SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૮ ૨૦૯ પાંડવ ચરિત્રમ્ ખરદૂષણ વંશમાં ઉત્પન્ન થયેલા રાક્ષસો આ વિદ્યુમ્માલીના મિત્રો છે, તે ઘણા રાક્ષસો વિદ્યાના બલથી ગર્વવાળા, અભિમાનરૂપ પર્વત જેવા લોકો વડે તે કાલકેતુરૂપે કહેવાય છે (ગવાય છે). કહ્યું છે કે : તેઓ ઘણા બલવાન હોવાથી યમથી પણ ડરતા નથી. તેથી સર્વ લોકો વડે કાલકેતુ તરીકે ગવાય છે. તેવી રીતે તે તેલતાલવ પણ કહેવાય છે. એ પ્રમાણે તે બલવાનની સમીપે ગયેલો વિદ્યુમ્માલી દરરોજ સૈન્યથી યુક્ત રથનુપુરમાં ઇન્દ્રને ઉપદ્રવ કરે છે. તેથી ઈન્દ્ર ઉપદ્રવવાળી પોતાની નગરીને જોઈને બુધ નામના ઉત્તમ નૈમિત્તિકને પૂછ્યું: “હે નૈમિત્તિક શિરોમણે ! આ દુર્વાર-મહાબલવાન શત્રુને હું કેવી રીતે જીતું ?” જ્ઞાનવડે જોઈને કહો. નૈમિત્તિકે કહ્યું: “હે રાજેન્દ્ર ! આ તારા શત્રુઓ ઘણા બલવાન છે. અર્જુન વિના કોઈનાથી પણ જીતવાને માટે શક્ય નથી.” ઇન્ટે કહ્યું : “આ અર્જુન કોણ છે ?” નૈમિત્તિકે કહ્યું: “ઇશ્વાકુકુલના વંશવાળો, મધ્યમ પાંડવ, દ્રોણનો શિષ્ય, જગતમાં એકવીર, તેના જેવો આ લોકમાં બીજો કોઈ ધનુધારા નથી. તે હાલ ઈન્દ્રનીલ પર્વત પર છે.” એમ કહીને તે અટક્યો, ત્યારે મને નજીકમાં ઉભો રહેલો જાણીને વિદ્યાધરેન્દ્ર એવા ઇન્ટે મને કહ્યું: “હે ચંદ્રશેખર ! અર્જુનને જલ્દી અહીંયા લાવ. કારણ કે તે પુરુષરૂપ હાથી વડે શત્રુરૂપ વૃક્ષો ઉખેડી નંખાશે. કારણ કે, તેની સાથે તારું પિતા સંબંધી સૌહાર્દ વર્તે છે. પહેલાં પાડુરાજાએ ખીલે બંધાયેલા તારા પિતા વિશાલાક્ષને છોડાવ્યા હતા. આથી તું ત્યાં જઈને તેને પાછા લઈ આવ. એ હેતુથી હે અર્જુન ! તે હું તમને બોલાવવા માટે આવ્યો છું. તારું માહાસ્ય જોવા માટે આ ડુકર અને ભિલ્લરૂપ માયા મેં કરી છે. મેં તારું પરાક્રમ જોયું. તને મારા સ્વામી ઈન્દ્ર બોલાવ્યો છે. આથી જલ્દી ચાલ, મારા સ્વામી અને પિતાનું રાજ્ય અપાવ. જેવી રીતે પાડુરાજાએ મારા પિતા વિશાલાક્ષને જીવિત અને રાજ્ય આપ્યું, તેવી રીતે તું પણ ઈન્દ્રને રાજ્ય અપાવ. તે સાંભળીને અર્જુન ખુશ થયો. ફરી ચંદ્રશેખર બોલ્યો : “હે અર્જુન ! તારી આંગળીઓમાં જે મુદ્રિકા (વીંટી) છે, તે વિશાલાક્ષ અને પાડુની પ્રતિ પ્રીતિસૂચક છે. તેથી એના પ્રક્ષાલના પાણીથી અને દિવ્ય ઔષધથી પોતાના અંગ પર રહેલા ઘાને રૂઝવવાનું કર.” હવે હે પાડુપુત્ર ! પાડુની જેમ તું પણ ઉપકારને કર, ઈન્દ્ર વિદ્યાધરને તું ચરણોને પાડવાથી (પગલા પાડવાથી) સનાથ કર ઇત્યાદિ પ્રેમ બતાવનારા વચનને સાંભળીને ચંદ્રશેખર વિદ્યાધરને મોટા ભાઈની જેમ અર્જુન માને છે. અર્જુને કહ્યું : “હે ચંદ્રશેખર ! વિશાલાક્ષ તારા પિતાએ આ મુદ્રિકા (વીંટી) પાડુરાજાને આપી. પાડુએ યુધિષ્ઠિરને આપી. ભાઈ યુધિષ્ઠિરે મને આપી.” એ પ્રમાણે મારી પાસે આ મુદ્રિકા આવી છે. ૧. તાળવાનો એક ભાગ વિંધાય તે જ વખતે હાથનું તળીયું વિંધાય ત્યારે જ મરી જાય છે, તેથી તે તલતાલવ કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy