SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૮ પાંડવ ચરિત્રમ્ તમો છો. એવી ભ્રાંતિથી બધા લોકો રડવા લાગ્યા, વધારે શું કહેવું? તે સમયે વૃક્ષો પણ રોવા લાગ્યા, તે જ અવસરે હું ભવનના માર્ગને જોતો ત્યાં આવ્યો. પછી ત્યાં મેં મૃત પુરુષો અને સ્ત્રીઓ જોઈ અને પાસે એક સુરંગ જોઈને મેં વિચાર્યું, નક્કી આ સુરંગના રસ્તાથી તે પાંડવો જાતે જ ક્યાંય પણ જતા રહ્યા છે.” આ ભોળા લોકો પાંડવો છે, એમ માનીને ફોગટનો જ વિલાપ કરે છે. ફરી કુતૂહલથી મેં મૃત્યુ પામેલા તે પાંચેયને જોયા, બે સ્ત્રીઓ પણ જોઈ. અત્યંત તમારા જેવા હોવાથી ખરેખર આ પાંડવો સુરંગદ્વાર નહિ મળતાં શૂર હોવા છતાં પણ મૂંઝાઈ ગયેલા અહીંયા જ અગ્નિમાં ભસ્મસાત્ થયા. પછી હું આપના મૃત્યુના સમાચારથી અને દર્શનથી અત્યંત દુઃખી થયેલો ખૂબ જ રડ્યો. ત્યાંથી પાછા વળીને હું ફરી હસ્તિનાપુર ગયો, ત્યાં જઈને જેવું જોયું હતું તેવું કહ્યું. તે સાંભળીને ગાંગેય, પાડુ, વિદુર વગેરે અને તમારી કુલવૃદ્ધ સ્ત્રીઓ પણ શોકથી દુઃખી સર્વ સ્વજનવર્ગ અને નગરજનો શોકાગ્રસ્ત થયા, પરંતુ એક દુર્યોધન વિના બધાય મૂર્શિત થયા. ફરી ચૈતન્ય પામેલા પાડુરાજા વગેરે આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યા. હે વત્સ ! શુદ્ધ હૃદયવાળા તમને પાપિષ્ઠ એવા અગ્નિએ કેમ બાળ્યા ? વિદુરે કહ્યું: “હે વત્સો ! પ્રતિકૂલ વિધિ (નસીબ) વખતે મારી શિક્ષા પણ ભૂલી ગયા. મેં પહેલાં વનવાસના અવસરે કહ્યું હતું કે તમારે કોઈનો પણ વિશ્વાસ ન કરવો, પરંતુ તમે બધા ય વિશ્વાસથી મૃત્યુને પામ્યા. એ પ્રમાણે અનેક પ્રકારે વિલાપ કરતા વિદુરે અત્યંત રૂદન કરતા તમારા પિતાને પણ નિવાર્યા” (રોક્યા) તો પણ પાડુરાજાએ રડતા રડતા આ પ્રમાણે કહ્યું : “હે પુત્રો ! લુચ્ચાઓના મનોરથો સંપૂર્ણ પૂર્ણ થયા.” એમ પાડુરાજાને વિલાપ કરતાં જોઈ દુઃખથી ભરેલા વિદુરે કહ્યું: “હે આર્ય ! શોક (દુઃખ)ને ભૂલી જાઓ. મનને ઘેર્યતામાં જોડો.” કારણ કે થોડા જ દિવસમાં સત્ય અથવા અસત્ય બધું પ્રગટ થઈ જશે. પાંડવો જીવે છે યા મર્યા છે, એ અલ્પ દિવસોમાં બધી જ સત્ય વાતની ખબર પડી જશે. તમને દુઃખી જોઈને સત્યવતી આદિ માતાઓ પણ દુઃખથી ગ્રસ્ત થઈ છે. કારણ કે :– સત્યવતી આદિ માતાઓ આ શોકના સમાચારથી મૃતપ્રાય: થઈ ગઈ છે. માલતી વેલડીઓ દાવાનળની જ્વાલાને સહન કરી શકતી નથી. અને હે દેવ ! મહાઆપત્તિના સમાચારથી વિદુરના આશ્વાસનના વચનથી પાડુરાજા આટલો વખત (આજ પણ) મરેલાની જેમ જીવે છે. એ પ્રમાણે દિવસો પસાર કરે છે, ત્યાં એક દિવસ એકચક્રી નગરીથી આવેલા કોઈક પુરુષે હસ્તિનાપુર નગરમાં સકલ નગરજનોની આગળ બકરાક્ષસ વધ આદિ ભીમનો ભયંકર વૃત્તાંત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy