક ગયો. જ્યાં તે નિવાતકવચ નામના વિદ્યાધરો કાલકેતુ વગેરે રહે છે. અર્જુનને આવતો જાણીને બખ્તર આદિથી સજ્જ થઈને નિવાતકવચ વગેરે વિદ્યાધરો અર્જુનની સામે સંગ્રામ માટે ગયા. ત્યારે તેઓના સૈનિકોમાં ચારે બાજુથી યમના પ્રવેશના પટની જેમ રણના વાજિંત્રો વાગે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy