SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૮ (૧૯૯૯) પાંડવ ચરિત્રમ્ યુધિષ્ઠિરની હરહંમેશ સેવાના અવસરને પામીને નાના ચારે ભાઈઓ પોતાના જન્મને કૃતાર્થ માને છે. એ પ્રમાણે તે પાંડવો વનવાસી હોવા છતાં પણ સ્વેચ્છાપૂર્વક સુખપૂર્વક ખેલતાં દૈતવનમાં હસ્તિનાપુરમાં હતા, તેના જેવો વસવાટ માને છે. (હસ્તિનાપુરમાં રહેતા હોય તેવું માને છે.) એ પ્રમાણે તે પાંડવો રહે છતે વૈતવનમાં એક વખત પ્રાતઃકાલે ઉચ્ચ સિંહાસન પર બેઠેલા યુધિષ્ઠિરને ભીમ પોતાના હાથો વડે ભક્તિપૂર્વક પગ દબાવતા હતા તથા નજીકમાં કુન્તીના મુખમાંથી નીકળતા વચન તરંગમાં દીધેલા કાનવાળી, નજીકમાં બેઠેલી દ્રૌપદી હતી. સહદેવે વિનયપૂર્વક પોતાના ઉત્તરીય વસ્ત્રને છત્રની જેમ ધારણ કર્યું હતું. નકુલ ચામરની ઉપમા સમાન વસ્ત્રનો છેડો વીંઝતો હતો. છડીના દંડની ઉપમા જેવા બાણને અર્જુને ધારણ કર્યો છતે, તે વખતે જ અર્જુને દૂરથી એક પથિક આવી રહ્યો છે, તેમ બધાને કહ્યું. પછી પથિકને દૂરથી આવતો જોઈ યુધિષ્ઠિરે કમલની શોભાવાળી દૃષ્ટિ નાંખતાં તેને બધા ભાઈઓને આ પ્રમાણે કહ્યું : “હે ભાઈઓ ! તે આ પ્રિયંવદ છે, જે આપણો પ્રિય સેવક છે અને આપણા ગૃહનો રક્ષક પણ છે. પછી બધાએ તેને જોઈને ઓળખી લીધો.” અર્જુને હર્ષપૂર્વક સામે જઈને પ્રિયંવદને બોલાવ્યો. પ્રિયંવદ પણ અર્જુનને નમીને ભેટ્યો. ત્યારબાદ બંનેય જણ યુધિષ્ઠિરની પાસે આવ્યા અને પ્રિયંવદ યુધિષ્ઠિરને નમીને સાથે બેઠો. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું : “હે ભદ્ર ! પિતા વગેરે વડીલવર્ગ કુશલ છે ને ? તથા મારા નાના પિતા (કાકા) વિદુર પણ કુશળ છે ને ? જે અમારું કુશળ ચાહે છે તથા તે ભદ્ર ! અમારા પિતામહ (દાદા) ગાંગેય કુશળ છે ને ? તેવી રીતે અમારા ગુરુ દ્રોણ અશ્વત્થામા સહિત કુશળ છે ? તથા અમારા ગુરુ અમારા પર કૃપા વરસાવે છે ? તથા અમારા કાકા ધૃતરાષ્ટ્ર રાષ્ટ્ર (રાજ્ય) સહિત કુશળ છે ? જે અમારું કલ્યાણ વાંછે છે તથા અમારો ભાઈ દુર્યોધન સો ભાઈઓથી પરિવરેલો પૂર્ણ થયેલી ઇચ્છાવાળો છે ને? એ પ્રમાણે સત્યવતી આદિ વૃદ્ધ માતાઓ કુશળ છે ને ?” એ રીતે યુધિષ્ઠિરે કહેલું સાંભળીને તેને પ્રિયંવદે) કહ્યું : હે દેવ ! ચિત્તમાં દુઃખી હોવા છતાં પણ શરીરથી બધા ક્ષેમકુશળ છે. ફરી પણ યુધિષ્ઠિરે કહ્યું : “હે પ્રિયંવદ ! ત્યાં લાખનું ગૃહ સળગવાથી શું શું થયું? તથા તે અમે અહીંયા છીએ, તે કેવી રીતે જાણું? એ બધું જે રીતે તે જાણ્યું છે, તે બધું સત્ય કહે.” ત્યારે પ્રિયંવદે કહ્યું : “તે આકાશને અડતી ભયંકર જ્વાલાઓવાળો અરિ સળગતો જોઈને લોકોએ મોટા સ્વરે આ પ્રમાણે પોકાર કર્યો. હા ! હા ! આ જ્વાલાઓમાં પાંડવો બળી રહ્યા છે, એ પ્રમાણે જાણીને શોકથી ઘેરાયેલા લોકોએ અત્યંત પાણીના ધોધ વડે કરીને અગ્નિને બુઝાવી નાંખ્યો. તે વાળા શાંત થતાં અર્ધા બળેલા કોઈક પાંચ પુરુષો અને બે સ્ત્રીઓ ખેંચી અને જોઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy