SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૧૯૬ તેથી આશ્ચર્ય પામેલા બધાય લોકો વારંવાર ભીમની પ્રશંસા કરે છે. હવે ભીમ બધાના જોતાં બકપુત્ર મહાબલને કહે છે, હે મહાબલ ! જો જીવવાની ઇચ્છા હોય તો મનુષ્યના વધથી પાછો હટ. જો જીવહિંસા કરીશ, તો તું પણ બકની જેમ મૃત્યુને પામીશ. તેવા ભીમના વચન સાંભળીને ડરેલા મહાબલે પરંપરાથી આવતા વધધર્મને છોડી દીધો. સર્ગ - પછી યુધિષ્ઠિરે મહાબલને તેના પિતાના રાજ્ય પર બેસાડ્યો (અભિષેક કર્યો). તે દિવસથી લઈને તે પાંડવો તે નગરમાં પ્રસિદ્ધિને પામેલા સર્વ લોકોમાં વિખ્યાત થયા. સર્વ લોકોએ તેમની સ્તુતિ કરી, વાંદ્યા અને પૂજ્યા. એકચક્રા નગરીના રાજાએ નગરીમાં પ્રવેશ માટે પાંચેય પાંડવોને આમંત્રણ આપ્યું. તેથી મહાબલે લાવેલા દિવ્ય વિમાનમાં બેસીને પાંચેય પાંડવોએ માતા અને પત્ની સાથે નગરીમાં પ્રવેશ કર્યો. તોરણોની સાથે સ્વસ્તિકચક્રથી અંકિત એકચક્રા નગરીમાં પ્રવેશેલા તેઓની બંદીજનો (ચારણો) થકી આ પ્રમાણે ભીમની સ્તુતિ કરાઈ. - ૭ આ નગરીનો જીવનદાતા આ બકરાક્ષસને મારનારો છે. એ પ્રમાણે તેની આગળ બંદીજનો બિરૂદાવલી ગાતા હતા. ત્યારે વિનયથી નમેલ એકચક્રા નગરીનો રાજા પોતાના મહેલમાં પાંડવોને લઈ ગયો. તે નગરમાં પાંચ દિવસ પછી યુધિષ્ઠિરે પિતાનું રાજ્ય આપી સત્કાર કરી બકપુત્ર મહાબલને વિદાય કર્યો. ઇચ્છા પ્રમાણે સતત સેવાના અવસરમાં લાગેલા નગરના જનગણથી સેવાયેલા ચરણકમલવાળા વિપુલ ધૃતિને ધરનારા યુધિષ્ઠિરે ત્યાં અનેક મહિનાઓને એક દિવસની જેમ ભાઈઓ સાથે પસાર કર્યા. Jain Education International આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિના સામ્રાજ્યે પંડિત દેવવિજય ગણિ રચિત ગદ્યબદ્ધ સુંદર પાણ્ડવ ચરિત્રમાં પાંડવોના વિનાશ માટે લાખનું ઘર અને હિડંબક બકવધ વર્ણન નામનો સાતમો સર્ગ પૂર્ણ થયો. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy