SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ સર્ગ - ૭. (૧૯૧). પાંડવ ચરિત્રમ્ કારણ કે પત્થર માટે ચિંતામણી ગુમાવ્યો છે. મારા માટે તમે પોતાનું બલિદાન આપ્યું છે, તે બ્રાહ્મણ એ પ્રમાણે વિલાપ કરતો પાછો ફરીને કુન્તીની આગળ ગયો. ભીમ સંબંધી પૂરી વાત કરી. ભીમને વિષે તે વાત સાંભળીને પુત્રવધૂ અને દેવશર્મા સાથે કુન્તી રોતી રોતી તે બકવનમાં આવી. પરંતુ તે વનમાં ભીમ વિના ક્યાંય પણ આનંદ પામતી નથી. ત્યારે દેવશર્મા બ્રાહ્મણે તેને કહ્યું : “જ્યારે હું કુળદેવીને નમસ્કાર કરવા માટે ગયો, ત્યારે જ મને દુઃખ થતું હતું. કારણ કે, અહીં આગળ તે મહાત્મા મારા માટે રાક્ષસ પાસે જઈને તેના મુખના કવળ (આહાર) બનશે.” એ પ્રમાણે દેવશર્માને વારંવાર દુઃખના આવેશમાં આવેલો જાણી યુધિષ્ઠિરે કહ્યું : “હે મહાત્મન્ ! તું દુઃખ ન પામ. મારો ભાઈ ભીમ ક્યારે પણ રાક્ષસોથી પરાજિત નહિ થાય. અંધકારના સમૂહથી શું સૂર્ય પરાભવ પામે ?” મારા ભાઈની ભુજાથી પીડિત યમ પણ મરણને પામે છે, તે પ્રમાણે તેની પાસે બક રાક્ષસ બગલાની જેમ નિશ્ચિત મરણને પામશે. એ પ્રમાણે યુધિષ્ઠિર બોલતાં ગંડપર્વતની ઉપમા જેવા ભયંકર ફૂંફાડાને કરતાં આકાશમાંથી ભીષણ ભીમનું મસ્તક આગળ પડ્યું. તે આગળ પડેલા ચિહ્ન વડે નિશ્ચિત ભીમનું મસ્તક જોઈને માતા સહિત બધા ય ભાઈઓ રડવા લાગ્યા. હે ભાઈ ! તારી આવી સ્થિતિ કેવી રીતે થઈ ? હે હિડંબ વિડંબક ! હે માતૃ ભ્રાતૃ વત્સલ ! તારૂં શૌર્ય ક્યાં ગયું ? તું કયા દુષ્ટ માનવથી, દાનવથી, દેવથી અથવા રાક્ષસથી આવી દશાને પામ્યો છે ઇત્યાદિ કહીને માતા વગેરે અત્યંત જોરજોરથી રડવા લાગ્યા. યુધિષ્ઠિરે કહ્યું: “માર્ગમાં થાકી ગયેલા સુખપૂર્વક નિદ્રા લેતા અમારો તારા વિના કોણ રક્ષક થશે ? હે સૌમ્ય ! અમને હમણાં છોડી દીધા છે. તેથી ચંદ્રને જેમ રાહુ તેમ દુર્યોધનરૂપી રાહુ ક્રૂર રીતે અમને પરેશાન કરશે.” એ પ્રમાણે વિલાપ કરતાં યુધિષ્ઠિરે કેટલામાં આગળ જોયું, તેટલામાં કુન્તીને મૂર્શિત થયેલા જોયા. તે સમયે યુધિષ્ઠિર ભાઈ ભીમના વિયોગથી ગાઢ મૂર્છાને પામ્યા. શીત ઉપચારો વડે ચૈતન્યને પામેલ યુધિષ્ઠિર બધાની આગળ કહેવા લાગ્યા. રે બંધુ ! તને મુનિએ વજે જેવી કાયાવાળો કહ્યો હતો તો તારૂં શિર બક રાક્ષસે કમલનાલને છેદવાની જેમ કેવી રીતે છેવું? એ પ્રમાણે અર્જુન વગેરે પણ ભીમબંધુના ગુણોને વારંવાર યાદ કરતાં બધાય અત્યંત રોવા લાગ્યા. એ પ્રમાણે પોતાના કુટુંબને વિહ્વળ જાણીને તે ભીમના મસ્તકને જોઈને દ્રૌપદી સમીપ રહેલા વૃક્ષના અંતરાલમાં જઈને અને ખોળામાં મૂકીને આ પ્રમાણે વિલાપ કરવા લાગી. હે નાથ ! હે શત્રુને મંથનારા ! મને છોડીને ક્યાં ચાલ્યા ગયા છો ? હે પ્રાણેશ ! તમારા વાળો કાંસકાથી ઓળ્યા હતા, તે ભૂમિ પર ધૂળમાં રગદોળાય છે. જે વિદ્રુમ જેવા તમારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy