SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૧૯૨) સર્ગ - ૭. હોઠો અમૃતની ઉપમા જેવા પહેલા હતા, તે હમણાં કરમાઈ ગયેલા કમળ જેવા નિસ્તેજ લાગે છે. જે તમારું મસ્તક પહેલા મારા ખોળામાં રહેતું હતું, તે મસ્તક હમણાં પૃથ્વી પર રગડાય છે. એમ બહુવાર વિલાપ કરી દ્રૌપદીએ ચિતાને બનાવી, તેવી રીતે યુધિષ્ઠિર વગેરે પણ રાજ્યથી રહિતપણું અને પ્રવાસ ભીમ વિના દુઃસહ્ય છે, એમ વિચારીને મરણ માટે તૈયાર થયા. દેવશર્મા બ્રાહ્મણ પણ આનું કારણ હું જ છું, એ પ્રમાણે વિચારીને મૃત્યુ માટે તૈયાર થયો. એ પ્રમાણે તે બધા શોકથી વ્યાકુળ જ્યાં થયા, તેટલામાં તે બ્રહ્માંડમાં ફેલાઈ જતો ગુફામાં રાક્ષસે કરેલો કિલકિલારવ સાંભળ્યો. તે કિલકિલારવ સાંભળીને યુધિષ્ઠિર વિચારવા લાગ્યા. ખરેખર તે રાક્ષસ ભીમને હણીને અમને હણવાને માટે ઉભા થયેલા મનવાળો સામે આવે છે. આ રાક્ષસ અમારો વૈરી, ભાઈને હણનારો છે. આથી અમે તેને મારીને અમારું ઇચ્છિત વૈરનું વિસર્જન કરીશું. એ પ્રમાણે વિચારીને યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું: “હે અર્જુન ! ભીમને હણનારો રાક્ષસ સામો આવે છે, એનું જીવિત લઈને ભીમને જલ્દી જીવતો કર.” ભાઈના આવા વચન સાંભળીને કોપથી શરીર કંપી રહ્યું છે, તેવો અર્જુન પણછ ચડાવેલું બાણ લઈને આવતા રાક્ષસની દિશા તરફ ઉભો રહ્યો. ડરેલી શ્યામમુખી દ્રૌપદી વિચારે છે – ખરેખર તે આ રાક્ષસ ભીમને હણીને આ મારા પતિઓને હણવા માટે આવે છે. જ્યાં રાક્ષસની તાકાત પાસે ભીમની તાકાત ઓસરી (ડૂબી) ગઈ, ત્યાં અર્જુનની તાકાત શું ? આ રાક્ષસ પર અર્જુન શું તાકાત બતાવશે, તેથી અહો ! કર્મનું વિચિત્રપણું કેવું છે ? કારણ કે દુષ્ટ બુદ્ધિવાળું નસીબ પતિનો વધ મારી સામે દેખાડશે. મારી આંખો આ પતિના વધને જોવા માટે સમર્થ નથી. એમ વિચારીને દ્રૌપદી ચિતાની નજીકમાં પોતાની આંખોને બંધ કરીને દુઃખ ધારણ કરતી ઉભી રહી. દેવશર્મા બ્રાહ્મણ પણ તેણીને તેવી અવસ્થામાં જોઈને જ્યાં મરણ માટે તૈયાર થાય છે, તેટલામાં તે જ ક્ષણે જ કિલકિલારવ કરતો ભીમ તે બધા લોકોના જોતાં નજર સમક્ષ આવ્યો. ભીમને આવેલો જાણીને યુધિષ્ઠિર બધાની આગળ બોલ્યો : “હે લોકો ! અમર્યાદ પરાક્રમી મારો ભાઈ ભીમ રાક્ષસોથી શું પરાભવ પામે ? મુનિએ કહેલું શું અસત્ય થાય ? અથવા દિવ્યવાણી શું અસત્ય થાય ?' આ પાંચેય જણા આ જગતથી પણ ભવિષ્યમાં અજય થનારા છે. એઓના જન્મતાં જ અમને સંભળાયેલી વાણી શું અસત્ય થાય? ક્રમ કરીને આ પાંચેય જણ પંચમી ગતિ (મોક્ષ)ને પામનારા છે, એ પ્રમાણે મુનિન્દ્ર કહેલી વાણી શું તે અસત્ય થાય ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy