SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૮ (૨૦૩ પાંડવ ચરિત્રમ્ દ્રોણાદિ બધાય તમારા કુળના વૃદ્ધ પુરુષોને દાન અને માન આપવા વડે કરીને ખુશ કરાયેલા તેઓ દુર્યોધનની જ સેવા કરે છે. કહ્યું છે કે દાન અને વિનય વડે કોણ કોણ વશ થતું નથી?” તે દાન અને માન થકી વશ કરેલા વર્તમાનકાલે પ્રાણી વડે કરીને પણ તેઓ તેનું ઇચ્છિત પૂર્ણ કરવા માટે ઇચ્છે છે. જોકે પોતાનું ષખંડ પૃથ્વીનું અધિપતિપણું માને છે, તો પણ આપનાથી ભયભીત (ડર રાખે) છે. જે દુર્યોધન અર્જુનરૂપ વૃક્ષનું નામ સાંભળવાથી અર્જુનની યાદ આવવાથી સ્મરણથી ભીતિને પામે છે. તેથી લાંબા શ્વાસોને છોડતો વિચરે છે. વનમાં વૃકોદર પશુને જોઈને વૃકોદર (ભીમ) સ્મૃતિમાં આવે છે. ભીમને યાદ કરી કરીને મૃત્યુના ભયથી ભોજનના અવસરે હાથમાં રહેલો કવલ વાસણમાં પડી જાય છે. મુખમાં રહેલો કવલ મુખમાં રહે છે. સ્વપ્નમાં ભીમ અને અર્જુનને જોઈને ભયથી જાગેલો દુર્યોધન પ્રિયા ભાનુમતિને કહે છે : “હે પ્રિયે ! આ ભીમ અને અર્જુન મને મારે છે.” પ્રિયાએ કહ્યું: “હે પ્રાણપ્રિય ! ભીમ અને અર્જુન ક્યાં છે ? તમે મૌન ધરીને સુખપૂર્વક સૂઈ જાઓ.” એ પ્રમાણે સુખપૂર્વક સૂતેલો કે જાગતો આપની બીકથી એમ કરતો રહ્યો છે. ઇત્યાદિ પ્રિયંવદની વાત સાંભળીને યુધિષ્ઠિરે કહ્યું: “હે ભદ્ર ! મારા તરફથી તારે તે પિતા પાડુ અને કાકા વિદુરને કહેવું કે યુધિષ્ઠિર વગેરે પાંડવો આપની આજ્ઞાને મુગટની જેમ મસ્તક પર ધરે છે. પિતાએ જે કહ્યું કે અમે સર્વ આનંદપૂર્વક સાંભળ્યું અને સ્વીકાર્યું. હવે અમે આપની આજ્ઞાથી વિચરીશું. આપની કૃપાથી કોઈપણ શત્રુ અમારો પરાભવ કરી નહિ શકે તથા અમે અહીં રહેલા હરરોજ પિતાના ચરણોને નમીએ છીએ. તે પણ વડીલોએ જાણવું.” એ પ્રમાણે યુધિષ્ઠિરે ઉત્તર આપીને પ્રિયંવદને દાન અને સન્માન વડે સત્કાર કરીને વિદુર પાસે મોકલ્યો. તે કાનથી દુઃખે કરીને સાંભળી શકાય એવું દુર્યોધનનું વાક્ય (વચન) સાંભળીને દ્રૌપદી બોલી : “અહો ! અમારા દુશ્મન દુર્યોધને યુધિષ્ઠિર પાસેથી છેતરીને પૃથ્વી જીતી, સભાની વચ્ચે મારા વાળ ખેંચી અને અમને વનવાસ આપીને હજુ પણ સંતોષ પામ્યો નથી. અહો ! ઈર્ષાળુ લોકોમાં મર્યાદા હોતી નથી કેમ કે) વનમાં ફરનારા અમને આવીને મર્યાદા વગરનો મારવાની ઇચ્છા રાખે છે.” ફરી દ્રૌપદી બોલી : “હે માત ! કુન્તી ! તમે વાંઝણી સ્ત્રીના જેવા દેખાઓ છો. અહો ! સારી તાકાતવાળા પાડુના પુત્રો લોકોમાં નવી તાકાતવાળા (પ્રભાવવાળા) કહેવાય છે. પરંતુ તમારૂં બલવાનપણું ક્યાં ગયું? જેમના જોતાં પ્રિયાના વાળને ખેંચ્યા હતા, આથી જણાય છે, મારા પ્રાણ પ્રિયનું ધર્મપુત્રપણું સત્ય જ છે. જે ધર્મપુત્ર છે, તે પાપવાન કેવી રીતે હોય? આથી ક્ષમાવાનપણું યુક્ત જ છે, નહીં તો શત્રુનો પરાભવ કેવી રીતે સહન કરે?” અહો ! મારો પરાભવ મને દુઃખ નથી આપતો, તો શું માતા, ભાઈ આદિનો પરાભવ ભૂલી જવાય ? જે માતા સુખમાં રહેતી હતી, દાસી–દાસથી પરિવરેલી, ક્રીડાવનમાં, વાવડી આદિઓમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy