SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૭ પાંડવ ચિરત્રમ્ ૧૯૪ અમારા કુટુંબને જીવાડનાર તું અમારા આયુષ્ય વડે જીવ. એ પ્રમાણે નગરની વૃદ્ધ સ્ત્રીઓએ આશીર્વાદથી પોતાની સાડીના છેડા વડે ઓવારણું લીધું. તે નગરીમાં હર્ષથી પ્રફુલ્લિત થયેલા નયનવાળી કેટલીક સ્ત્રીઓ નૃત્ય કરવા લાગી. કેટલીક નગરની સ્ત્રીઓ રાસ લેતા ગીતોમાં કુન્તીના ગુણો ગાવા લાગી. તે સમયે શોક વગરના થયેલા તે નગરીના લોકો પુનર્જન્મ પ્રાપ્ત થયો છે, એ પ્રમાણે માનતા વારંવાર અંજલિ જોડી પ્રશંસા કરતાં ભીમને ખુશ કર્યો હવે તે નગરનો રાજા અંજલિ જોડી ભીમને કહે છે : “હે ભીમ ! એકચક્રા નગરીની પ્રજાને પ્રાણ આપનાર ! તારૂં કલ્યાણ થાઓ. આજથી લઈને આ પ્રજા પુત્રની ઇચ્છાવાળી થાઓ અને કુળદેવીઓ પુત્ર માટેની માનતા કરાયેલાની ઈચ્છા પૂર્ણ કરો તથા અનુપમ સ્નેહવાળી થયેલી માતાઓ પોતાની સંતતિનું પાલન કરો.” હવે યુધિષ્ઠિરે સર્વ રાજા વગેરે અને નગરજનોનાં જોતાં ભીમની પ્રશંસા કરી. તે આ પ્રમાણે, તે આ ભીમ છે. જેણે બક રાક્ષસને બગલાની જેમ હણી નાંખ્યો છે. પછી નગરના બધા લોકોએ ભીમને પૂછ્યું : “હે મહાભાગ ! હે સ્વચ્છ મતે ! તેં બક રાક્ષસને કેવી રીતે હણ્યો ?” તેવું લોકોનું કહેવું સાંભળીને ભીમ વિચારે છે. મારી કથા મારા મુખે કેવી રીતે બોલું ? એ પ્રમાણે ભીમ મૌન રહેતાં કોઈક બે વિદ્યાધરો આકાશમાંથી ઉતરીને પાંડવોની પાસે આવ્યા. તે બેમાં એક નાનો અને બીજો મોટો હતો. મોટો બોલ્યો : ‘‘બધા સભાજનો મારા વચનને સાંભળો... હું બક રાક્ષસનો દુર્બુદ્ધિ નામનો મંત્રી છું. આ મહાબલ નામનો બકનો પુત્ર છે. આ કોઈ કામ માટે પોતાની પરંપરાગત પુરી લંકામાં ગયો હતો. કાર્ય કરીને જ્યાં પાછો ફરી ઘરે આવ્યો, તેટલામાં પિતાને મૃત જોઈને સ્વજનોને પૂછ્યું, મારા પિતાને કોણે આ પ્રમાણે હણ્યા છે ?” ત્યારે મેં કહ્યું : “આજે કોઈક મહાકાયવાળા, બલવાન પુરુષોને રાક્ષસો ઉપાડીને અહીંયા લાવ્યા હતા. તે મહાકાય પુરુષને જોઈને બધા રાક્ષસો ખુશ થયા. આજે બધા રાક્ષસોને તૃપ્તિ થશે. આ પ્રમાણે સર્વ રાક્ષસો વિસ્મય પામ્યા. ત્યારે બક રાક્ષસ સૂર્યહાસ તલવારને ખેંચીને જ્યાં પ્રહાર કરે છે, તેટલામાં તે મહાકાયવાળા પુરુષે પૃથ્વીતલથી ઉપાડીને અમારા સ્વામી બકને આ પ્રમાણે કહ્યું : રે રે નિર્લજ્જ ! નિર્દય ! દુરાચર ! નિશાચર ! નિર્દોષ પ્રાણીવધના પાપરૂપ કાદવથી ભારે બનેલા. આ કથા હમણાં પૂર્ણ થશે, એમાં સંશય નથી. પહેલા તું પ્રહાર કર. હું પહેલાં પ્રહાર કરવાનું શીખ્યો નથી. એ પ્રમાણે ઉત્તેજિત કરાયેલા તારા પિતાએ સૂર્યહાસ તલવાર વડે ઘા કર્યો. તેની વજકાયમાં તે જીતવાવાળી હોવા છતાં પણ તેના શરીર પર ઘા કરતાં સો ટુકડા થઈ ગયા. પછી તે મુઠ્ઠી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy