SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૮ ૨૦૫) પાંડવ ચરિત્રમ્ નદી, પર્વતોથી કઠિન ભૂમિને ક્રમે કરીને ઓળંગીને યુધિષ્ઠિર ભાઈઓની સાથે તે ગંધમાદન વનમાં પહોંચ્યા. ત્યાં એક મનોહર સ્થાને પાણ્ડપુત્રો ઘાસની ઝૂંપડીઓ બનાવીને પોતાના ઘરની જેમ સુખે રહ્યા. કુટુંબ સહિત રાજા યુધિષ્ઠિરથી તે વન શોભવા લાગ્યું. તે આ પ્રમાણે ચંદ્રથી રાત્રિ, સૂર્યથી આકાશ, દેવથી પ્રાસાદ, પૂજાથી દેવ, ભાવથી પૂજા, ભ્રમરથી પુષ્પ, યૌવનથી યુવતિ, પુષ્પથી વેલડી, સુગંધથી પુષ્પ, કાજળથી નેત્ર, નેત્રથી મુખ, શીલથી કુલવધૂ, ગીતથી નાટક, વાજિંત્રથી ગીત, ટહુકાથી મયૂર, છત્રથી રાજા, કિલ્લાથી નગર, વિનયથી શિષ્ય, ધ્યાનથી યોગી, દાનથી શ્રીમંત, નિસ્પૃહતાથી સાધુ, પરાક્રમથી શૂરવીર, મદથી હાથી, ઝડપથી ઘોડો (અશ્વ), રાજહંસથી સરોવર, મુગટથી મસ્તક, તિલકથી ભાલ, વાળથી મસ્તક, કુંડલથી કાન, કલાના સમૂહથી મનુષ્ય, તળાવ પાણીથી, રત્નથી સુવર્ણ, દીપકથી મંદિર, સારા રાજાથી રાજ્ય, કૂવાથી મરૂધર (મારવાડ), સુપુત્રથી કુલ, મંત્રથી ગારૂડી (મદારી), તંત્રથી મંત્રી, યંત્રથી કિલ્લો, પાંદડાથી વૃક્ષવૃક્ષથી વન, પાંખોથી પક્ષી, નિષ્કપટથી ધર્મ, નાદથી વીણા, દાંતોથી મુખ, વીજળીથી મેઘ (વાદળ), તોરણથી મંડપ, હારથી હૃદય, ધર્મથી મનુષ્ય, તેવી રીતે પરિવાર સહિત યુધિષ્ઠિરથી તે ગંધમાદન વન શોભે છે. તે પાંડવો તે વનમાં સર્વ ઋતુના સુંદર વનફલોના સુખને અનુભવતા શત્રુનો પરાભવ ભૂલી ગયા. ત્યાં કુન્તી ધર્મક્રિયામાં લગાવેલા મનથી હસ્તિનાપુરના રાજ્યને યાદ કરતી નથી. ત્યાં નજીકમાં રહેલા ઈન્દ્રકલ નામના ઉત્તમ પર્વતને અર્જુને આશ્ચર્યથી યુધિષ્ઠિરને બતાવ્યો. હે દેવ ! આ વનમાં આ પર્વત ઉપર સૌધર્મેન્દ્ર ઇન્દ્રાણી સાથે ક્રીડાને માટે અવસરે અવસરે આવે છે. તેથી ઈન્દ્રનીલ એ પ્રમાણે નામ પ્રસિદ્ધ થયું છે. હે ભાઈ ! આપની આજ્ઞાથી આ ઇન્દ્રકલ પર્વત પર થઈને વિદ્યાધરે આપેલી રોહિણી આદિ વિદ્યાનું હું પુનરાવર્ત કરું. યુધિષ્ઠિરે કહ્યું : “જા, તારી ભાવના (ઇચ્છા) પૂર્ણ કર. વિદ્યાને ફરી યાદ કર.” પછી અર્જુન બંધુની આજ્ઞા લઈને કુન્તીને નમસ્કાર કરીને અને દ્રૌપદીને કહીને ઇન્દ્રકલ પર્વત પર જાય છે. જતી વખતે વિદ્યાધરે આપેલી જે પાડુરાજાએ યુધિષ્ઠિરને આપેલી તે મુદ્રિકા (વીંટી)ને અર્જુનની આંગળીમાં બલાત્કારે યુધિષ્ઠિરે પહેરાવી દીધી. પછી અર્જુન તે ઇન્દ્રકીલ પર્વત પર ગયો. તેના ઉપર એક મણિમય જિનપ્રાસાદ (મંદિર) જોયો. તે પ્રાસાદને જોઈને અર્જુન વિચારે છે કે, આ પ્રાસાદ, શું પર્વત ઉપર પર્વત છે ? જે એવા પ્રકારનો મહાન દેખાય છે. અર્જુને તે પ્રાસાદની ડાબી બાજુ ખીલેલા કમલવાળી મણિના પગથિયાથી શોભતી તરંગોવાળી એક વાવડીને જોઈ તેના પાણી વડે સ્નાન કરીને ખીલેલા કમળોને લઈને દસત્રિકને સાચવીને વિધિપૂર્વક શ્રી આદિનાથ પ્રભુને નમસ્કાર કરીને, પૂજા કરીને, ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે અઠ્ઠમ તપ કર્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy