SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૮ ૨૦૧ પાંડવ ચરિત્રમ્ કહ્યો. તે ભીમનો વૃત્તાંત સાંભળીને ભીમની કીર્તિથી ભાવિત થયેલા લોકો અને મિત્રો અત્યંત આનંદને પામ્યા અને શત્રુઓ શોકને પામ્યા. એ પ્રમાણે ભીમ (પરાક્રમી)નો વૃત્તાંત સાંભળી પાડુરાજાએ શોકરૂપ કાદવને દૂર કર્યો. પાડુરાજાએ તજેલા તે શોકે અભિમાની દુર્યોધનનો આશ્રય લીધો. શોકાગ્રસ્ત દુર્યોધન પ્રિયાના ખોળામાં, પલંગમાં, વનમાં, મહેલમાં કે સ્થલમાં, જલમાં ક્યાંય પણ સુખ (આનંદ)ને પામતો નથી. તેને તેવા પ્રકારે અસ્વસ્થ જોઈને મામા શકુનિએ કહ્યું: “તને કયો આધિ કે વ્યાધિ હેરાન કરે છે, જેથી તું હમણાં આવા પ્રકારનો દેખાય છે ?” તેણે કહ્યું : હે મામા ! તમે સાંભળો વારણાવત નગરમાં અગ્નિથી ગ્રસ્ત થયેલા પાંડવો આજે પણ જીવે જ છે, જીવિત છે.” એકચક્ર નગરથી આવેલા પુરુષે કહ્યું : “ભીમપાંડવે બક રાક્ષસને હણી નાંખ્યો છે, તે સાંભળીને મને ચિંતા ઉત્પન્ન થઈ, કેમ કે જે મારો પાંડવોનો વધ કરવાનો પ્રયત્ન વિપુલ થયો. હવે હું શું કરું? હવે હું શું કરું ? આ પાંડવોની કીર્તિ સર્વત્ર ફેલાયેલી છે.” કારણ કે – હિડંબ, બક અને કિર્તીરના વધના અભિમાનના પટથી તેઓની કીર્તિ પૃથ્વી, પાતાળ અને સ્વર્ગ એ ત્રણે લોકમાં નાચી રહી છે (ફેલાઈ રહી છે). હવે તે પાંડવોનું ફરી પણ કંઈક વિરૂપ (ખરાબ) કરીએ. જેથી કરીને તે પાંડવો યમના મહેમાન થાય. તેવા દુર્યોધનના વચન સાંભળીને શકુનિ બોલ્યો : “હે ભાણેજ ! દુર્યોધન ! સંપૂર્ણ ભૂમિની શોભાવાળા ઇન્દ્ર જેવા આપ ક્યાં ? દેશમાંથી બહાર કાઢી મૂકેલા રંકની જેમ રખડી પડેલા પાંડવો ક્યાં? કહ્યું છે કે સૂરજ અને આગિયાની સમાનતા હોતી નથી. તેમ તેઓનું અને આપનું સામ્યપણું કેવી રીતે થાય ? તું પાંડવોના વધની ચિંતાને કર નહિ. એ પ્રમાણે પાંડવો દૈવથી હણાયેલા છે. કારણ કે વિધિએ દેશથી દૂર કાઢેલા હવે વિધિ વિશે તેઓની શું ચિંતા ?” કારણ કે, તું હંમેશા બધેય જયને પામનારો છે. તારા હાથે પ્રાપ્ત કરેલી રાજ્યલક્ષ્મી છે તથા આજ્ઞાને ધારણ કરનારા સેવાની લાલસાવાળા બધા રાજાઓ પહેરગીરની જેમ તારા દ્વારે ઉભા છે. સૈન્ય સહિત તું સંપૂર્ણ પૃથ્વીને પાળે છે. તે કાઢી મૂકેલા તેઓ વનચરો (ભીલ્લ)ની જેમ અહીં તહીં ભટકે છે. દુર્યોધને કહ્યું: “વર્તમાનકાળે તે પાંડવો દ્વતવનમાં છે, એવું સંભળાય છે.” ત્યારે શકુનિએ કહ્યું : “તો તું ગોકુલ જોવાના બહાને ત્યાં જા. સેના સાથે સૈન્ય વગરના તેઓને (તારી) પોતાની શોભાને બતાવ. તેઓ પણ તારી અદ્ભુત શોભા જોઈને શરમ પામશે. ત્યારે તને જોતાં તે અભિમાનીઓને મૃત્યુથી પણ અધિક દુઃખ થશે. જે તને સહન નહિ કરનારા ઈર્ષાળુ ભીમ અને અર્જુન હાથમાં શસ્ત્ર ધારણ કરે ત્યારે તું શિક્ષા આપજે (યુદ્ધ કરજે). તેઓનું મૃત્યુ થતાં તું પૃથ્વીમંડલને પાંડવ રહિત જાણજે. તારા મહાસમુદ્ર જેવા સૈન્યની આગળ આ પાંડવો કોણ માત્ર ? શનિ અને દુર્યોધને કરેલી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy