SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૨િ૦૬) સર્ગ - ૮ હવે પ્રાસાદની એક બાજુ કોઈક પવિત્ર ભૂમિ જોઈને ત્યાં આસન મૂકી(પાથરી)ને પહેલા પ્રાપ્ત કરેલી પોતાની વિદ્યા ઉપનિષદ્ અર્જુન ફરી યાદ કરવા લાગ્યો. તે અર્જુનની આગળ સ્મરણ કરવા માત્રથી જ તે જ વખતે વિદ્યા પ્રગટ થઈ. હવે અમે શું કરીએ ? એ પ્રમાણે વિદ્યા બોલીઃ “અહો ! ભક્તિથી કોણ વશ થતું નથી ?” હવે અર્જુન બોલ્યો : “હે દેવતા! યાદ કરતાં જ તારે બધા મારા કાર્યો કરવા. એ પ્રમાણે કહેવાયેલી અને અર્જુને વિસર્જન કરેલી તે બધી દેવીઓ શીધ્ર સ્વસ્થાને ચાલી ગઈ. તે ગયે છતે વચલના આહાર વડે પારણું કરીને પર્વતની શોભાને જોવાની ઇચ્છાથી વને વન વિચરવા લાગ્યો. તે અવસરે બાણથી ભેદાયેલ યમના પાડા જેવી મોટી કાયાવાળો કોઈ ડુક્કર અર્જુનની સામે આવીને પડ્યો. સામે આવી પડેલો તેને જોઈને (જાણીને) અર્જુન વિચારે છે, નિશ્ચિત આ ડુક્કર મને ખાવાની ઇચ્છાથી આવી રહ્યો છે. એમ જાણીને અર્જુન ધનુષ્યનો ટંકારવ કરતો દોડ્યો. તે અર્જુને ડુક્કરના પ્રાણને લેનારૂં બાણ છોડ્યું. તે બાણ વડે હણાયેલો ડુક્કર મૃત્યુ પામ્યો. પછી અર્જુન બાણ લેવાને માટે શુકર પાસે ગયો. તે સમયે ત્યાં કોઈ ભીલ્લ પણ આવ્યો. સુવર્ણના પિંછાથી અત્યંત સુંદર પોતાના બાણને લેતો જોઈને ભીલે કહ્યું : “હે સૌમ્ય ! તારો આચાર અને આકારમાં ફરક દેખાય છે.... કારણ કે, તારા જેવી પુણ્યમૂર્તિ ક્યાં ? અને ચોરીનું કામ ક્યાં ? વિમલ બુદ્ધિવાળા ઘાસના તણખલાની જેમ પ્રાણોને તજી દે છે, તે સારું છે. વળી ફરી આ મલિન આચારનું આચરણ તેઓને યુક્ત નથી. સદાચાર પ્રેમી પુરુષો ભ્રમરવૃત્તિનું આચરણ કરે છે. વળી ચોરી કરેલી લક્ષ્મીને લેતા નથી. અહો ! તમારા જેવા મહાન પુરુષને મારા જેવાનું વિષ લગાવેલા અને વનના પશુના લોહીને પામેલા મારા બાણને લેવાને માટે તું યોગ્ય નથી. મેં આ કુરુચંદ્રના ડુક્કરને તારો દ્રોહ કરનારો જાણી તારી રક્ષા માટે બાણથી વિંધ્યો છે. તું મારા બાણરૂપી રત્નને લેવાને માટે ઉત્સાહિત છે. તે હવે મેં જાણ્યું. હું આ ડુક્કરને હણું અને આ પુરુષનું રક્ષણ કરું. કારણ કે આને રક્ષવાથી મારો મિત્ર થશે. એવી મારી આશા દૂર થઈ ગઈ છે. પરંતુ તું મારો શત્રુ થયો. હે મહાન્ ! જો તમારા જેવા અનીતિના માર્ગમાં ચાલશો, તો ન્યાયના માર્ગે કોણ પ્રવૃત્તિ કરશે. જો તમારે બાણની જરૂર હોય તો મારી પાસે માંગો. હું તારી પ્રાર્થનાનો ભંગ નહિ કરું. કારણ કે હું પ્રાર્થનાનો ભંગ કરવાનું શીખ્યો નથી. તમારા જેવા અર્થી તો પ્રબળ પુણ્યના યોગે પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે કહીને ભીલ અટક્યો. પછી અર્જુને કહ્યું: “હે પલિપતિ ! મારા પોતાના બાણને લેવામાં તમારી આ ઠપકાની પરંપરા કેવી ? આવો દુર્જનનો સ્વભાવ છે. કારણ કે તે પોતાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy