SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમો સર્ગ એક દિવસ યુધિષ્ઠિરે ભાઈઓની સાથે એકાંતમાં વિચારણા કરી. હે ભાઈઓ ! ભીમે કરેલા બક રાક્ષસના વધથી પ્રાપ્ત થયેલી કીર્તિના કારણે કોલાહલ થવાથી આપણે આ ભૂમિ ૫૨ વિખ્યાત થયા છીએ. આ પ્રસિદ્ધિ સંનિપાતથી પીડાતા લોકોને ઘી જેમ પીડાકારક બને છે, તેમ હાલમાં આપણને બધી રીતે અહિતકા૨ક જ છે. કદાચ દુર્યોધન આપણને બધાને જીવતા જાણશે, ત્યારે નિશ્ચિંત રાજ્યલક્ષ્મીથી અભિમાની થયેલો તે ક્યારેક હેરાન કરશે. આથી આપણે રાત્રિએ કોઈ પણ ન જાણે એ રીતે બીજા દેશમાં ચાલ્યા જઈએ. પછી બધાય કુન્તી અને દ્રૌપદીની સાથે રાત્રિએ જ માર્ગમાં આગળ ચાલ્યા. તે પાણ્ડપુત્રોને માર્ગમાં રાત્રિએ જતાં એક ભીમસેન જ ડગલે ડગલે લાકડીના ટેકારૂપે હતો. માર્ગમાં ભીમે માતાને કહ્યું : “હે માતા ! રસ્તે ચાલતા થાકી ગયેલાં તમે મારા ખભા પર બેસી જાઓ, એ પ્રમાણે વારંવાર મુખમાં આંગળી નાંખીને માતાને પ્રાર્થના કરી.’’ પરંતુ પુત્રને કષ્ટ થવાના ભયથી કુન્તી પ્રાર્થના કરવા છતાં પુત્રના ખભા ઉપર ન બેઠી. તેથી ખભા પર બેસવાની પ્રાર્થનાના ભંગ થવાના ભયથી દ્રૌપદી માર્ગમાં ખેદથી દુ:ખી હોવા છતાં પણ બધાની આગળ ઘણા પ્રયત્નથી ઉતાવળથી ચાલી. ક્યારેક અત્યંત આગ્રહથી ભીમે રસ્તામાં થાકી ગયેલી માતાને જમણા ખભા પર બેસાડી અને તેવી રીતે ડાબા ખભા પર પ્રિયાને કે બેસાડી. કારણ કે મહાપુરુષો ક્રમને જાણનારા હોય છે. એ પ્રમાણે માર્ગમાં ભીમ ક્યારેક રથરૂપ, ક્યારેક ભીમસખી રૂપ ક્યારેક ભીમ દાસરૂપ, ક્યારેક ભીમ રસોઈયારૂપ બન્યો. એ પ્રમાણે ક્રમપૂર્વક જતાં તેઓએ ઘણો લાંબો માર્ગ કાપી નાંખ્યો. રસ્તામાં પરસેવારૂપ જલથી ભીંજાયેલા, રસ્તાની ધૂળથી ખરડાયેલા અંગવાળા યુધિષ્ઠિર વગેરે તે બધાયે કાળા મસ કપડાવાળા ક્રમપૂર્વક દ્વૈતવન નામના વનને પ્રાપ્ત કર્યું. હવે વનનું વર્ણન કરે છે. તે આ પ્રમાણે : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy