SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૭ ૧૯૫ પાંડવ ચરિત્રમ્ વડે કૃષ્ણ ચાણૂરની જેમ હણવા માટે દોડ્યો. ત્યારે તે મહાપુરુષની વજ જેવી કઠિન મુઠ્ઠીથી વજ વડે પર્વતની જેમ હણાયેલો તારો પિતા મૂચ્છિત થઈ જમીન ઉપર પડ્યો. ભૂમિ પર પડેલા બક રાક્ષસને જોઈને બધાય રાક્ષસો ભયથી ગભરાયેલા બધી દિશામાં નાસી ગયા. કારણ કે સૈન્યનો નાથ હણાઈ ગયો. તેથી નાસી ગયા. પછી મેં ચિંતવ્યું. આનાથી મારો સ્વામિ મુઠ્ઠી વડે હણાયો. તેથી હું એના કુટુંબને કપટ થકી હણું. એ પ્રમાણે વિચારીને સુમાય નામના રાક્ષસને મોકલ્યો. તે રાક્ષસ મારી પાસેથી શિક્ષાને લઈને પોતાના કાર્યની સિદ્ધિ માટે ગયો. પછી મારા શીતોપચાર વડે કરીને મારા સ્વામિને સ્વસ્થતા પ્રાપ્ત થતાં ફરી પણ યુદ્ધ માટે તૈયાર થયા. પછી ક્રોધરૂપ અગ્નિથી સળગતા લાલચોળ થયેલા તે પુરુષને હણવા માટે દોડ્યા. પછી બંનેય જણા પરસ્પર મલ્લ યુદ્ધ કરવા લાગ્યા. એ પ્રમાણે ભયંકર યુદ્ધ કરીને તે મહાપુરુષે તારા પિતા બકને કમલની નાલની જેમ ગરદનને મચડીને પૃથ્વી પર પાડીને મસ્તકને મુઠ્ઠી વડે ભેદીને હણી નાંખ્યા, મરણને શરણ કર્યા. હવે તે સુમાય રાક્ષસે કૃત્રિમ ભીમ મસ્તકને વિદુર્વેલું જોઈને મોહિત થયેલા તેઓ મરણ માટે તૈયાર થયા. તેટલામાં વિજયી બનેલો ભીમ પોતાના કુટુંબ પાસે આવ્યો. પછી સુમાય વિદ્યા વડે બકને મૃત્યુ પામેલો જાણી પાછો વળી અહીંયા આવ્યો. આવો પિતાનો વૃત્તાંત સાંભળી બકપુત્ર મહાબલ પણ પિતાના વૈરને લેવા માટે યુદ્ધ કરવા તૈયાર થયો. તે વખતે મેં નિષેધ કર્યો. હે મહાબલ ! ક્રોધને છોડ. પિતાના વૈરને મૂકી દે. તું એ મહાપુરુષની સેવા કર. જો તું નહિ માને તો કુલ વિદ્યાદેવીને સારી રીતે પૂછીને તે જે કહે તે કર. પછી સારી રીતે આરાધેલી તે દેવીએ પણ મારા કહ્યા પ્રમાણેનું કહ્યું મારા વડે પહેલા પણ તારા પિતાને કહેવાયેલું કે તું ક્યારેય પણ પાંડવોની સાથે દુશ્મનાવટ ન કરીશ. ભક્તિપૂર્વક અનુકૂળ કરાયેલા તેઓ ઇચ્છિત આપનાર કલ્પવૃક્ષ સમાન છે અને પ્રતિકૂલ કરાયેલા વિષમ વિષવૃક્ષ જેવા છે. તારા પિતાએ જો મનુષ્યના માંસનો નિષેધ સ્વીકાર્યો હોત તો ચોક્કસ ભીમ તેને મારી નહિ. તેથી તું પણ ત્યાં જઈને વિનયી થઈને તેઓ પ્રત્યે પુત્ર જેવું આચરણ કર. (તેઓને પિતા સમાન માન) તેઓ પણ તને પુત્ર સમાન ગણશે. સજજનો ખરેખર નમનારાઓ પ્રત્યે વાત્સલ્યવાળા હોય છે. તે પછી શાંત થયેલા ક્રોધવાળો તે આ બકપુત્ર મારી સાથે અહીંયા આવ્યો છે. મંત્રીએ કહ્યું: “તે આ મહાબલ નામનો બકપુત્ર છે. હું દુર્બુદ્ધિ નામનો બકમંત્રી છું. અમે બંનેય તમારી સેવા માટે આવ્યા છીએ. અમે તમારી સેવામાં રહીશું. આથી તમે અમને રાખો, અમે રાખવા યોગ્ય છીએ. કારણ કે મહાપુરુષો નમનારા પર વાત્સલ્યવાળા હોય છે. આ પ્રમાણે પ્રસંગ આવતાં બકમંત્રીએ કહેલો બકવધાદિક સંપૂર્ણ ભીમવૃત્તાંત બધા લોકોએ સાંભળ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy