SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૧૯૮) સર્ગ - ૮ કોઈક સ્થાને મોર અને કોયલોના અવાજથી મધુર, કોઈક સ્થાન વરૂ, સિંહ, શિયાળ અને સર્ષોથી ઘેરાયેલું.. ક્યાંક ચંપાવૃક્ષ, પુનાગ, નાગકેસર વૃક્ષથી શોભતું, ક્યાંક જર્જરિત તરૂવર ક્રીડા કરતા ઘૂવડના અવાજથી ભયંકર. એક બાજુ સ્વાધ્યાયના અવાજથી વાચાળ બનેલો તાપસીનો આશ્રમ હતો અને વળી બીજી બાજુ હાથી અને દિપડાના વધ માટે ક્રોધી (તત્પર) થયેલ શિકારીઓ હતા. વળી બીજી રીતે વનનું વર્ણન કરતાં કહે છે. અનેક મોટા વૃક્ષોથી ઘેરાયેલું, વિવિધ સર્પ, વાઘોથી ભયંકર, કાલ, કંકાલ, વેતાલ, ક્ષેત્રપાલયુક્ત, શાકિની, ડાકિની, યોગિની, યક્ષ, રાક્ષસોથી સેવાતું, ગંધર્વ, વિદ્યાધર, ખેચર, ભૂત, પ્રેત, પિશાચના શબ્દથી ભરેલું, સ્મશાન, ભિલ્લ, શબર, ચોરાદિથી યુક્ત, કાસર, વાઘ, સિંહ, શિયાળ, વરૂ, ડુક્કરાદિ જંગલી પશુ, ભયંકર આકારવાળા ઘુવડ, શિયાળોના અવાજથી ભયંકર, એવા પ્રકારના દૈતવનને તે પાંડવોએ પ્રાપ્ત કર્યું. કંદમૂળ, ફૂલો અતિ સુલભ જાણીને પાંડવોએ તે વનમાં વાસ કર્યો. જોકે તે પાંડવો તે વનમાં ભિલ્લનો વેષ ધારણ કરે છે. તો પણ તેઓ પોતાના શરીરની શ્રેષ્ઠ શોભાને છોડતા નથી. કારણ કે તાંબાથી ઢંકાયેલા મણિઓ શું પોતાની શ્રેષ્ઠ શોભા છોડી દે છે ? તેવી જ રીતે પાંડવો પોતાના શરીરની શોભાને છોડતા નથી અને તે વનમાં તે પાંડવોમાં રહેલો ભીમ વનના સુંદર ફલરૂપ આહાર વડે તે બધાને સતત ખુશ કરે છે. નવા લાવેલા કોમલ છાલના વસ્ત્ર વડે સહદેવ ભાઈઓને અને પોતાના કુટુંબને શોભાવે છે. નકુલ રૂકુલને ઉચિત પલાશના પાન, ઘાસ અને વાંસથી સુંદર ઝૂંપડી બનાવે છે. અર્જુન બધા સ્વજનોના સર્વ ઉપદ્રવોની રક્ષા માટે હંમેશા જાગ્રત રહ્યો છે. કુન્તી જિનચરણોને સ્મરતી (ભજતી) પુત્રોની શાંતિ માટે ધર્મકર્મ (કાર્ય) કરે છે. દ્રૌપદી બધા ઘર કાર્યમાં તેઓની સાથે જોડાઈ મદદરૂપ બને છે. તેઓ સાથે જોડાયેલી સંતોષી દ્રૌપદી ઘરના સર્વ કાર્યો કરે છે. એ પ્રમાણે બધાય સુકૃતોને કરતાં તે વનમાં સ્વેચ્છાએ ક્યારેક કોઈકને દાન આપતા સુખપૂર્વક રહ્યા છે. પાંચેય પાંડવોએ વનમાં ઉગેલા પુષ્પો વડે અલંકાર બનાવીને દ્રૌપદીને શણગારી પછી તે દ્રૌપદી વનમાં હોવા છતાં પણ પતિએ પાવન કરેલી રાજ્યલીલાને માનતી સર્વ ઋતુના સંભવિત સુંદર પુષ્પો થકી શણગારાયેલી દ્રૌપદી ઋતુના દેવતાની જેમ શોભે છે. ક્યારેક ભીમ હાથીના ગંડસ્થલમાંથી નીકળતાં મોતીઓ વડે સુંદર હાર કરીને પ્રેયસીને પહેરાવે છે. તે વૈતવનમાં માતા, પત્ની સાથે સ્વસ્થ ચિત્તવાળા પાંડવો રાજ્યલક્ષ્મીથી અધિક સુખ ભોગવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy