SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૨૦૨) સર્ગ - ૮ આ મંત્રણા વિચારણા) જાણીને દૂર રહેલા તમારા નાના પિતા વિદુરે તમારી ક્ષેમકુશળતાને માટે તમારી પાસે મને મોકલ્યો છે. ત્યારે તમારી પાસે આવતાં મેં પૂછ્યું: “પાંડવો ક્યાં છે?” ત્યારે વિરે કહ્યું “આજ પ્રાતઃકાળે રાજસભામાં એકચક્રા નગરીમાંથી આવેલા દૂતે કહેલું પાંડવો એકચક્કામાં છે. વળી દૂતે કહ્યું તેઓનું મહાભ્ય (પ્રભાવ) જાણો-સાંભળો.” તે આ પ્રમાણે છે – અહો ! એઓનો પ્રભાવ જે નગરમાં રહે છે, ત્યાં ન મારી-મરકી આદિ રોગ, ન અનીતિ, ન વ્યાધિ અને કોઈપણ જાતના તોફાન થતા નથી. મહામારી, દુષ્કાળ અને પરસમૂહથી બીક ઉત્પન્ન થતી નથી. કેવળ સુખ-સંપત્તિથી પ્રજા સાથે પ્રજા આનંદ ભોગવે છે. ક્યારેક તેઓ ગુપ્ત રીતે પણ વનમાં ફરે છે, ત્યાં પણ વૃક્ષો નિત્ય પુષ્પ, ફલની ઋદ્ધિવાળા હોય છે. એ શાશ્વત શત્રુઓ પરસ્પર ક્લેશ કરતા નથી. રસથી ભરપૂર ભરેલા સૌંદર્યને ધારણ કરતાં બીજા વન્યફલો પણ ત્યાં થાય છે. ઇત્યાદિ પાંડવના મહિમાને સાંભળીને દુર્યોધન કાળી મણીથી સ્નાન કરાયેલાની જેમ, ગળીથી લેપ રંગાયેલાની જેમ, યાને ખેડવાળા મનવાળો એવો દુર્યોધન સભાનું વિસર્જન કરીને મામા શકુનિની સાથે એકાંતમાં ફરી વિચારણા કરવા લાગ્યો. ત્યારે મેં વિચાર્યું, વર્તમાનમાં એકચક્રા નગરી આવા પ્રકારની સંભળાય છે. આથી તે પાંડવો ત્યાં જ છે. હે પ્રિયંવદ ! તું ત્યાં જા, પછી હું ક્રમે કરીને એકચક્રી નગરીમાં પહોંચ્યો. ત્યાં બધે ભમી ભમીને મેં નગરીને જોઈ. પરંતુ ક્યાંય પણ દરિદ્ર પુરુષને ધનની જેમ તમારા સમાચાર ન મળ્યા. તેથી મેં એકચક્રા નગરીમાં રહેનારા લોકોને પૂછ્યું: “પાંડવો ક્યાં છે ?” લોકોએ કહ્યું : “જ્યાં હંમેશા પુષ્પો અને ફળથી યુક્ત વૃક્ષો છે, ત્યાં પાંડવો છે.” જે ધર્મપુત્ર યુધિષ્ઠિરના વિનિત ભાઈઓ માત્ર સેવા કરે છે, એટલું નહિ, પરંતુ વનના પશુઓ બીજા કાર્યો દૂરે તજીને રાત-દિવસ સેવા કરે છે. યુધિષ્ઠિરની નિશ્રામાં રહેલા આગ્રાદિ વૃક્ષો પોતાની છાયાને ફેરવતા નથી, તેવું લોકોનું કહેવું સાંભળીને તમારા ડગલે ડગલે અહીંયા આ વૈતવનમાં આપની સેવા માટે વિદુરે મોકલેલ એવો હું અહીંયા આવ્યો છું. આ મારા આવવાનું કારણ છે. હવે તમે સાવધાન થઈને રહો. રાજા યુધિષ્ઠિરે કહ્યું : “હે પ્રિયંવદ ! દુર્યોધન રાજા હાલમાં પૃથ્વી પર નીતિથી કે અનીતિથી કેવી રીતે શાસન કરે છે (ચલાવે છે) તથા ભીષ્મ, દ્રોણ વગેરે અમારી ઉપર કેવા વિચાર ધરે છે ?” પ્રિયંવદે કહ્યું : “હે રાજન્ ! સાંભળો, દુર્યોધન પિતા ઉપર વાત્સલ્ય કરે છે. પ્રજાના અભ્યદયમાં તત્પર છે. પિતાની જેમ પ્રજાનું પાલન કરી રહ્યો છે તથા તે દુર્યોધન વારણાવત નગરે તમારું મૃત્યુ સાંભળીને નિરાશ થયેલા મનવાળા, ગાંગેય, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy